Mar 14, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૪




   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અધ્યાય-૩-કર્મ યોગ


અર્જુન કહે છે –
આપ જો જ્ઞાન ને કર્મ કરતાં (કર્મ ને) વધારે સારું માનો છો 
તો મને આવા હિંસક કર્મ માં કેમ જોડો છો?આવું ગૂંચવણ ભર્યું બોલીને મને મૂંઝવો છો.
મને કોઈ એક નિશ્ચિત વાત કહો (૧-૨ )

કૃષ્ણ કહે છે કે-
આ દુનિયા માં બે માર્ગો છે.-
વિચાર કરનારા ઓ (સાંખ્યો)માટે જ્ઞાન યોગ અને 
કર્મ કરનારાઓ (યોગીઓ) માટે  કર્મ યોગ(૩)

કોઈ પણ  મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી,
પ્રકૃતિ (સાત્વિક,રાજસિક,તામસિક)ના ગુણો ને પરવશ દરેક ને કર્મ કરવા પડે છે.(૫)

અનાશક્ત ભાવથી અને નિષ્કામ બુદ્ધિથી સતત યોગ્ય કર્મ કરતાં રહી ---
શ્રેષ્ઠ પરુષો જેવાકે  મહારાજા જનક- 
પરમ પદ પામ્યા હતા. 

શ્રેષ્ઠ પુરુષો જે જે કર્મો કરે તે લોકો માટે ઉદાહરણ બને છે.---

અને તે જો કર્મો ના કરે તો લોકો તેનું અનુકરણ કરે અને સામાન્ય જીવન નિર્વાહ ની સમાજ વ્યવસ્થા વિખરાઈ જાય.
મારે આ ત્રણે લોક માં કશું મેળવવાનું નથી છતાં હું કર્મ કરું છું.(૧૯-૨૪)

સર્વ પ્રકારના કર્મો પ્રકૃતિના ગુણો ના લીધે થાય છે.
પણ અહંકારી મનુષ્ય એમ માને છે કે ‘સર્વ કર્મો હું જ કરું છું’(૨૭)

જયારે જ્ઞાની મનુષ્ય પ્રકૃતિના ગુણોના વિભાગો અને તેથી થતા કર્મો ને જાણી-
શાંત રહી–કર્મો કરીને પણ તેમાં આશક્ત થતો નથી (૨૮)

(પ્રકૃતિ મુજબ કર્મો કરવાનો નિષેધ નથી પણ કર્મો કરતાં કરતાં માનવી મળેલા 
ફળ માં આશક્ત (રાગ) થાય છે.અને બીજા ઓ ને પાસે કર્મ નું ફળ વધુ છે તેનો દ્વેષ કરતો થઇ જાય છે.)

આ રાગ-દ્વેષ ને વશ ના થવું કારણકે તે અધ્યાત્મમાર્ગ ના વિઘ્નો છે.(૩૪)

પોતાની ફરજ સારી રીતે બજાવી  કલ્યાણકારક  સ્વ-ધર્મ નું આચરણ કરવું જોઈએ.(૩૫)

અર્જુન --
જીવ ને વિષયોની ઈચ્છા ના હોવા છતાં કોણ એને ધકેલીને પાપાચાર કરાવે છે?(૩૬)

કૃષ્ણ--
રજોગુણ થી ઉત્પન્ન થનારો  ‘કામ’રૂપ અગ્નિ મનુષ્યનો નિત્ય નો વેરી છે.
તે જ્ઞાની નું વિવેક્જ્ઞાન ઢાંકી દે છે.(૩૭-૩૯)

ઇન્દ્રિયો ,મન અને બુદ્ધિ આ કામ ના આશ્રય સ્થાન છે.અને શરીરધારી માનવી ને ‘મોહ’ માં નાખે છે.જેથી તેનો ત્યાગ આવશ્યક છે.(૪૦-૪૧)

શરીર થી ઇન્દ્રિયો પર છે,
ઇન્દ્રિયો થી મન પર છે,
મન થી બુદ્ધિ પર છે.અને 
બુદ્ધિ થી પર ‘આત્મા’ છે. (૪૨)

માટે આ આત્માને બુદ્ધિ થી જાણી,
બુદ્ધિ થી મનને વશ કરી,
ઇન્દ્રિયો નો (વિષય)-‘કામ’રૂપી શત્રુનો 
તરત જ નાશ કર (૪૩)

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1