Mar 5, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૩


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           



અધ્યાય-૧૨ -ભક્તિ યોગ

અર્જુન- એ કૃષ્ણ,સાકાર ,સગુણ બ્રહ્મ ની ઉપાસના કરનાર,કે નિરાકાર,નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનાર,આ બે માં થી  ઉત્તમ કોણ?(૧)


કૃષ્ણ-હે અર્જુન,જેઓ મારામાં મન રાખીને, નિત્ય તત્પર રહીને શ્રદ્ધા થી મને ભજે છે,
તે શ્રેષ્ઠ યોગી છે (૨)


નિરાકાર,નિર્ગુણ બ્રહ્મ નીઉપાસના કરનારા દેહધારી પુરુષોને ઉપાસના નું (દમન નું) કષ્ટ થાય છે.અને અવ્યક્ત ગતિ મહાપ્રયાસ થી પ્રાપ્ત થાય છે.(૫)

---માટે તું મારામાં જ મન સ્થિર કર,મારામાં જ બુદ્ધિ પરોવ.એમ કર્યાથી તું મારામાં જ વાસ  કરીશ,એમાં શંકા નથી (૮)

---જો તું આમ ના કરી શકતો હોય તો અભ્યાસ યોગ વડે મને પ્રાપ્ત કર.(૯)

---અભ્યાસ યોગ પણ ના કરી શકતો હોય તો મારે માટે જ કર્મ પરાયણ બન (૧૦)

---જો આમ કરવા પણ તું અસમર્થ હોય તો,મન નો  સંયમ કરી કર્મફળો નો ત્યાગ કરી કર્મ કર (૧૧)

કારણકે અભ્યાસ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે,
જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે,અને
ધ્યાન કરતાં પણ કર્મ ફળોનો ત્યાગ શ્રેષ્ઠ છે.(૧૨)


જે કોઈ નો દ્વેષ નહિ કરનાર,મિત્રભાવે વર્તનાર,દયાળુ,મમતા વિનાનો,અહંકાર વગરનો,સરળ,સુખ દુઃખ ને સમાન માનનાર,ક્ષમાશીલ ,સદા સંતોષી,યોગનિષ્ઠ,ઈન્દ્રિયોને વશમાં રાખનાર,દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં મન બુદ્ધિવાળો હોય છે,તે મારો ભક્ત મને પ્રિય છે (૧૩-૧૪)


જેઓ મારામાં ‘પરમ શ્રધ્ધા ‘ રાખી,મારામાં ‘પરાયણ’ રહી,અત્યાર સુધી માં વર્ણવેલા ‘ધર્મ મય’ અમૃત નું સેવન કરે છે.તે મને પ્રિય છે (૨૦)  

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1