Dec 1, 2012

રામાયણ-૭

      PREVIOUS PAGE
     NEXT PAGE

ભગવાન શંકર -રામાયણ ના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણ ની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણ નો પાઠ કરવો છે.
રામાયણ ના શ્લોક ના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.
તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજી ને ઝગડો ગમતો નથી.

જ્યાં યુદ્ધ નથી,સ્વાર્થ નથી,વાસના નથી,વિષમતા નથી-એ જ અયોધ્યા છે.
જયારે કૈકેયી ના મનમાં વિષમતા,સ્વાર્થ અને વાસના જાગશે –ત્યારે રામ અયોધ્યા છોડી જશે.

શિવજી ના દરબાર માં બળદ અને સિંહ –સાથે બિરાજે છે.
શિવજી નું વાહન નંદિકેશ્વર (બળદ) અને પાર્વતી જી નું વાહન સિંહ છે.
ગણપતિનું વાહન ઉંદર,કાર્તિકેય નું વાહન મોર છે,અને શિવજી ના ગળામાં સર્પ છે.
બધા સામસામા –જન્મસિદ્ધ વેર વાળા પશુઓ વેર-ઝેર ભૂલી -સાથે બેઠા છે.

શિવજી એ કહ્યું કે શ્લોક એક છે- અને લેનાર ત્રણ છે.
શ્લોક અનુષ્ટુપ છંદ માં હતો,તેના અક્ષરો હતા બત્રીશ. એક એક ને દશ –દશ અક્ષરો આપ્યા.
બે અક્ષર વધ્યા-તે શિવજી એ કહ્યું-કે આ બે અક્ષરો હું કોઈને આપીશ નહિ,તે મારા કંઠ માં રાખીશ.

આ બે અક્ષરો છે –તે રામ નું  નામ. સર્વ વેદો નો સાર છે-રામ-નામ.
રામનામ અમૃત કરતા પણ મધુર છે, રામનામ ભવ-રોગ ની દવા છે.
શંકરદાદાને શ્રી ની જરૂર નહિ-એટલે એકલું રામનામ જપે છે, સંસારીઓ એ “શ્રીરામ” નો જપ કરી શકાય.

ભગવાન શંકર રામાયણ ના પ્રધાન આચાર્ય છે. શિવજી જગત ને બતાવે છે-કે-
“ઝેર પી ગયો પણ કંઠ માં રામ-નામ ના પ્રતાપથી ઝેર અમૃત બની ગયું.મને કંઈ થયું નહિ”

જીવન માં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે,
છોકરો મોટો થાય,કહ્યું માને નહિ અને અપમાન કરે તે ઝેર છે. નિંદા-વ્યાધિ-વગેરે વગેરે -ઘણા ઝેર છે.
જયારે આવા પ્રસંગો આવે ત્યારે-
પ્રેમથી શ્રીરામ-શ્રીરામ –બોલવાથી તાળવામાંથી અમૃત ઝરશે અને –ઝેર ત્રાસ આપશે નહિ.
રામનામ નો જપ કરતા હોવાથી સ્મશાન માં પણ શિવજી ને શાંતિ છે.
શિવજી એ કહ્યું છે-રામની કથા કરું છું પણ રામ કેવાં છે-તે હું જાણતો નથી. શિવજી નો આ વિનય છે.

જે જાણે-કે હું કશું જાણતો નથી-અને તેમ સમજી જપ કરે છે-તે જ કંઈ જાણે છે.તેને જ સત્ય જાણવા મળે છે.

અયોધ્યામાં રામજી નું પ્રગટ્ય થયું છે.રામજી લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન –ભાઈઓ જોડે કૌશલ્યા ના આંગણ માં
રમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થયા છે.

રામજી નો ભ્રાત્રુ-પ્રેમ અલૌકિક છે. રામજી એ રમત-ગમતમાં પણ નાના ભાઈઓ ના દિલ દુભવ્યાં નથી.
રમત માં પણ તેમણે કોઈ દિવસ જીત લીધી નથી. તેમણે માનેલું કે –નાના ભાઈઓ ની જીત તે મારી જ જીત છે. રમત માં તે પોતે હાર સ્વીકારે છે.ભાઈઓ ના આંખ ના આંસુ રામજી થી સહન થતા નથી.

પ્રેમ અને માન માગવા નહિ,પણ આપવાં. સર્વને પ્રેમ અને માન આપવાથી પ્રેમ વધે છે.

આજકાલ લોકો રામાયણ વાંચે છે-પણ મિલકત કે પૈસા માટે સગા ભાઈ પર દાવો કરે છે.
મોટો ભાઈ રાવણ જેવો થાય તો નાનો કુંભકર્ણ બનશે. મોટોભાઈ રામ બને તો –નાનો લક્ષ્મણ થશે.

આજે પણ મોટોભાઈ રામ બને તો-નાનો ભાઈ ભરત બને-અને નાનો ભાઈ ભરત બને તો જગત અયોધ્યા
બની જાય.આજે પણ રામ-રાજ્ય થાય.
ભરત ને મળેલું રાજ્ય ભરતજી એ છોડી દીધું છે.ધન્ય છે ભરતજી ને –રાજ્ય મળ્યું-છતાં લીધું નથી.
ભરતજી રાજમહેલ માં રહી તપશ્ચર્યા કરે છે,ચૌદ વર્ષ સુધી,ભરતજી એ અનાજ લીધું નથી,
ધરતી પર સુવે છે.રામજી ની પાવડી ઉપર નજર રાખી જપ કરે છે.

મહાપુરુષોએ વર્ણન કર્યું છે-કે-રામજી કરતા પણ ભરતજી ની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.
આંગણે કોઈ આવે તો ભરતજી તેને મિષ્ટાન્ન જમાડે છે-પણ પોતે જમતા નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE