Dec 1, 2012

રામાયણ-૧૫

      PREVIOUS PAGE
     NEXT PAGE

રામ-લક્ષ્મણ,વિશ્વામિત્ર ની સાથે જનકપુરી માં આવ્યા છે. ગામની બહાર આંબાવાડી માં મુકામ કર્યો છે.

જનકપુરી ના રાજા જનક ને ખબર પડી કે ઋષિ વિશ્વામિત્ર આવ્યા છે-એટલે તેમનું સ્વાગત કરવા તે –
આવ્યા છે.ઋષિ ની સાથે કુમારો ને જોઈને જનક વિચારે છે-કે-આ ઋષિકુમારો છે-કે રાજકુમારો ?
જનક નિશ્ચય કરી શક્યા નહિ. તેમણે વિશ્વામિત્ર ને પૂછ્યું-આ બાળકો કોણ છે ?
વિશ્વામિત્રે કહ્યું કે તમે તો જ્ઞાની છો- તમે જ નિર્ણય કરો કે આ કોણ છે ?

જનકરાજા મહાજ્ઞાની છે. શુકદેવજી જેવા પણ રાજા ને ત્યાં સત્સંગ કરવા આવે છે.
જનક નુ બીજું નામ પડ્યું છે –વિદેહી.
દેહ માં હોવાં છતાં દેહનો ધર્મો જેને સ્પર્શી શકતા નથી-તે વિદેહી. તે જીવતે જીવ મુક્ત છે.
શરીર અને ઇન્દ્રિયોની હયાતી માં જે મુક્તિનો આનંદ અનુભવી શકે તે વિદેહ મુક્તિ છે.

ધર્મરાજાએ જ્ઞાની ની વ્યાખ્યા આપેલી છે-કે- બ્રહ્માનુભવ માં જેને વિષયરસ નુ ભાન ન રહે તે જ્ઞાની.
આસક્તિ અને અભિમાન –એ બંને જીવ ને બંધન કરનાર છે-જ્ઞાની આ બંને ને ત્યજે છે.

ગીતાજી માં કહ્યું છે-
સઘળી ઇન્દ્રિયો પોતપોતાના અર્થો માં વર્તી રહી છે,એમ માની ને જ્ઞાનીઓ કોઈ વિષય માં આસક્ત થતા નથી. તેઓ આ દુનિયામાં સઘળું કાર્ય કરવા છતાં –પોતે કંઈ કરતા નથી-
એમ ભાવના રાખી સર્વ કાર્ય કરે છે.

જનકરાજાએ ત્રાટક કર્યું,ક્ષણ માં તો રામજી ને ઓળખી લીધા છે. બોલ્યા છે-કે-
આ ઋષિકુમાર પણ નથી અને રાજકુમાર પણ નથી,રામ કોઈ માનવ નથી,રામ કોઈ દેવ નથી,પણ-
વેદો-નેતિ નેતિ- કહી જે “બ્રહ્મ” નુ વર્ણન કરે છે-અને શંકરજી જેનું સદાસર્વદા ચિંતન કરે છે-તે-
આ સાક્ષાત પરબ્રહ્મ –પરમાત્મા છે.
વિશ્વામિત્ર પૂછે છે-કે તમને  આ કોણે કહ્યું ?કેવી રીતે તમે આમ કહી શકો છો ?
જનક રાજા કહે છે-કે- મને કોઈએ કહ્યું નથી,મારું મન સતત બ્રહ્મ નુ ચિંતન કરે છે,સંસાર નો કોઈ વિષય
મારા મન ને ખેંચી શકે જ નહિ, આ રામ મારા મન ને ખેંચે છે-તેથી લાગે છે-કે તે ઈશ્વર હોવા જોઈએ.
રામ ઈશ્વર ન હોય તો તે મારા મન નુ આકર્ષણ કરી શકે જ  નહિ.

પોતાનો કેવો વિશ્વાસ ? પોતાના મન પર કેવો વિશ્વાસ !!!

દુષ્યંત –શકુંતલા નુ પ્રથમ મિલન થાય છે-ત્યારે દુષ્યંત શકુંતલા ને પૂછે છે-કે તમે કોણ છો ?
શકુંતલા જવાબ આપે છે-કે-હું ઋષિ-કન્યા છું. દુષ્યંત ત્યારે કહે છે-કે- બ્રાહ્મણ ની કન્યા મારી મા છે,
મારું મન પવિત્ર છે- પણ તને જોયા પછી મારું મન ચંચળ થાય છે,તેથી તું મારી જાત ની કન્યા છે.
તું જો મારી જાતની કન્યા ન હોય તો મારું મન ચંચળ થાય જ નહિ. મારું પવિત્ર મન જ પ્રમાણ છે.  
મેં મનથી કદી પાપ કર્યું નથી!!! (મન પર કેવો વિશ્વાસ ?!!!)
શકુંતલા કહે છે-તમે મહાન પવિત્ર લાગો છો, તમારી વાત સાચી છે.મારા સાચા પિતા ક્ષત્રિય છે.
ઋષિ મારા પાલક પિતા છે. એટલે હું સાચે-ઋષિ કન્યા નહિ પણ ક્ષત્રિય કન્યા છું.

જનકરાજા વિશ્વામિત્ર ને કહે છે-કે-
આજ સુધી હું નિરાકાર બ્રહ્મ નુ ચિંતન કરતો હતો.મને હવે થાય છે-કે-
નિરાકાર નહિ પણ નરાકાર(નર-આકાર) રામનું ધ્યાન કરું.
રામજી ને જોયાં પછી મારું મન રામજી નુ ચિંતન કરે છે-એટલે જ કહું છું કે રામજી ઈશ્વર છે.
નિરાકાર બ્રહ્મ જ આજ સાકાર રામ થયા છે.

વિશ્વામિત્ર કહે છે-રાજા આ તમારી દૃષ્ટિ નો ગુણ  છે.જ્ઞાનીઓ અભેદ ભાવ થી ચિંતન કરે છે.
તમારી દૃષ્ટિ –બ્રહ્મમય છે.તેથી તમને એવું લાગે છે, બાકી આ તો દશરથ ના કુમારો છે.
મારા યજ્ઞ નુ રક્ષણ કરવા તેઓ આવ્યા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE