Apr 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૮૨

જે પ્રમાણે-અગ્નિના અંગારા –ભિન્ન ભિન્ન અને અનેક આકારના હોય,પણ તેમનામાં રહેલી
ઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવોમાં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે) તે બ્રહ્મ શરીરની અંદર પણ છે-અને શરીરની બહાર પણ છે.
દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
ચાર પ્રકારના (જરાયુજ,અંડજ,સ્વેદજ,ઉદ્ભિજ્જ) જુદા જુદા જીવોમાં તેની અખંડ વ્યાપ્તિ છે.

જેમ-હજારો જુદા જુદા ઘડાઓમાં ચંદ્રનું પ્રતિબિંબ જુદું જુદું દેખાય છે,
પણ તેમાં જેમ ભેદ નથી,તેમ બ્રહ્મ સર્વમાં છે.(૧૬)

તે બ્રહ્મ-“આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી.-પણ-
ચરાચર પ્રાણીઓમાં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.

જેવી રીતે-બાલ્યાવસ્થા,તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા-ને એક-જ શરીર આધારભૂત છે,
--સવાર,બપોર અને સાંજ –એ ત્રણ સમય પસાર થાય પણ આકાશને તેનાથી કોઈ ફરક પડતો નથી

તેવી રીતે-
--સૃષ્ટિ ના ઉત્પત્તિ સમયે –જેને- આપણે- બ્રહ્મદેવ -કહીએ છીએ,
--સ્થિતિના સમયે-સર્વ નું પોષણ કરનારને-વિષ્ણુ- કહીએ છીએ,
--લય (નાશ)ના સમયે –જેને –આપણે રુદ્ર (મહેશ) -કહીએ છીએ,
--અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ,સ્થિતિ,લય) -જયારે સમાપ્ત થાય છે-ત્યારે જે “શૂન્ય” હોય છે-
   તેને આપણે –“પ્રકૃતિ” -કહીએ છીએ.
--આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે-તેને “મહાશૂન્ય” કહ્યું છે.
   (શ્રુતિએ વર્ણન કર્યા મુજબ) –આ “મહાશૂન્ય” –તે જ આપણું “જ્ઞેય”-બ્રહ્મ છે......(૧૭)

તે બ્રહ્મ “પ્રકાશોનો પણ પ્રકાશ” એટલે કે-સૂર્યપ્રકાશ –કે જે-સમસ્ત જગતને પ્રકાશ આપે છે-
તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત-તે સૂર્યને પણ પ્રકાશ આપે છે!!!!)
તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર) ની પેલી (બીજી) બાજુએ છે-એમ કહેવાય છે.

તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે,તે જ “જ્ઞેય” છે.
તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને
તે જ સર્વ ના હૃદય માં રહેલો (વિદ્યમાન) છે.

આ રીતે –ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ –જ્ઞાન અને જ્ઞેય વિષે સ્પષ્ટતા કરી.
જેને જાણવાથી, જ્ઞાની ભક્ત,પરમાત્મા ના સ્વરૂપમાં મળી જાય છે (તદ્રુપ થાય છે).(૧૮-૧૯)

અત્યાર સુધીમાં------“સર્વત્ર આત્મા (પરમાત્મા) છે”
આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે –એક જ બ્રહ્મ ના ચાર વિભાગ કરી બતાવ્યા.(ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન,જ્ઞેય)

આટલું કર્યા પછી પણ અર્જુન ને બ્રહ્મ સ્પષ્ટ રીતે જાણવામાં ના આવ્યું-એટલે હવે –
એક બ્રહ્મ ના ચાર ભાગ ને બદલે-અને-તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં-
અર્જુન ને આ વસ્તુ સમજાવવા માટે હવે–શ્રીકૃષ્ણ-
તે –બ્રહ્મ-ના બે ભાગ કરે છે. –પુરુષ અને પ્રકૃતિ.(આત્મા અને અનાત્મા ).

પુરુષ અને પ્રકૃતિ નું જેમાં વર્ણન છે-તે માર્ગ ને “સાંખ્ય માર્ગ” પણ કહે છે.
અને જે સાંખ્યમાર્ગ નું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ અવતાર” થયો હતો.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE