Oct 1, 2013

Sat-Sloki-Gujarati-07

શત-શ્લોકી-07-(આદિ) શંકરાચાર્ય રચિત


ઉપર ની બાબતે વેદો માં એક દૃષ્ટાંત આપેલું છે.
પૂર્વે સનાતિ રાજા નો પુરોહિત-સુબંધુ નામે એક ઉત્તમ બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણો એ કરેલા કપટ-યુક્ત
મારણ ના પ્રયોગ થી મૃત્યુ પામ્યો. અને તેનું મન (સૂક્ષ્મ-શરીર) યમરાજા પાસે ગયું.
આ મન (સૂક્ષ્મ-શરીર) ને તેના ભાઈ એ વેદોક્ત-મંત્ર થી પાછું આણ્યું હતું.(ઋગ્વેદ-સૂક્ત)
માટે સિદ્ધ થાય છે કે-આત્મા (ના પ્રતિબિંબ) વાળું મન જ જાય છે ને આવે છે.પણ
આત્મા ક્યાંય આવતો કે જતો નથી. (૨૯)

આ જ ઉપર ની વસ્તુ નું બીજું એક લૌકિક દૃષ્ટાંત છે.
જેમ -પવન થી ઉત્પન્ન થયેલા પાણી નાં મોજાં સાથે પાણી પણ ચારે બાજુ દોડે છે.અને તે પાણી,
મોજાં ની અંદર,આગળ,પાછળ સર્વ જગ્યાએ રહેલું જ છે,
(તે પાણી માત્ર મોજાં –રૂપે દેખાય છે,પણ તે મોજામાં પાણી નથી),
પછી તે મોજાં અત્યંત શાંત થાય છે,ત્યારે તે પાણી પ્રથમ હતું તેવું જ દેખાય છે.
તેમ-આત્મા એક જ છે અને તે ક્રિયાઓ (હલનચલન-અવરજવર) વગરનો છે,
તો પણ દોડતા મન સાથે (તેમાં પ્રતિબિંબ-રૂપે રહીને,જાણે કે) દોડે છે. અને તે
મન ની અંદર,આગળ,પાછળ (પ્રતિબિંબ-રૂપે) અનુસરી રહ્યો જ હોય છે,
(તે આત્મા મન-રૂપે દેખાય છે પણ તે મન માં આત્મા હોતો નથી)
છતાં આંખ વગેરે ઇન્દ્રિયો તેને (તે આત્મા ને) જાણી શકતી નથી.(પણ પછી જયારે જ્ઞાન થાય છે,ત્યારે મન ની દોડ શાંત થતાં –આત્મા-પોતાને એક જ અને નિષ્ક્રિય સ્વરૂપે રહેલો દેખાય છે)  (૩૦)

તે અંતરાત્મા (જીવ) પહેલાં તો એક જ હતો,પણ પાછળથી,સ્ત્રી,પ્રજા,ધન અને ઘર જેવા વિષયો ની
શોધ માં નીકળી પડે છે.અને તે માટે શરીરમાં માત્ર પ્રાણ જ બાકી રહે –એવી મહેનત-મજૂરી કરી,
દુઃખો સહન કરી કર્મો કરે છે.
અને એવે સમયે,તે મનુષ્ય, તેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ હોય,કે બીજું કોઈ તેનાથી શ્રેષ્ઠ કર્મો કરે છે,
એવું માનવા તે તૈયાર નથી હોતો.અને ઉપર ના વિષયો માં થી એકાદ પણ જો મળવાનો બાકી રહી જાય તો તે મનુષ્ય પોતાને અપૂર્ણ ગણે છે,વળી જો મળેલા વિષયોમાંથી કોઈ નો નાશ થાય તો,અત્યંત દુઃખી થઇ ને જગત નો જાણે અંત આવી ગયો હોય,તેવો દુઃખી થઇ ને શૂન્ય સ્થિતિમાં જઈ પડે છે (૩૧)

વિશાળ સુર્યને ઢાંકી દેનાર મેઘ,પહેલાં નહોતો કે પાછળ થી પણ નથી,
છતાં વચ્ચે ના ભાગમાં (વર્ષાઋતુ માં) તે દેખાય છે, અને ખરી રીતે તો તે જોનાર ની દૃષ્ટિ ને જ તે
ઢાંકી દે છે,સૂર્ય ને નહિ. જો એમ ના હોત તો,
તે મેઘ,સૂર્ય ના પ્રકાશ વગર શાથી પ્રકાશે છે ? (શાથી દેખાય-જણાય છે?)
મેઘ નો પ્રકાશક સૂર્ય તેનાથી (તે મેઘ થી) ઢંકાતો નથી તેથી જ તે દેખાય છે.
તે જ પ્રમાણે જગત પૂર્વે નહોતું અને પાછળ થી પણ છે જ નહિ,છતાં વચ્ચે જણાઈ ને,
ઇન્દ્રજાલ ની પેઠે,જોનાર ની દૃષ્ટિ ને ઢાંકી દે છે,પરંતુ,
તે જગત પોતાના પ્રકાશક અને પરબ્રહ્મ (પરમાત્મા-આત્મા) ને ઢાંકી શકતું નથી.  (૩૨)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE