Oct 1, 2013

Sat-Sloki-Gujarati-08

શત-શ્લોકી-08-(આદિ) શંકરાચાર્ય રચિત

આ બધું (જગત) એ સ્વપ્નના જેવું છે.
કોઈ મનુષ્ય સ્વપ્ન નું રાજ્ય ભોગવતો હોય અને સંપૂર્ણ વૈભવો ને પામ્યો હોય,પણ પછી જાગ્રત
અવસ્થા થાય ત્યારે “અરે રે મેં બધું રાજ્ય સુખ ગુમાવ્યું” એમ માની શોક પામતો નથી,
કારણકે તે સ્વપ્ન-રાજ્ય ને જુઠ્ઠું માને છે.એ જ પ્રમાણે,સ્વપ્ન માં તે કોઈ અગમ્ય સ્ત્રી સાથે સુખ ભોગવતો
પાપ કરી રહ્યો હોય,તેમ છતાં જાગ્યા પછી તે પાપ નું પ્રાયશ્ચિત્ત કરતો નથી,
કારણકે તે માને છે કે તે સ્વપ્ન હતું અને જુઠ્ઠું હતું.
એ રીતે જાગ્રત અવસ્થામાં સમગ્ર વ્યવહાર(જગત ને) સ્વપ્ન જેવો જ મિથ્યા (જુઠ્ઠો) માની,જે મનુષ્ય,
તે જગત ને ભૂલી જાય,તો એ જાગ્રત-દશાના દોષ થી દોષ વાળો ન જ બને (હર્ષશોક ન જ પામે) (૩૩)

સ્વપનાવસ્થામાં અનુભવેલું સારું કે ખરાબ –એ જાગ્રત અવસ્થામાં જુઠ્ઠું જણાય છે,(જુઠ્ઠું માનવામાં આવે છે)
અને જાગ્રત અવસ્થામાં વ્યવહાર નો વિષય જણાતું સ્થૂળ શરીર સ્વપ્ન ના સમયે જુઠ્ઠું જણાય છે.
આમ બંને પ્રકારે (બંને અવસ્થામાં) દેખાતું જગત મિથ્યા છે એમ સિદ્ધ થાય છે.
અને તે બંને અવસ્થાઓ નો (તથા તે બંને  અવસ્થાઓ અનુભવતાં સ્થૂળ-સૂક્ષ્મ શરીરોનો)
પ્રકાશક આ આત્મા (પરમાત્મા) જ કેવળ સત્ય-સ્વ-રૂપે (બ્રહ્મ-રૂપે) સાબિત થાય છે,
છતાં મૂઢ-અજ્ઞાની, તે જગત માં (અથવા તે જગતના વ્યવહાર ના વિષય-શરીરમાં)
કાયા કારણથી આસક્ત થાય છે તે અમે સમજી શકતા નથી. (૩૪)

જયારે સ્વપ્નાવસ્થામાં કોઈ મનુષ્ય તેના સંબંધી ને મરેલો જુએ છે ત્યારે તે અત્યંત ખેદ પામે છે,
પણ તે જ મનુષ્ય જયારે જાગે છે અને પોતાના તે સંબંધી ને જીવતો જુએ છે ત્યારે તે હર્ષ પામે છે.
અને તે સંબંધી નું સ્વપ્ન અવસ્થામાં મરણ પોતાને યાદ હોય છે,છતાં તેની સાથે વાતચીત કરે છે.
વાતચીત કરતી વખતે તેને ખબર છે કે તે પોતાનો તે સંબધી (અને પોતાનું પણ) મરણ નક્કી જ છે.

આમ બંને અવસ્થા ના મિથ્યા-તત્વ નો પોતાને અનુભવ છે છતાં,
જાગ્રત સમયે જે સત્યપણું માને છે,તે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા કરતાં વધુ વખત રહે છે,
તે (જાગ્રત અવસ્થા નું સત્યપણું માનવાનું) કારણ છે (હકીકત માં તે સત્ય નથી મિથ્યા જ છે) અને
સ્વપ્ન અવસ્થા નું જે મિથ્યાપણું માને છે,તે સ્વપ્ન અવસ્થા,જાગ્રત અવસ્થા કરતાં ઓછો વખત રહે છે,
તે (સ્વપ્ન અવસ્થા નું મિથ્યા પણું માનવાનું) કારણ છે.
પણ સત્ય માં તો આ બંને અવસ્થાઓ જૂઠી (મિથ્યા) જ છે.   (૩૫)

સ્વપ્ન માં પ્રાપ્ત થયેલ સ્ત્રી-સંગ નું સુખ અત્યંત જુઠું છે,તેમ છતાં સ્ખલન (સ્વપ્ન-દોષ) નો ડાઘ
દેખાય છે,તે જ પ્રમાણે જગત નું કારણ (માયા) મિથ્યા છે,છતાં આ જગત પ્રકાશે છે,દેખાય છે,
અને સત્ય હોય તેવું જણાય પણ છે.
જેમ સ્વપ્ન માં પુરુષ સાચો છે (પુરુષ નું શરીર સાચું છે),પણ સ્વપ્ન ની સ્ત્રી જૂઠી છે (સ્ત્રી ત્યાં છે જ નહિ)
તેથી તે બંને નો સમાગમ પણ ખોટો જ છે.પણ તે સમાગમ (સ્ત્રી સંગ) ની કલ્પના માત્ર છે.
તેમ વ્યવહાર માં સત્ય જણાતા આ જગત નું મૂળમાત્ર કલ્પના જ છે. (૩૬)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE