Oct 1, 2013

Sat-Sloki-Gujarati-09

શત-શ્લોકી-09-(આદિ) શંકરાચાર્ય રચિત

જીવો દરરોજ સુષુપ્તિમાં (ઊંઘમાં) કે સ્વપ્ન ના સમયે આત્મા નો આનંદ અનુભવે છે,છતાં,
ઇન્દ્રિયો ના સમુદાય વિના કેવળ માયા સાથે ક્રીડા કરતા એ આત્મા ને કોઈ જાણતું  નથી,
વળી જીવો, પોતાની,જાગ્રત અવસ્થામાં પદાર્થો ના સમૂહોને,જીવો ના પ્રકાશક અને સંચાલકને-એ બધાને
જુએ છે,આમ છતાં તે આત્મા (પરમાત્મા) ને કોઈ જાણતું નથી તે આશ્ચર્ય છે.(૩૭)

સ્વપ્ન માં કાનથી સાંભળેલો મંત્ર નો ઉપદેશ ઘણી વખત જાગ્રત સમયે સત્ય થાય છે,અને
સ્વપ્ન માં જ થયેલી કોઈ દૈવી-કૃપાથી કોઈ વાર સવારમાં ઇચ્છિત ફળ સત્ય-સ્વ-રૂપે પ્રાપ્ત થાય છે,
આમ અસત્ય થી (સ્વપ્નથી) પણ સત્ય ની ઘણી વખત પ્રાપ્તિ થાય છે,
તેમ,(તો પછી) વેદ-ગુરૂ વગેરે ના ઉપદેશથી સત્ય-પરબ્રહ્મ ની પ્રાપ્તિ કેમ ના થાય? થાય જ.

આમ,જેને લીધે આ સર્વ સ્થાવર-જંગમ,નાના-મોટા દૃશ્ય પદાર્થો પ્રકાશે છે,તે બ્રહ્મ સ્વયંપ્રકાશ જ છે
એમાં કોઈ શંકા નથી. (૩૮)

સુષુપ્તિ (નિંદ્રા) ના સમયે,અગ્નિ-સૂર્ય વગેરે “ઇન્દ્રિયો ના દેવો” પોતાની ઉત્પત્તિ નું કારણ-
“પ્રાણ” માં પ્રવેશી ને તેમાં લય થાય છે.
“ઇન્દ્રિયો અને તેના વિષયો” પણ આ જ રીતે “પ્રાણ-વાયુ” માં લય થાય છે,
આમ સર્વ નો લય કહેવામાં આવ્યો છે,
પણ પ્રાણ (પ્રાણવાયુ) નો પોતાનો લય કહ્યો નથી.

પછી જાગૃતિ ના સમયે,તે ઇન્દ્રિયો-વગેરે થી દ્રશ્ય પદાર્થો દેખાય છે,(અહેસાસ થાય છે) તે તો,
છીપ માં ભ્રાંતિ થી દેખાતા ચાંદી ના -જેવો ભ્રમ જ છે.
આમ જેને અનુભવ પૂર્વક જાણ્યું છે,તેને જ વેદાંત માં “પ્રાણાયામવ્રત” માન્યું છે.
આ સિવાય બીજું કોઈ આત્મા ની પ્રાપ્તિ માટે નું વ્રત નથી.  (૩૯)

જેમ, ભીનાં (લીલાં) લાકડાંને અગ્નિ એકદમ સ્પર્શ કરતો નથી,પણ તાપ થી સૂકાયેલાં લાકડાંને
અગ્નિ જલ્દી સ્પર્શ કરે છે અને તેમને બાળી નાખે છે,
તેમ,આ ચિત્ત (મન) જો વિષય વાસનાઓથી ભીનું હોય તો જ્ઞાન-રૂપી અગ્નિ તેને સ્પર્શ કરતો નથી,
પરંતુ વૈરાગ્ય દ્વારા જો તે સુકાઈ ગયું હોય (વિષય-વાસના વગરનું થયું હોય) તો,
જ્ઞાન-રૂપી અગ્નિ તેને તરત જ સ્પર્શે છે અને તરત (વિષય-વાસનાઓ ને) બાળી નાખે છે.

માટે શુદ્ધ વૈરાગ્ય ને ચિત્ત-શુદ્ધિ માં પ્રથમ કારણ કહેલ છે,
કારણકે તેનાથી જ જ્ઞાન-વિજ્ઞાન ની સિદ્ધિ થાય છે. (૪૦)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE