Oct 1, 2013

Sat-Sloki-Gujarati-10

શત-શ્લોકી-10-(આદિ) શંકરાચાર્ય રચિત

નામ અને રૂપ વાળી,જે કંઈ વસ્તુ પૃથ્વી પર પ્રગટ થયેલી ભાસે છે, તે,જે (ઈશ્વર) ને લીધે પ્રકાશે છે,તે-
-અને જેના (પરમાત્માના) લીધે આ જગત અનેક પ્રકારના વ્યવહારો કરી રહ્યું છે-તે-
પરમાત્મા (ઈશ્વર) વડે આ સર્વ જગત ઢાંકી શકાય છે.(એટલે કે બધું પરમાત્મા જ છે)

આ “સત્ય જ્ઞાન” (સર્વ પરમાત્મા મય છે) થી જગત અદૃશ્ય થઇ શકે છે.
જેમ,દોરડીમાં ભ્રાંતિ થી દેખાતો સર્પ,દોરી ના સાચા જ્ઞાનથી દૂર કરી શકાય છે,
તેમ,મિથ્યા જગત નો ત્યાગ કરી,ધન-વગેરે જેવા મિથ્યા પદાર્થ ની લાલચ ના રાખી,નિવૃત્તિમય બની,
આ જગત જેના આધારે છે તે બ્રહ્મ ને મેળવી,તે બ્રહ્મ-સુખ ભોગવ. (૪૧)

સંસાર માંથી છૂટવા ઇચ્છનારે બે પ્રકાર ની મુક્તિ મેળવવી જોઈએ.
પહેલી –જીવન મુક્તિ અને વિદેહ (આત્યંતિકી) મુક્તિ.
આ બંને મુક્તિ-(૧) સદગુરૂ ના સંગ માં રહી અભ્યાસથી અથવા (૨) જ્ઞાન-યોગ થી પ્રાપ્ત થાય છે.
આમાં અભ્યાસ સ્થાનો ના ભેદને લીધે બે પ્રકાર નો છે.(૧) શારીરિક અભ્યાસ (૨) માનસિક અભ્યાસ

આસનો-વગેરે નો અભ્યાસ તે શારીરિક અભ્યાસ અને સંસાર પર થી મન ની ઉપરતિ (અટકી-હટી-જવું)
તે માનસિક અભ્યાસ છે. જ્ઞાનયોગ તો આગળ કહેવાયો જ છે. (૪૨)
ઊંડા નાંખેલા ખીલાઓ ની પેઠે,હૃદય માં ઘર કરી ને બેઠેલી વિષય-વાસનાઓ ને મૂળમાંથી ઉખેડી નાંખી,
જેણે દેહાભિમાન નો નાશ કર્યો હોય,અને આત્મામાં જ જેણે લક્ષ્ય કર્યું હોય,
તેવા,જીવન-મુક્ત પુરુષ ની મન ની ચપળતાઓ નો નાશ થાય છે,(ચપળતાનો ત્યાગ થાય છે) અને

પુણ્ય નો સમૂહ જેણે આચર્યો છે તે (એટલે કે જેણે બહુ પુણ્ય કર્યા છે તે)
આત્મ સુખ ગ્રહણ કરતો,
કાળી,ધોળી અને લાલ નાડીઓ વડે બનેલા રંગબેરંગી –ઉચ્ચ ઉર્ધ્વસ્થાન –બ્રહ્મરંઘ્ર સુધી,
(સુષુમ્ણા નાડી દ્વારા) ગતિ કરે છે,કે જે સ્થાને અમૃત નો ધોધ વહી રહ્યો છે.  (૪૩)

એ જીવન-મુક્ત પુરુષ કે જેને જગત ને આત્મા-રૂપે જ જોયું હોય છે,તે આ જગતમાં શોક-મોહ વગેરે થી,
રહિત થયો હોય છે,અને સર્વજ્ઞ થઇ સર્વ સિદ્ધિ ઓનું સ્થાન બ્રહ્મ(હિરણ્યગર્ભ) ને પ્રાપ્ત થાય છે.

પછી સ્થૂળ-સૂક્ષ્મ-વગેરે શરીર ને પણ વિસરી જઈ સર્વ સંકલ્પો થી રહિત થયેલો પુરુષ,
પુણ્ય-પાપ થી રહિત થઇ તુરીય-પદ (પર-બ્રહ્મ) ને પામે છે.(કેવળ સાક્ષી-રૂપે રહે છે)  (૪૪)


PREVIOUS PAGE                INDEX  PAGE           NEXT PAGE