Oct 1, 2013

Sat-Sloki-Gujarati-11

શત-શ્લોકી-11-(આદિ) શંકરાચાર્ય રચિત

જે આ જીવ છે તે, તે બ્રહ્મ ની સત્વાકાર(સાત્વિક) વૃત્તિમાં પ્રતિબિંબ રૂપે (આત્મા-જીવ-રૂપે) પ્રગટે છે,અને
આ પ્રગટ જીવ (જીવાત્મા),દેહ અને દેહના ધર્મો (બાળપણ,યુવાની.વૃદ્ધપણું) ના આવરણ થી યુક્ત હોય છે.
પણ તે (આત્મા=પરમાત્મા=બ્રહ્મને) આ દેહ અને દેહના ધર્મો ની અસર થતી નથી જ.
તે (આત્મા) દેહ (પ્રાણ) રૂપે પ્રગટ થયેલો હોવાં છતાં શુદ્ધ બ્રહ્મ-રૂપે હોઈ,તેને બ્રહ્મ-રૂપે પામી શકાય છે.
(બ્રહ્મ-રૂપ કરી શકાય છે)

સત્ય સંકલ્પો કરનાર અને નિપુણ બુદ્ધિ વાળા પુરુષો અભ્યાસથી,તેને (આત્મા ને) દિવ્ય-બ્રહ્મ-રૂપ કરે છે,
અને શુદ્ધ મન ની સાથે ઉચ્ચ ભૂમિકાઓમાં લઇ જાય છે.(૪૫)

અને તે વેળા તે જીવન-મુક્ત પુરુષ કામનાઓથી રહિત થયો હોય છે,અને તેની અભિલાષાઓ (ઇચ્છાઓ)
અસ્ત પામી હોય છે, છતાં,પરમસુખ ની પ્રાપ્તિ માટે કેવળ આત્મ-સ્વ-રૂપ થવાની જ ઈચ્છા તો હોય છે જ.
અને છેવટે તે પરમ-સુખ પ્રાપ્ત થયા પછી,પૂર્ણ નિષ્કામ થઇ,જ્ઞાન ની છેલ્લી દશામાં (ભૂમિકામાં)
સ્થિત રહે છે, અને તે પછી દેહના અંત સમયે ઇન્દ્રિયો સહિત તેના પ્રાણો શરીર માંથી બહાર નીકળતા નથી,
(બીજા અજ્ઞાનીઓ ની જેમ પુનર્જન્મ લેવા માટે).પણ તે પ્રાણો અનુક્રમે પોતપોતાના કારણો માં લય પામે છે. તે વેળા પાણીમાં જેમ મીઠું એકરૂપ થઇ ઓગળી જાય છે,તેમ બ્રહ્મ માં લય પામી પાછળથી (પછી થી)
તે એક અખંડ આત્મા (પરમાત્મા) રૂપે જ રહે છે. (૪૬)

જેમ,સમુદ્ર નું પાણી જયારે ગાંગડા-રૂપે થયું હોય છે ત્યારે તે “સૈન્ધવ” (મીઠું) તેવું નામ પામે છે.
પણ તેને સમુદ્રના પાણીમાં પાછું નાંખી દીધું હોય તો તે
તેમાં ઓગળી જઈ  ને તેના નામ-રૂપ નો ત્યાગ કર છે,  
તેમ,જ્ઞાની પુરુષ દેહનો (નામ-રૂપ નો) ત્યાગ કર્યા પછી,પરમાત્મા માં લય પામે છે,
એક-સ્વ-રૂપ થઇ જાય છે,
એ વેળા,ચિત્ત (મન)- ચંદ્ર-માં,વાણી-અગ્નિમાં,ચક્ષુ-સૂર્યમાં,લોહી અને વીર્ય- જળમાં,અને
શ્રોત્ર (ઇન્દ્રિય)-દિશાઓમાં લય પામે છે. (૪૭)

જેમ,દૂધમાં ઘી ની મીઠાશ જણાય છે,પણ તે ઘી જયારે દૂધથી અલગ થાય છે,ત્યારેજ તે શુદ્ધ ઘી-રૂપે જણાય છે, (દૂધમાં રહેલું ઘી દેખી શકાતું નથી,માત્ર મીઠાશ રૂપે અનુભવી શકાય છે)
તેમ,સર્વ પ્રાણીઓમાં રહેલું બ્રહ્મ (આત્મા-રૂપે),તે પ્રાણીઓના હલન-ચલન-વગેરે વ્યવહારોથી
જણાયેલું હોઈ દેખી કે અનુભવી શકાતું નથી,
પણ, જયારે સુષુપ્તિ માં (ઊંઘમાં) જેમ થાકેલાને વિશ્રાંતિ (આનંદ)મળે છે,તેના મૂળ કારણ-રૂપે,
(એટલે કે સુષુપ્તિમાં ઇન્દ્રિયો ના વિષયો શાંત થવાથી શુદ્ધ આત્મા પ્રગટ થવાથી આનંદ મળે છે-તેમ)
તે પ્રાણીઓ માં જુદા જુદા બ્રહ્મ (જુદા જુદા આત્મ) સ્વ-રૂપે જણાય છે.

આ શુદ્ધ આત્મા ને (અભ્યાસથી) પામી ને જ્ઞાની પુરુષ,બીજા સર્વ લાભ ને તણખલાં જેવા માને છે.
અને તેવી સ્થિતિ માં ,સંસાર-રૂપ ભય કદી ઉપજતો જ નથી,
આવો,આત્મા કે જે ગાઢ-આનંદ-સ્વ-રૂપ હોઈ,તેવો તે,સર્વ ના હૃદયમાં આત્મા-રૂપે પ્રકાશે છે,
તે,જ બ્રહ્મ (આત્મા=પરમાત્મા) ને તું અમર જાણ,એ સિવાય બીજા ને તું નાશવંત માન. (૪૮)


PREVIOUS PAGE                      INDEX  PAGE                 NEXT  PAGE