Dec 19, 2013

Gujarati-Gita-Bhagvad Gita--As It Is-16-Daivasur Sampdvibhag Yog

ગીતા-ભગવદગીતા-તેના મૂળ રૂપે-ગુજરાતી--
અધ્યાય-16-દૈવાસુર- સંપદ્વિભાગ- યોગ




શ્રી ભગવાન કહે : અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, 
વેદોનું પઠન-મનન, તપ , સરળતા;(૧)


અહિંસા, સત્ય, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી તે, સર્વ પ્રાણી માત્ર પર દયા, 
ઇન્દ્રિયોનું નિર્વિકારપણું, નમ્રતા, લોકલાજ અને સ્થિરતા;(૨)


તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે બધા --
દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે.(૩)


હે પાર્થ ! દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો
આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલાં હોય છે.(૪)


દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે જયારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે.
હે પાંડવ ! તું વિષાદ ન કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે.(૫)


હે પાર્થ ! આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકારના સ્વભાવ છે. દૈવી સ્વભાવ અને આસુરી સ્વભાવ,
એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તાર પૂર્વક કહેલો છે. એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ.(૬)


આસુરી વૃતિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃતિને સમજતા નથી. અને તેમનામાં પ્રવિત્રતા હોતી નથી.
તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે.(૭)


તે આસુરી મનુષ્યો જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, ઈશ્વર વગરનું, એક બીજાના સંયોગથી ઉત્પન્ન થયેલું,
કામ ના હેતુ વાળું કહે છે. તેઓ માને છે કે આ જગતનું કામ ના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે?(૮)


આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલાં, અલ્પબુદ્ધિ વાળા, 
હિંસાદિ ઉગ્ર કર્મો કરનારા તે આસુરી મનુષ્યો જગતના નાશ માટે જ પ્રવર્તે છે.(૯)


તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ,માન તથા મદથી યુક્ત થયેલા,
અપવિત્ર વ્રતવાળા, અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે.(૧૦)


તથા મૃત્યુ પ્રયન્ત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા, વિષયભોગને પરમ પુરુષાર્થ માનનારા –
એ પ્રમાણે નિશ્વય કરનારા હોય છે.(૧૧)    


આશારૂપી સેંકડો પાશ વડે બંધાયેલા, કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષયભોગ ભોગવવા 
અને અન્યાય થી ધનનો સંચય ઇચ્છનારા હોય છે.(૧૨)


આમે આજે મેળવ્યું, કાલે હું આ સાધ્ય કરીશ,આટલું ધન હાલ મારી પાસે છે.
અને બીજું પણ ફરીથી વધારે મળવાનું છે.(૧૩)


આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ.હું અતિ સમર્થ છું,હું ઈશ્વર છું,હું ભોગી છું,હું સિદ્ધિ છું.
હું બળવાન અને સુખી છું.(૧૪)


હું ધનાઢ્ય છું, કુલીન છું, આ જગત માં મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ.
નટાદિ લોકોને વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ.આમ તેઓ અતિ મૂઢ થઇ બક્યા કરે છે.(૧૫)


હું ધનવાન છું,હું કુળવાન  છું, મારા જેવો અન્ય કોણ હોઈ શકે ? હું યજ્ઞ કરીશ,હું દાન આપીશ, આ પ્રકારે આસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલા હોય છે.(૧૬) 


પોતેજ પોતાની પ્રશંસા કરનાર, અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉન્મત્ત બનેલા 
આવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળ દંભથી જ યજ્ઞકાર્યો  કરે છે.(૧૭) 


અહંતા, બળ,ગર્વ, કામ તથાં ક્રોધનો આશ્રય લઇ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા મારો 
(ઈશ્વરનો ) દ્વેષ કરે છે.વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી.(૧૮)


તે સાધુઓનો દ્વેષ કરનારા, પાપી નરાધમો ને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું.(૧૯)


હે કાન્તેય ! આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતાં થતાં મને ન પામતા 
ઉતરોત્તર અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે.(૨૦)


કામ,  ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તી ન થવા દેનારા નરક નાં
ત્રણ દ્વારો છે.માટે એ  ત્રણેનો ત્યાગ કરવો.(૨૧)


હે કાન્તેય ! નરક નાં આ ત્રણે દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઇ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે 
અને ઉતમ ગતિ ને પ્રાપ્ત થાય છે.(૨૨)


જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, 
તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી.(૨૩) 


માટે કાર્ય અને અકાર્ય નો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી
લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે.


અધ્યાય-૧૬-દૈવાસુર- સંપદ્વિભાગ- યોગ-સમાપ્ત


      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE