Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-5

એ પ્રમાણે-આત્મા અને શરીરના-સ્વરૂપ ને,  તર્કશાસ્ત્રે,આ પ્રપંચ-જગત ને જે સત્ય કહ્યું છે,
--તેથી તેણે વળી શું પુરુષાર્થ કર્યો છે?(શું નવું કહ્યું છે?)    (૪૧)


દેહ અને આત્મા જુદાજુદા છે એમ કહી ને અમે દેહને આત્મા કહેવાની ના પાડી, અને હવે,
--આત્મા સિવાય દેહ એ કોઈ વસ્તુ નથી,એ પણ અમે સ્પષ્ટ કહીએ છીએ. (૪૨)


ચેતન-આત્મા નું એક જ સ્વરૂપ હોવાથી,એ સિવાય બીજી કોઈ વસ્તુ ને માનવી,તે કદી યોગ્ય નથી,
--જેમ દોરડીમાં ભ્રમ થી સાપ દેખાય,તે ખોટો છે,
--તેમ અજ્ઞાનથી (માયાથી) આત્મામાં જીવ-પણું જે ભાસે છે,તેને ખોટું જ સમજવું. (૪૩)


જેમ અજ્ઞાન (ભ્રમ) ને લીધે દોરડી પોતે જ ક્ષણવારમાં સાપણ રૂપે ભાસે છે,
--તેમ અજ્ઞાન ને લીધે કેવળ ચૈતન્ય બ્રહ્મ જ પ્રત્યક્ષ જગત-રૂપે ભાસે છે. (૪૪)


જગતનું મૂળ કારણ બ્રહ્મ થી જુદું નથી, તેથી,આ સર્વ જગત બ્રહ્મ જ છે,એનાથી જુદું નથી. (૪૫)


“સર્વાત્મા” એટલે કે-“બધું બ્રહ્મ જ છે”  આવી વેદ ની આજ્ઞા છે, એટલે
--“બ્રહ્મ બધી “વ્યાપ્ય-વસ્તુઓ” માં “વ્યાપક-રૂપે” રહેલું  છે,એમ કહેવું ખોટું જ છે,કારણકે-
--“બધું બ્રહ્મ છે” એવું પરમ તત્વ જણાયા પછી,”વ્યાપ્ય-વસ્તુઓ” નો સંભવ જ ક્યાં છે? (૪૬)


વેદે પોતાના મુખે જ “ભેદ” ની ના પાડી છે,અને કહે છે-કે-”બ્રહ્મ” એક જ –“કારણ” રૂપે રહેલું છે,
--તો પછી બીજો (વ્યાપ્ય-વસ્તુઓ નો) ભાસ કેવી રીતે હોય?   (૪૭)


“માયાથી ઠગાયેલો જે મનુષ્ય,આ જગતમાં “ભેદભાવ” જુએ છે તે મરણ પછી પણ મરણ ને પામ્યા કરે છે”
--આ રીતે વેદે “બ્રહ્મ” સિવાય બીજી કોઈ “વસ્તુ” છે એમ માનવામાં દોષ પણ દર્શાવ્યો છે (૪૮)


પરમાત્મા એટલે કે “બ્રહ્મ” થી જ બધું જગત (વસ્તુ) ઉત્પન્ન થાય છે,
--માટે “આ બધું બ્રહ્મ જ છે” - એવો નિશ્ચય કરવો. (૪૯)


બધાં “નામો,રૂપો” અને દરેક પ્રકાર નાં “કર્મો”ને  –એ “બ્રહ્મ” ધારણ કરે છે- એમ વેદે કહ્યું છે.  (૫૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE