Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-4

આત્મા “હું” (અહં)-એવા શબ્દ થી પ્રખ્યાત,”એક” અને સૌથી જુદો છે, જયારે
--દેહ તો સ્થૂળ હોવાથી,”અનેક” પણું પામ્યો છે,તો તે (દેહ) આત્મા કઈ રીતે હોઈ શકે? (૩૧)


“હું” (આત્મા) એ બધી વસ્તુઓ ના જોનાર (દ્રષ્ટા) રૂપે સિદ્ધ છું, જયારે,
--દેહ તો જોવા યોગ્ય વસ્તુ (દૃશ્ય) તરીકે રહ્યો છે,અને “આ મારો દેહ” એમ કહેવાય (બતાવાય) છે,
--તેથી આ (દ્રશ્ય) એવો દેહ, તે આત્મા કઈ રીતે હોઈ શકે?  (૩૨)


“હું” (આત્મા) એ વિકાર વગરનો છું,જયારે,
--દેહ તો વિકાર વાળો અને પ્રત્યક્ષ જણાય છે,તો તે દેહ “આત્મા” કઈ રીતે હોઈ શકે? (૩૩)


હે,મૂર્ખ (અજ્ઞાની), “યસ્માન પરં” એ પ્રસિદ્ધ વેદમંત્રે આત્મા ના સ્વ-રૂપ નો બરાબર નિર્ણય કર્યો છે,
--તો પછી “દેહ” એ આત્મા કઈ રીતે હોઈ શકે? (૩૪)

(તૈતિરીય ઉપનિષદ માં આવતો “યસ્માન પરં” નો અર્થ એ છે કે-જે આત્મા ની પહેલાં કાંઇ નહોતું અને
જે (આત્મા) ની પછી પણ કાંઇ નથી (નિત્ય),જેનાથી નાનું કે મોટું કાંઇ નથી,અને જે એક વૃક્ષ ની જેમ અચળ રહે છે,અને તેમ છતાં સર્વ ઠેકાણે રહેલો છે.)


“પુરુષ-સૂક્ત” માં પણ વેદે કહ્યું છે કે-“પુરુષ એવેદમ્ સર્વં” – આ બધું પુરુષ (આત્મા) જ છે,
--તો પછી, આ દેહ એ આત્મા કેમ હોઈ શકે?  (૩૫)

“બૃહદારણ્યક ઉપનિષદ” માં પણ કહ્યું છે,કે –“અસંગઃ પુરુષઃ” –આત્મા ને કોઈ વસ્તુ નો સંગ નથી,જયારે
--દેહ તો અનેક જાતના મળથી ભરેલો છે તો તે દેહ આત્મા કેમ હોઈ શકે? (૩૬)

વળી એ જ ઉપનિષદ માં કહ્યું છે કે-“સ્વયં જ્યોતિરિહ્ પુરુષઃ” –આત્મા “સ્વયં-પ્રકાશ” છે.જયારે,
--આ દેહ તો જડ છે ને આત્મા ના જ્ઞાનથી જ તેને જાણી શકાય છે,(એને પોતાની મેળે જ્ઞાન થતું નથી)
--તો એવો એ દેહ તે આત્મા કેમ હોઈ શકે? (૩૭)


વેદ ના ‘કર્મકાંડ” વિભાગ માં પણ કહ્યું છે કે-આત્મા એ દેહ થી જુદો છે,નિત્ય છે અને
--સ્થૂળ શરીર (દેહ) પડ્યા પછી કર્મો નું ફળ ભોગવે છે. (૩૮)


સૂક્ષ્મ શરીર (મન,બુદ્ધિ,પ્રાણ-વગેરે) એ અનેક સાથે સંબંધવાળું,ચંચળ,દૃશ્ય,વિકાર વાળું,અવ્યાપક,અને
--અમુક માપ માં જ રહેનારું અને મિથ્યા છે -તો તે  શરીર આત્મા કેમ હોઈ શકે?(૩૯)


આમ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર –એ બંને થી જુદો,તે સર્વ પર કાબુ રાખનાર, સૌ નો આત્મા,
--સર્વ-રૂપ, તેમ છતાં સર્વ થી જુદો,નિર્વિકાર અને અવિનાશી જે પુરુષ (આત્મા) છે તે જ “હું” છું (૪૦)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE