Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-3

આત્મા નિત્ય અને સત્-સ્વ-રૂપ છે અને શરીર અનિત્ય અને અસત્ (મિથ્યા) છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૨૧)


જે પ્રકાશ થી પદાર્થો નું જે જ્ઞાન થાય છે તે જ આત્મા નો પ્રકાશ છે,
--પણ એ (આત્માનો) પ્રકાશ એ અગ્નિ (વગેરે) થી જે પ્રકાશ થાય છે તેના જેવો પ્રકાશ નથી,
--કારણકે એ “આત્મા નો પ્રકાશ” હોવાં છતાં રાત્રે અંધારું હોય છે. (૨૨)


જેમ,ઘડા ને જોનાર એમ કહે છે કે-“આ ઘડો મારો છે” (પરંતુ તે એમ કહેતો નથી કે “આ ઘડો હું જ છું”)
--તેમ,શરીર ને પણ “આ મારું શરીર છે” એમ જાણ્યા છતાં –આશ્ચર્ય ની વાત એ છે કે-
--અજ્ઞાની મનુષ્ય “આ દેહ છે તે જ હું છું” એમ માની બેસે છે. (૨૩)


“હું –બ્રહ્મ-જ છું,બધામાં સમાન આત્મા-રૂપે રહેલો છું,શાંત છું,તથા સત્-ચિત્-આનંદ,એ મારું લક્ષણ છે”
--“આ દેહ કે જે મિથ્યા છે-તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૪)


“હું વિકાર વિનાનો,આકાર વિનાનો,દોષ વિનાનો અને અવિનાશી છું”
--આ દેહ કે જે “મિથ્યા સ્વ-રૂપ વાળો છે –તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૫)


“હું નિરામય (રોગ વિનાનો),નિરાભાસ (આભાસ વિનાનો).નિર્વિકલ્પ (કલ્પના વિનાનો) તથા
--દરેક ઠેકાણે વ્યાપ્ત છું.આ મિથ્યા શરીર છે તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૬)


“હું નિર્ગુણ (સત્વ,રજસ,તમસ-એ ત્રણ ગુણ વગરનો),નિષ્ક્રિય (ક્રિયા વગરનો),નિત્ય (નાશ વગરનો),
--નિત્ય-મુક્ત (બંધન વગરનો) અને (સત્,ચિત્ આનંદ વાળો) મારો સ્વ-ભાવ ક્યારેય નાશ પામતો    નથી.
--આવો હું “આત્મા” છું,પણ જે મિથ્યા સ્વ-રૂપ વાળો (નાશ પામતો) દેહ છે તે હું નથી”
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૭)


“હું નિર્મળ (શુદ્ધ) છું,નિશ્ચળ (આકાશ ની જેમ અચળ) છું,અંત વિનાનો અને પવિત્ર છું.
--હું અજર (ઘડપણ વિનાનો) અને અમર (મરણ વગરનો) છું.અને
--આ ખોટા રૂપ વાળો જે દેહ છે તે હું નથી.
--આવી જે સમજણ છે- એ જ “જ્ઞાન” છે,એમ વિદ્વાનો કહે છે. (૨૮)


હે અજ્ઞાની,આત્મા તો મંગલરૂપ છે અને તેનું નામ “પુરુષ” છે (પુર=શરીર અને તેમાં જે રહે છે તે પુરુષ)
--દરેકે તેની હયાતી માની છે અને તે પોતાના દેહમાં જ રહેલો છે, તેમ છતાં,
--તેને તુ “શૂન્ય”(અસ્તિત્વ વગરનો)  અને શરીરમાં નથી તેમ કેમ માને છે? (૨૯)


હે,મૂર્ખ (અજ્ઞાની),પોતાના આત્મા ને તુ વેદનાં વચનો થી તથા યુક્તિ થી સાંભળ,(અને જો),
--એ “પુરુષ” છે,દેહ વગરનો છે,દેહમાં જ હયાત અને “સ્વ-રૂપ” વાળો છે.
-- તેમ છતાં,તારા જેવા એને (કેમ??) ઘણી જ મુશ્કેલી થી જોઈ શકે છે.?!!! (૩૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE