Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-2

જેમ “પ્રકાશ”  વિના કોઈ પણ ઠેકાણે પડેલી વસ્તુ દેખાતી નથી,
--તેમ “વિચાર” વિના બીજા કોઈ પણ સાધનો થી “જ્ઞાન” ઉત્પન્ન થતું નથી.
   (એટલે કે માત્ર વિચાર થી જ જ્ઞાન મળે છે) (૧૧)


“હું કોણ છું ?” “આ કેવી રીતે ઉપજ્યું?” “આનો કરનાર કોણ?” અને “આમાં મૂળ કારણ કયું?”
--આવો વિચાર થવો જોઈએ (૧૨)


“જે આ દેહ છે તે હું નથી” (દેહ તો પંચમહાભૂત-પૃથ્વી,પાણી,તેજ,વાયુ,આકાશ- નો સમુદાય જ છે)
--“ઇન્દ્રિયો પણ હું નથી” “હું તો એ થી જુદો જ છું”
--આવો વિચાર થવો જોઈએ. (૧૩)


“આ બધું અજ્ઞાન થી ઉપજ્યું છે,અને જ્ઞાન થી તે નાશ પામે છે,”
--“અનેક જાતના સંકલ્પો તે જ આ બધું કરનાર છે.”
--આવો વિચાર થવો જોઈએ. (૧૪)


“જેમ માટી નાં પાત્રો-ઘડા-વગેરે નું મૂળ કારણ માટી છે”
--તેમ “અજ્ઞાન” અને “સંકલ્પ” –એ બંને નું જે મૂળ કારણ છે
--તે જ “એક” સૂક્ષ્મ” “સત્” અને “અવિકારી તત્વ” છે.
--આવો વિચાર થવો જોઈએ. (૧૫)


“હું પણ એક જ સૂક્ષ્મ,જ્ઞાતા (જાણનાર),સાક્ષી (બધું પ્રત્યક્ષ જોનાર),સત્ અને અવિકારી છું.”
--“તેથી તે જ તત્વ (બ્રહ્મ) હું છું,એમાં શંકા નથી”
--આવો વિચાર થવો જોઈએ. (૧૬)


આત્મા –એ અવયવ વિનાનો અને “એક” જ છે,અને દેહ તો “અનેક” અવયવ (અંગ) વાળો છે,
--આમ છતાં તે બંને ને (આત્મા અને દેહ ને) અજ્ઞાની ઓ જો -એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ?  (૧૭)


આત્મા એ શરીર ને કાબુમાં રાખનારો અને શરીરની અંદર રહે છે,
--જયારે દેહ –એ આત્મા ને કાબુમાં રાખનાર નથી અને બહાર છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૧૮)



આત્મા જ્ઞાન-મય અને પવિત્ર છે,જયારે દેહ માંસ-મય અને અપવિત્ર છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૧૯)


આત્મા પ્રકાશ આપનાર અને સ્વચ્છ છે,અને શરીર તમોગુણ થી બનેલું કહેવાય છે,
--આમ છતાં એ બંને ને અજ્ઞાનીઓ જો એક જ માને –
--તો એનાથી બીજું અજ્ઞાન શું હોઈ શકે ? (૨૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE