Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-૧

પરમ આનંદ આપનાર,ઉપદેશ આપનાર,જગત ને નિયમમાં રાખનાર, દરેક ઠેકાણે રહેલા
--અને સર્વ લોકો ના “હિત” નું “કારણ” –શ્રી હરિ ને હું વંદન કરું છું.  (૧)


આ “અપરોક્ષાનુભૂતિ” નું કથન “મોક્ષ” મેળવવા માટે કહેવામાં આવે છે,
--કે જેનું સજ્જનોએ વારંવાર પ્રયત્ન કરી ને  વિચાર કરવો. (૨)


--પોતાના વર્ણ (બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર) અને
--પોતાના આશ્રમ (બ્રહ્મચર્ય,ગૃહસ્થ.વાનપ્રસ્થ,સંન્યાસ) ના
--“ધર્મરૂપ તપ” થી ભગવાન પ્રસન્ન થાય છે. અને
--તેથી ચાર સાધનો (વૈરાગ્ય,વિવેક,શમ,મુમુક્ષુ) મનુષ્ય ને પ્રાપ્ત થાય છે.  (૩)


બ્રહ્મા (જગત ની ઉત્પત્તિ) થી માંડી ને સ્થાવર (નાનાં તણખલાં) સુધી, એ સર્વે માં જે “વિષયો” રહેલા છે,
--તેમના પર (તે વિષયો પર)
-- જેમ-કાગડાની વિષ્ઠા જોયાં પછી તેના પર અણગમો ઉપજે છે-તેમ-
--તેવો જ –જે-અણગમો ઉપજે તે જ  “શુદ્ધ વૈરાગ્ય” છે. (૪)


આત્મા (પરમાત્મા) નું સ્વ-રૂપ જ નિત્ય છે,એ સિવાય નું આ બધું જે દેખાય છે તે અનિત્ય છે,
--વસ્તુ નો આવો જે નિશ્ચય તે જ “વિવેક” છે.   (૫)


(૧) શમ (૨) દમ (૩) ઉપરતિ (૪) તિતિક્ષા (૫) શ્રદ્ધા અને (૬) સમાધાન એ-છ સંપત્તિ છે.
--વાસનાનો ત્યાગ તે શમ છે.  દશે ઇન્દ્રિયો ને વશ રાખવી તે દમ છે.  (૬)


--વિષયો થી દૂર રહેવું તે ઉપરતિ,અને સર્વ દુઃખ સહન કરવાં તે તિતિક્ષા છે. (૭)


--વેદ અને ગુરુનાં વચન માનવાં-તે શ્રદ્ધા છે,
--અને બ્રહ્મ-રૂપ લક્ષ્ય માં ચિત્ત ને એકાગ્ર કરવું તે સમાધાન છે.(૮)


“આ સંસાર-રૂપ બંધન માંથી મારો છૂટકારોક્યારે અને કેવી રીતે થાય?”
--આવી દૃઢ બુદ્ધિ ઉપજે એ –“મુમુક્ષુ-પણું” કહેવાય.  (૯)


ઉપર કહેલાં ચારે સાધનો વાળા અને પોતાનું કલ્યાણ ઇચ્છનારા પુરુષે
--જ્ઞાન મેળવવા (નીચે પ્રમાણે) વિચાર કરવો. (૧૦)


         INDEX PAGE           NEXT PAGE