Mar 8, 2014

અપરોક્ષાનુભૂતિ-શંકરાચાર્ય-ગુજરાતી-8

જેમ માટી એ જ ઘડા-રૂપે મનાઈ છે, અને સૂતરના તાંતણા જ કપડા-રૂપે મનાયા છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૧)


જેમ સોનું કુંડળ-રૂપે અને પાણી મોજા-રૂપે મનાયું છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૨)


જેમ ભ્રમથી ઝાડનું ઠુંઠું માણસ(કે ચોર)-રૂપે અને ઝાંઝવાં (મૃગ-જળ) પાણી-રૂપે મનાય છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૩)


જેમ લાકડાં વગેરે ને ઘર-રૂપે,અને લોઢું,તલવાર-રૂપે મનાય છે,
--તેમ અજ્ઞાની એ (અજ્ઞાનથી) આત્માને દેહરૂપે માન્યો છે. (૭૪)


જેમ પાણીમાં પડછાયા-રૂપે દેખાતું ઝાડ,ઉંધુ હોય તેમ લાગે છે,
--તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૫)


જેમ વાહનમાં જતા મનુષ્ય ને બધું ચાલતું હોય તેમ દેખાય છે,
-તેમ અજ્ઞાન ના લીધે,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે.  (૭૬)


જેમ કોઈને કમળો (આંખ નો રોગ) થયો હોય તો તેને ધોળામાં પણ પીળાશ દેખાય છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૭)


જેમ ફૂદડી ફર્યા પછી આંખો ભમતી હોય,તેથી બધું ફરતું દેખાય છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૮)


જેમ ઉંબાડિયું ભમવાથી જ સૂર્ય જેવું ગોળ દેખાય છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે. (૭૯)


જેમ, મોટી વસ્તુઓ ને બહુ દૂરથી જોવામાં આવે તો તે નાની લાગે છે,
-તેમ અજ્ઞાન ના સંબંધથી,તે અજ્ઞાની,આત્મામાં દેહ-પણું જુએ છે.  (૮૦)

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE