Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૨

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

આ પ્રયોજન જ હરકોઈ ઉત્તમ પ્રવૃત્તિ નું કારણ છે,અને તેને જ ફળ પણ કહે છે.
પ્રયોજન વિના મૂર્ખ માણસ પણ કોઈ કામ કરવા તૈયાર થતો નથી.  (૧૧)

જે મનુષ્ય બુદ્ધિમાન હોય અને જેનામાં ચાર સાધનોરૂપી (સાધન ચતુષ્ટ્ય) સંપત્તિ હોય,
તેને જ આ વેદાંત શાસ્ત્ર ના જ્ઞાન-રૂપ ફળની સિદ્ધિ થાય છે.પરંતુ,
એ સાધન-સંપત્તિ થોડીક પણ ઓછી હોય (કમી હોય) તો તે ફળ સિદ્ધિ થતી નથી.  (૧૨)

આ વેદાંત ના જ્ઞાન માં મહર્ષિઓ ચાર સાધન (સાધન ચતુષ્ટ્ય) કહે છે,એ સાધન હોય તો જ મુક્તિ થાય છે,નહિ તો મુક્તિ થતી નથી તે ચોક્કસ છે. (૧૩)

(૧) વિવેક- નિત્ય તથા અનિત્ય વસ્તુનો “વિવેક” એ પહેલું સાધન છે.
(૨) વૈરાગ્ય- આ લોક ના તેમજ પરલોક ના વિષય-ભોગ ઉપર “વૈરાગ્ય” –એ બીજું સાધન છે.
(૩) શમ-વગેરે--(૧) શમ,(૨) દમ,(૩) તિતિક્ષા,(૪) ઉપરતિ,(૫) શ્રદ્ધા અને (૬) સમાધાન-
                 આ  છ ની સંપત્તિ એ   ત્રીજું સાધન છે.
(૪) મુમુક્ષતા-મોક્ષ પામવાની તીવ્ર ઈચ્છા-એ ચોથું સાધન છે.
આ ચાર સાધનો ને વેદાંત-શાસ્ત્ર માં અતિશય માન્ય કરેલાં છે.  (૧૪-૧૫)

(૧) વિવેક-“બ્રહ્મ જ નિત્ય છે,બીજું અનિત્ય છે” એમ સમજવું,એ નિત્ય-અનિત્ય વસ્તુનો વિવેક કહેવાય (૧૬)

જેમ, માટી-વગેરે “કારણ” ત્રણે કાળ માં હોય છે, તેથી તે “નિત્ય”  છે,
જયારે તે માટીના “કાર્ય” ઘડો-વગેરે,”અનિત્ય” છે, કારણકે તેનો નાશ જોવામાં આવે છે.
તેમ, આ સર્વ જગત “અનિત્ય” છે, કારણ કે તે “નિત્ય” એવા બ્રહ્મનું “કાર્ય” છે.
જયારે “બ્રહ્મ” એ જગતનું “કારણ” હોવા ને લીધે તે માટી-વગેરે ની પેઠે “નિત્ય” છે. (૧૭-૧૮)

શ્રુતિ પણ “આ આત્મામાંથી આકાશ ઉત્પન્ન થયું (સર્ગ)” વગેરે વાક્યો વડે,બ્રહ્મથી જગતની ઉત્પાતિ કહે છે,
એ ઉપરથી “જગત” એ “બ્રહ્મ” નું “કાર્ય” છે તેમ પ્રસ્થાપિત થાય છે,
તેથી તે “બ્રહ્મ” ના નિત્ય-પણામાં સંશય નથી  (૧૯)

“જે વસ્તુ અવયવ વાળી હોય, તે અનિત્ય હોય” એમ સર્વ પ્રકારે,સર્વ “કાર્ય” અનિત્ય ઠરે છે, તેમ છતાં,
વૈકુંઠ-વગેરે લોક ને નિત્ય માનવા,એ મૂઢ (અજ્ઞાની) બુદ્ધિવાળાઓનો ભ્રમ જ છે. (૨૦)

એ રીતે શ્રુતિઓ તથા યુક્તિઓ ના આધારે અનિત્ય-પણું અને નિત્ય-પણું બરાબર અલગ રીતે સમજવું,
તેણે “નિત્યાનિત્ય-વિવેક” કહે છે.  (૨૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE