May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૧૧

ચોપાઈ

સુનિ સુત બધ લંકેસ રિસાન,પઠએસિ મેઘનાદ બલવાના.
મારસિ જનિ સુત બાંધેસુ તાહી, દેખિઅ કપિહિ કહાકર આહી.
પુત્રનો વધ સાંભળી રાવણ ખીજાયો અને તેણે મેઘનાદને મોકલ્યો. (તેને કહ્યુકે )
હે પુત્ર ! તેને મારવો નહિ પણ બાંધવો,તે વાનરને . જોઈએ કે તે ક્યાંનો છે?

ચલા ઇંદ્રજિત અતુલિત જોધા, બંધુ નિધન સુનિ ઉપજા ક્રોધા.
કપિ દેખા દારુન ભટ આવા, કટકટાઇ ગર્જા અરુ ધાવા.
ઇન્દ્રને જીતનાર અતુલિત યોદ્ધો મેઘનાદ ચાલ્યો. ભાઈનો નાશ સાંભળી તેને ક્રોધ ઉપજ્યો.
હનુમાને જોયુકે (હવે) ભયાનક યોદ્ધો આવ્યો છે ત્યારે તે કચકચાવીને ગરજ્યા અને દોડ્યા.

અતિ બિસાલ તરુ એક ઉપારા, બિરથ કીન્હ લંકેસ કુમારા.
રહે મહાભટ તાકે સંગા, ગહિ ગહિ કપિ મર્દઇ નિજ અંગા.
તેમણે અતિ વિશાળ વૃક્ષ ઉપાડ્યું અને તેના પ્રહારથી લંકેશ્વર રાવણ ના પુત્ર મેઘનાદ ને રથ વિનાનો કરી નાખ્યો.
તેની સાથે જે મોટા યોધ્ધાઓ હતા,તેઓને પકડી પકડી હનુમાનજી પોતાના શરીરથી મસળવા લાગ્યા. 

તિન્હહિ નિપાતિ તાહિ સન બાજા, ભિરે જુગલ માનહુગજરાજા.
મુઠિકા મારિ ચઢ઼ા તરુ જાઈ, તાહિ એક છન મુરુછા આઈ.
ઉઠિ બહોરિ કીન્હિસિ બહુ માયા, જીતિ ન જાઇ પ્રભંજન જાયા.
તે સર્વને મારી મેઘનાદ સાથે  લડવા લાગ્યા. ( યુદ્ધ કરતા તેઓ એવા જણાયા કે )
જાણે બે શ્રેષ્ઠ હાથીઓ લડી રહ્યા હોય ! હનુમાનજી તેને એક મુક્કો મારી વૃક્ષ પર જઈ ચડ્યા.
(તેને) મેઘનાદને  એક ક્ષણ સુધી મૂર્છા આવી,પણ ફરી ઊઠી
તેણે ઘણી માયા રચી,પરંતુ પવનપુત્ર હનુમાનજી તેનાથી જીતી શકાયા નહિ. 

(દોહા)

બ્રહ્મ અસ્ત્ર તેહિં સાંધા કપિ મન કીન્હ બિચાર,
જૌં ન બ્રહ્મસર માનઉ મહિમા મિટઇ અપાર.(૧૯)
છેવટે તેણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો,
ત્યારે હનુમાનજીએ મનમાં વિચાર કર્યો કે ,જો હું બ્રહ્માસ્ત્ર ને નહિ માનું તો તેનો અપાર મહિમા મટી જશે.  (૧૯) 

ચોપાઈ

બ્રહ્મબાન કપિ કહુતેહિ મારા, પરતિહુબાર કટકુ સંઘારા.
તેહિ દેખા કપિ મુરુછિત ભયઊ, નાગપાસ બાંધે સિ લૈ ગયઊ.
તેણે હનુમાનજીને બ્રહ્મબાણ માર્યું, ( જે લાગતા  તે વૃક્ષ પરથી પડ્યા,)
પરંતુ પડતી વેળા તેમણે  ઘણી સેનાને મારી નાખી.જયારે તેમણે જોયુકે હનુમાનજી મૂર્છિત થયા છે 
ત્યારે તેમને નાગપાશ થી બાંધી તે લઇ ગયો.

જાસુ નામ જપિ સુનહુ ભવાની, ભવ બંધન કાટહિં નર ગ્યાની.
તાસુ દૂત કિ બંધ તરુ આવા, પ્રભુ કારજ લગિ કપિહિં બાવા.
(શંકર કહે છે: ) હે ભવાની !સાંભળો.જેનું નામ જપી જ્ઞાની ( વિવેકી ) મનુષ્ય સંસાર ( જન્મ-મરણ )
રૂપ બંધન કાપી નાખે છે, તેનો દૂત કદી બંધનમાં આવે?
પરંતુ પ્રભુના કાર્ય માટે હનુમાનજીએ પોતે પોતાને  બંધાવ્યા હતા.  

કપિ બંધન સુનિ નિસિચર ધાએ, કૌતુક લાગિ સભાસબ આએ.
દસમુખ સભા દીખિ કપિ જાઈ, કહિ ન જાઇ કછુ અતિ પ્રભુતાઈ.
હનુમાનજીને બંધાયા સાંભળી રાક્ષસો દોડ્યા અને આશ્વર્ય પામી બધા સભામાં આવ્યા,
હનુમાનજીએ જઈ રાવણ ની સભા જોઈ. તેની અત્યંત પ્રભુતા વર્ણવી શકાતી નથી. 

કર જોરેં સુર દિસિપ બિનીતા, ભૃકુટિ બિલોકત સકલ સભીતા.
દેખિ પ્રતાપ ન કપિ મન સંકા, જિમિ અહિગન મહુગરુડ઼ અસંકા.
દેવો તથા દિગ્પાલો સર્વે  ભય સહીત ઘણી  નમ્રતા પૂર્વક હાથ જોડી રાવણ ની ભૃકુટી જોતા હતા.
(તેની આજ્ઞા આપવાની શી ઈચ્છા છે તે જોઈ રહ્યા હતા.) તેનો પ્રતાપ જોઈ હનુમાનજીના મનમાં ભય થયો નહિ.
સર્પો ના સમૂહમાં ગરુડ ની પેઠે તે નિર્ભય રહ્યા. 

(દોહા)

કપિહિ બિલોકિ દસાનન બિહસા કહિ દુર્બાદ,
સુત બધ સુરતિ કીન્હિ પુનિ ઉપજા હૃદયબિષાદ(૨૦)
હનુમાનજીને જોઈ રાવણ દુવચન કહેતો ખુબ હસ્યો.
પછી પુત્રના વધ નું સ્મરણ કરી તેના હદયમાં ખેદ ઉપજ્યો.(૨૦)

ચોપાઈ 

કહ લંકેસ કવન તૈં કીસા, કેહિં કે બલ ઘાલેહિ બન ખીસા.
કી ધૌં શ્રવન સુનેહિ નહિં મોહી, દેખઉઅતિ અસંક સઠ તોહી.
લંકાપતિ રાવણે કહ્યું: રે વાનર ! તું કોણ છે? કોના બળ પર તેં વનને ઉજાડી નષ્ટ કર્યું?
શું તેં મને કાન થી કદી  સંભાળ્યો નથી? રે શઠ ! હું તને અત્યંત  નિ:શંક જોઉં છું.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE