Dec 2, 2017

પતંજલિના યોગસૂત્રો-14-Yogsutra of Patanjali-Gujarati

થોડુંક આગળ વિચારવામાં આવે તો સમજાય છે કે-"એક વિચાર"ની જોડે એ  "એક જ શબ્દ" હોવો આવશ્યક નથી.કારણકે -
દુનિયાના જુદા જુદા દેશોમાં વિચાર ભલે એક હોય,પણ દરેક દેશની ભાષાને લીધે તે વિચારને જુદા જુદા શબ્દ અને ઉચ્ચાર લાગુ પડવાના.
દરેક વિચારને વ્યક્ત કરવા એક શબ્દ હોવો જ જોઈએ.પણ માનો કે- "અ" શબ્દ છે તેનો ઉચ્ચાર કે ધ્વનિ એક જ હોતો નથી. તે "અ" એ જુદા જુદા દેશોમાં જુદી જુદી રીતે બોલાય છે.

યોગસૂત્ર ના ભાષ્યકારો કહે છે કે-ભલે વિચાર-અને-શબ્દ વચ્ચેનો આ સંબંધ કુદરતી છે,તો પણ તેનો
અર્થ એ નથી કે-એક વિચાર અને એક શબ્દ સાથેનો ઉચ્ચાર સંબંધ અફર છે.(ઉચ્ચાર જુદા હોઈ શકે)

"ઈશ્વર" ને જો અહીં "વિચાર" સાથે સરખાવીએ તો-
આ ઈશ્વર-વિચાર એ સેંકડો શબ્દો સાથે જોડાયેલો છે.અને દરેક શબ્દ એ ઈશ્વરના "પ્રતિક-રૂપે" છે.
અને આ પ્રતિક-રૂપી શબ્દ થી સૂચિત-વસ્તુ-ઈશ્વર ને ઓળખવામાં આવે છે-
પણ આ સેંકડો "પ્રતિકો"માં કોઈ એક સર્વ સામાન્ય પ્રતિક હોવું જ જોઈએ-કે જેનાથી-
ઈશ્વર (સૂચિત-વસ્તુ) ને ઓળખાવવામાં આવે-અને તે -સર્વ સામાન્ય "પ્રતિક શબ્દ" છે -પ્રણવ- ॐ

કોઈ પણ ઉચ્ચાર,ગળામાં ના ધ્વનિ-યંત્ર (સ્વર-પેટી) અને
જીભ-તથા-તાળવા ના "ઉચ્ચાર-ફલક" ને આધારે થાય છે.
ॐ  (અ-ઊ-મ) એ સઘળા ઉચ્ચારો નો એક  આધાર છે,કે જેનો
પહેલો અક્ષર "અ" એ મૂળ ઉચ્ચાર છે,સર્વ ઉચ્ચારો ની ચાવી રૂપ છે,
કે જેનો ઉચ્ચાર એ જીભ કે તાળવાના કોઈ પણ ભાગને અડ્યા વગર થાય છે.
બીજો અક્ષર  "ઊ" તાળવા (ઉચ્ચાર-ફલક) ના છેક મૂળમાં થી શરૂ થઇ અંત (છેડા) સુધી આળોટે છે,
અને ત્રીજો "મ" એ છેલ્લો અક્ષર હોઠ બંધ કરવાથી બોલાય છે.
આ રીતે ॐ એ આખી ઉચ્ચાર ક્રિયાના પ્રતિનિધિ અને મૂળના જેવો છે.અને એટલે ઈશ્વરનો પ્રતિક શબ્દ છે.

  • तज्जपस्तदर्थभावनम्  (૨૮)

આ ॐ નો જપ અને તેના અર્થ નુ ધ્યાન  એ એક ઉપાય  છે.(૨૮)

આગળ આપણે જે સંસ્કારોનો સિદ્ધાંત જોયો,તે મુજબ,સંસ્કારોનો કુલ સરવાળો મનની અંદર રહે છે.
તે સંસ્કારો ભલે ધીરે ધીરે સૂક્ષ્મ થતા જાય પણ,મનમાં રહે છે તો ખરા જ .
અને જેવી તેમને કોઈ યોગ્ય ઉત્તેજના (ચીમટી) મળે એટલે તરત જ તે જાગ્રત થાય છે.
"જપ" એ મનમાં રહેલ આધ્યાત્મિક સંસ્કારોને આપી શકાય તેવી મોટામાં મોટી "ઉત્તેજના" છે.

કહ્યું છે કે-એક ક્ષણનો પણ સત્સંગ (સંત-સમાગમ) એ ભવ-સાગર તરવાને નૌકા સમાન છે.
તેમ,આ ॐ નો જપ અને તેના અર્થનું ચિંતન,એ મનમાં ને મનમાં સત્સંગ સમાન છે.
પ્રથમ અભ્યાસ અને પછી તે અભ્યાસ પર ધ્યાન કરવાથી અંતર પ્રકાશમય બની આત્મા પ્રગટ થાય છે.

  • ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च  (૨૯)

તેથી (જપથી) અંતર-દૃષ્ટિ ની પ્રાપ્તિ અને યોગમાં આવતા વિઘ્નો નો નાશ થાય છે. (૨૯)