Dec 6, 2014

પતંજલિના યોગસૂત્રો-54-Yogsutra of Patanjali-Gujarati

  • समानजयात् प्रज्वलनम् (૪૦)

નાડીના "સમાન" પ્રવાહ પર જય મેળવવાથી,તે યોગી પ્રકાશ-મય ઝાળ થી ઘેરાયેલો જણાય.(૪૦)

  • श्रोत्राकाशयोः संबन्धसंयमाद् दिव्यं श्रोत्रम् (૪૧)

શ્રવણેન્દ્રિય (કાન) અને આકાશ ના સંબંધ પર સંયમ કરવાથી દિવ્ય શ્રવણ-શક્તિ આવે છે. (૪૧)

  • कायाकाशयोः संबन्धसंयमाल् लघुतूलसमापत्तेश्चाकाशगमनम् (૪૨)

શરીર અને આકાશ ના સંબંધ પર સંયમ કરવાથી યોગી રૂ જેવો હળવો બનીને
આકાશ-ગમન કરી શકે છે. (૪૨)

આકાશ એ શરીર નું ઉપાદાન છે,એ આકાશ જ એક-રૂપે શરીર બન્યું છે.જો યોગી તેના શરીરના અને
આકાશ ના સંબંધ પર સંયમ કરે-તેઓ તેનામાં આકાશ જેટલી વિશાળતા આવે અને તે-
આકાશમાં ગમે ત્યાં ફરી શકે.

  • बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः (૪૩)

શરીર ની બહાર રહેલી મન ની ખરી-વૃત્તિ (કે જેને મહા-વિદેહા કહે છે) તેના પર સંયમ કરવાથી,
જ્ઞાન-પ્રકાશ પર જે આવરણ થયું હોય તે આવરણ નો નાશ થાય છે. (૪૩)

મન પોતાની મૂર્ખતા ને લીધે માની લે છે કે-તે આ શરીરમાં કાર્ય કરે છે,
જો મન સર્વ-વ્યાપી હોય તો શા માટે મનુષ્યે "એક જ પ્રકારના જ્ઞાનતંતુ" વડે બંધાઈ ને "એક જ શરીર"માં
"અહં-ભાવના" કરવી જોઈએ? એક જ શરીર માં બંધાઈ રહેવાનું કોઈ કારણ નથી.!!!!

યોગી તો પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં  "હું-પણા" નો અનુભવ કરવા માગે છે.
પોતાના શરીર સાથેના "હું-પણા ના "અભાવ"ને લીધે ઉત્પન્ન થતી-વૃત્તિઓને
"ખરી-વૃત્તિઓ" (મહા-વિદેહા-અવસ્થા) કહેવામાં આવે છે.
યોગી જયારે આ "વૃત્તિઓ" પર સંયમ -સિદ્ધ કરવામાં સફળ થાય-ત્યારે-
"જ્ઞાન" (પ્રકાશ) ની આડે આવતાં સર્વ આવરણો દૂર થઇ,સર્વ અંધકાર (અજ્ઞાન) નાશ પામી જાય છે,
અને દરેક વસ્તુ "જ્ઞાન-મય" દેખાય છે.

  • स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः  (૪૪)

સ્થૂળ અને સૂક્ષ્મ ભૂતો (પંચ-ભૂતો) પર,તેમના સ્વરૂપ ઉપર,અન્વય ઉપર,અને આત્મા ને ભોગ આપવાની,
તેમની શક્તિ પર,સંયમ કરવાથી "ભૂત-જય" (પંચ-ભૂત-જય) થાય છે. (૪૪)

  • ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत् तद्धर्मानभिघातश्च  (૪૫)

તેમાંથી અણિમા-વગેરે સિદ્ધિઓ ,"કાય-સંપત" (રૂપ,લાવણ્ય,બળ અને દૃઢતા))
અને શરીરના ગુણો નું અભેદ-પણું આવે છે (૪૫)

જયારે યોગી અષ્ટ-સિદ્ધિઓ મેળવે ત્યારે તે -પોતાને એક કણ જેટલો બારીક કે પર્વત જેટલો વિશાળ,
અથવા,પૃથ્વી જેટલો ભારે કે હવા જેવો હળવો -બનાવી શકે.તે ધારે ત્યાં જઈ શકે,તે ધારે તેને કાબૂમાં લઇ શકે,
તે ઈચ્છે તે વસ્તુ પર વિજય મેળવી શકે અને તેની સઘળી ઈચ્છાઓ તેની મરજી મુજબ પુરી થાય.(45)



   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE