Dec 9, 2014

પતંજલિના યોગસૂત્રો-57-Yogsutra of Patanjali-Gujarati-Kaivalya Paad

(4) કૈવલ્ય-પાદ

  • जन्मौषधिमन्त्रतपःसमाधिजाः सिद्धयः (૧)

જન્મ,ઔષધિઓ,મંત્ર,તપ અને સમાધિ દ્વારા સિદ્ધિઓ મળે છે. (૧)

કોઈ કોઈ વખતે એવું ને છે કે કે કોઈ મનુષ્ય સિદ્ધિઓ લઈને જ જન્મે છે.આવું બને છે -કારણકે-
એ સિદ્ધિઓ તેને આગલા જન્મમાં મેળવેલી હોય છે.આ જન્મમાં તો જાણે તે ફળ ભોગવવાને જ
જન્મેલો હોય છે.સાંખ્ય-દર્શન ના જનક મહર્ષિ કપિલ વિષે એમ કહેવાય છે.કે-
તેઓ જન્મ થી જ સિદ્ધ હતા.

યોગીઓ એવો દાવો કરે છે કે-આ સિદ્ધિઓ રસાયણો દ્વારા પણ મેળવી શકાય.ભારતમાં રસાયણ-વિદ્યા
જાણનારાઓનો એક સંપ્રદાય હતો.તેમનો મત એવો હતો કે-આદર્શવાદ,જ્ઞાન,ધર્મ અને અધ્યાત્મિકતા-
એ બધાં ઠીક છે,કારણકે તે બધાને પામવાનું સાધન તો એક-માત્ર શરીર છે.જો શરીર વારંવાર નાશ પામતું
હોય તો -તેને ધ્યેયે પહોંચતા તો ઘણો બધો સમય લાગે,ઘણી વખત જન્મો ના જન્મો વીતી જાય.
એટલે જો શરીર ને મજબૂત અને સંપૂર્ણ બનાવી શકાય કે જેથી જન્મ-મૃત્યુ-રોગ ટાળી શકાય.તો
આધ્યાત્મિક બનવા માટે આપણ ને વધુ સમય મળે.

તેમની એક માન્યતા એવી પણ હતી કે-પારો અને ગંધક માં અદભૂત માં અદભૂત શક્તિ છુપાયેલી પડી છે.
આ બંને માંથી તૈયાર કરેલ રસાયણો દ્વારા -મનુષ્ય પોતાના શરીર ને ધારે તેટલું ટકાવી શકે.
અત્યારના આધુનિક સમયની ઘણીયે અદભૂત દવાઓ આ રસાયણ-શાસ્ત્ર ને આધારે છે.
પતંજલિ પણ ઔષધિ થી મળતી સિધ્ધીઓ ને નકારી કાઢતા નથી.

મંત્ર-શક્તિ-કેટલાક પવિત્ર શબ્દો ને મંત્રો કહેવામાં આવે છે,તેમનો જયારે યોગ્ય સંજોગોમાં જપ કરવામાં આવે તો તે અદભૂત સિદ્ધિઓ આપવાની શક્તિ ધરાવે છે.

તપ- હિંદુ ધર્મ અને બીજા અનેક ધર્મો માં પણ કઠોર તપશ્ચર્યાઓ અને વ્રતો બતાવ્યા છે,ને તેના દ્વારા પણ
સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.

સમાધિ-સમાધિ એટલે એકાગ્રતા.ખરો યોગ આ જ છે,સમાધિ એ વિજ્ઞાન નો વિષય છે અને સર્વોચ્ચ સાધન છે.આની પહેલાં ના સાધનો ગૌણ છે.કે જેના વડે આપણે સર્વોચ્ચ ધ્યેયે પહોંચી ના શકીએ.પણ,
માત્ર સમાધિ જ એવું સાધન છે કે-જેના વડે આપણે માનસિક,નૈતિક કે આધ્યાત્મિક -સર્વ મેળવી શકીએ.

  • जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् (૨)

પ્રકૃતિ દ્વારા (જોઈતી ખોટ) પૂરી પડવાથી,એક જતી બીજી જાતિમાં પરિણામ પામે છે. (૨)

સિદ્ધિઓ નો સિદ્ધાંત સમજાવ્યા પછી,પતંજલિ,કહે છે કે-એક જાતિમાંથી બીજી જાતિમાં પરિવર્તન થવામાં,
કારણભૂત છે -પ્રકૃતિ ની પૂરવણી.અને તેનો ખુલાસો હવે પછીના સૂત્રમાં કરે છે.

  • निमित्तम् अप्रयोजकं प्रकृतीनां । वरणभेदस्तु ततः क्षेत्रिकवत् (૩)

જાતિમાં પરિવર્તનો થવામાં સારાં-નરસાં કર્મો એ સાચું કારણ નથી,પણ પ્રકૃતિ ની ઉત્ક્રાંતિમાં
આવતી અડચણો ને દૂર કરનાર-તરીકે તેઓ કામ કરે છે.
જેવી રીતે-ખેડૂત,ચાલ્યા આવતા પાણીના પ્રવાહને -ક્યારીમાં જતા રોકનારી પાળ-રૂપી અડચણ ને
ભાંગે છે એટલે પાણી એની મેળે ક્યારીમાં વહી જાય છે તેમ.......(૩)


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE