Dec 10, 2014

પતંજલિના યોગસૂત્રો-58-Yogsutra of Patanjali-Gujarati

ખેતરો ની સિંચાઇ માટેનું પાણી તો નહેરમાં છે જ,પણ તેમાંથી ખેતરમાં આવવાના દરવાજાઓ
બંધ છે,પણ જયારે ખેડૂત તે દરવાજાઓ ખોલી નાખે છે ત્યારે પાણી ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે -
એની મેળે જ ખેતરમાં પ્રવેશી જાય છે.
તે પ્રમાણે-સઘળી શક્તિ અને પ્રગતિ એ મનુષ્યમાત્ર માં પહેલે થી જ રહેલાં છે.પૂર્ણત્વ એ માનવી નો
સ્વભાવ છે.જો કોઈ તેની વચ્ચે આવતી અડચણ દૂર કરે તો તે-પૂર્ણત્વ-રૂપી સ્વભાવ પામવામાં ઝડપથી
પ્રગતિ કરશે.અને ત્યારે મનુષ્ય,પોતાનામાં પહેલેથી જ રહેલી શક્તિઓને પ્રાપ્ત કરે છે.

જેવો એ પ્રતિબંધ તૂટે ને -પૂર્ણત્વ-રૂપી સ્વભાવ પ્રગતિ ને પંથે ઝડપભેર ચાલવા માંડે,ત્યારે,
જેમણે આપણે દુષ્ટ કહીએ છીએ તેવો મનુષ્ય સંત બની જાય છે.

પ્રકૃતિ જ આપણને પૂર્ણત્વ પ્રતિ ધકેલી રહી છે,અને ક્રમેક્રમે સૌ-કોઈ પૂર્ણત્વે પહોંચશે જ .
આપણી,ધાર્મિક બનવા માટે ની બધી  સાધનાઓ, અને મથામણો એ માત્ર કાર્યો જ છે.(કે જે)
આપણા જન્મ-સિદ્ધ હક્ક,આપણા સ્વભાવ-રૂપી પૂર્ણત્વ ને આડે આવતી,અડચણો દૂર કરીને તેના
દરવાજા ખુલ્લા કરવા માટે છે.

ભારતના પ્રાચીન ઉત્ક્રાંતિ-વાસી પતંજલિ ઘોષણા કરે છે-કે-ઉત્ક્રાંતિ એટલે પ્રાણીમાત્રમાં પ્રથમ થી જ
રહેલી પૂર્ણતાનું પ્રગટ થવું.આ પૂર્ણતા ને આડે પ્રતિબંધ આવી રહેલા છે,અને તેમની પાછળ રહેલી
અનંત-શક્તિ ની ભરતી પોતાને પ્રગટ કરવા મથામણ કરી રહી છે.
આ મથામણો એ આપણા અજ્ઞાન નું જ પરિણામ છે,કારણકે પાણી ને અંદર આવવા દેવાનો દરવાજો
કેમ ઉઘાડવો? તેની રીત આપણે જાણતા નથી.

પાછળ રહેલી અનંત ભરતી પ્રગટ થવી જ જોઈએ.અને એ જ સમગ્ર વિકાસ નું કારણ છે.
અજ્ઞાન ની પેલે પાર રહેલો એ પૂર્ણત્વ-રૂપી સ્વભાવ,જ્યાં સુધી એકેએક મનુષ્ય પૂર્ણત્વે પહોંચે નહિ,
ત્યાં સુધી આપણને આગળ ને આગળ જવા માટે ધકેલ્યા જ કરશે.

પશુ-યોનિ માં મનુષ્યત્વ દબાઈ રહેલું હતું,પણ જેવો દરવાજો ખુલ્લો થઇ ગયો,તેવું જ મનુષ્યત્વ બહાર
પ્રગટ થયું.અને તે જ પ્રમાણે મનુષ્યમાં તેની અંદર દેવત્વ  દબાઈ રહેલું છે,અજ્ઞાન ના દરવાજા અને
આડશો ની પાછળ અટકાઈ ને રહેલું છે,પણ જ્ઞાન થી જયારે આ પ્રતિબંધો તૂટી જાય છે ત્યારે,
દેવત્વ પ્રગટ થાય છે.

  • निर्माणचित्तान्यस्मितामात्रात् (૪)

નિર્માણ ચિત્તો ની ઉત્પત્તિ એકલા અહંકારમાંથી જ થાય છે. (૪)

કર્મ નો સિદ્ધાંત એવો છે-કે-સારાં કે નરસાં કારમો નું ફળ આપણે ભોગવવું પડે છે.અને
સમગ્ર ફિલસુફી નો સિદ્ધાંત એ છે કે-મનુષ્ય ને મહિમા-મય સ્થિતિએ પહોંચવાનું છે.
સઘળાં શાસ્ત્રો -મનુષ્યના આત્માની ગાથા ગયા કરે છે,અને સાથો સાથ કર્મ કરવાનો પણ ઉપદેશ આપે છે.

કહે છે કે-શુભ કર્મો નું ફળ એક પ્રકાર નું અને અશુભ કર્મો નું ફળ બીજા પ્રકારનું હોય છે.પણ,
જો આત્મા પર એ સારાં કે નરસાં કર્મ નો પ્રભાવ પડી શકતો હોય તો એ આત્મા નું કોઈ મુલ્ય નથી.

પરંતુ થાય છે એ-કે-ખરાબ કર્મો પુરુષના સ્વરૂપ ને પ્રગટ થવામાં આડો પ્રતિબંધ ઉભો કરે છે,અને,
સારાં કર્મો તે પ્રતિબંધ ને દૂર કરે છે એટલે પુરુષ (આત્મા) નો મહિમા પ્રગટ થાય છે.
પુરુષ (આત્મા) માં કોઈ જ પરિવર્તન થતું નથી,કે તેનું સ્વરૂપ નાશ પામતું નથી.કારણકે-તે આત્માની
ઉપર કોઈ વસ્તુ નો પ્રભાવ પડી શકતો નથી,પણ  તેની આડે જે આવરણ આવી ગયેલું છે તેનાથી,
તેની પૂર્ણતા ઢંકાઈ ગયેલી છે.

પોતાના કર્મો નો જલ્દી જલ્દી ક્ષય કરી નાખવાના હેતુ થી,યોગી પુરુષો-"કાય-વ્યુહ" એટલે કે-
શરીરો ના સમૂહ નિર્માણ કરે છે.અને આ બધા શરીરો ના માટેના "મન" ને યોગીઓ "અહં-તત્વ" માંથી
નિર્માણ કરે છે,એ બધાં શરીરોને, મૂળ મનથી તેમનું ભિન્નત્વ દર્શાવવા માટે તેમને "નિર્માણ-ચિત્તો" કહે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE