Dec 12, 2014

પતંજલિના યોગસૂત્રો-60-Yogsutra of Patanjali-Gujarati

  • जातिदेशकालव्यवहितानाम् अप्यानन्तर्यं । स्मृतिसंस्कारयोः एकरूपत्वात् (૯)
સ્મૃતિ અને સંસ્કારો એક-રૂપ હોવાથી વાસનાઓ-જાતિ.દેશ.કાળ વડે જુદી પડેલી હોવા છતાં -
તેમનો અનુક્રમ બરાબર રહે છે. (૯)

અનુભવો સૂક્ષ્મ થઈને "સંસ્કાર" બને છે,અને સંસ્કારો ફરી જાગ્રત થતાં "સ્મૃતિ" બને છે.
અહીયાં "સ્મૃતિ" શબ્દ નો અર્થ-એ છે કે-સંસ્કાર-રૂપ થઇ ગયેલા ભૂતકાળના અનુભવોનો,
વર્તમાનમાં થતા સમજ-પૂર્વક ના કાર્ય ની સાથે "અજ્ઞાત-રીતે" થતો સુમેળ.

દરેક શરીર (દેવ-પ્રાણી-માનવ-વગેરે)માં,પૂર્વે તેના જેવા જ મેળવેલા શરીરમાં થી મેળવેલા
સંસ્કારો નો સમૂહ---એ આ શરીરમાં ના "કાર્ય નું કારણ" બને છે.
જુદા જુદા શરીર (દેવ-માનવ-પ્રાણી-વગેરે) માં મળેલા સંસ્કારો (જે ના વપરાયા તે) પાછળ ઠેલાયેલા રહે છે.
દરેક શરીર,જાણે કે તે જાતિના પૂર્વનાં શરીરો નું વારસદાર ના હોય-તેમ કામ કરે છે.અને-
આ રીતે વાસનાઓનો ક્રમ તૂટતો નથી.

  • तासाम् अनादित्वं चाशिषो नित्यत्वात्  (૧૦)

સુખ ની આશા નિત્ય હોવાથી આશાઓ અનાદિ છે. (૧૦)

સઘળાં અનુભવ ની પૂર્વે સુખ (વાસના) ની આશા રહેલી હોય છે.અનુભવો નો કોઈ આદિ નથી.
કારણકે દરેક અનુભવ પૂર્વના અનુભવથી ઉત્પન્ન થયેલા મનના વલણ પર આધાર રાખતો હોય છે.
તેથી વાસના (આશા) અનાદિ છે.

  • हेतुफलाश्रयालम्बनैः संगृहीतत्वाद् एषाम् अभावे तदभावः (૧૧)

હેતુ (કારણ), ફળ (કાર્ય) અને આલંબન (વિષયો) વડે વાસના બંધાયેલી હોવાથી,
આ બધાં નો અભાવ થાય ત્યારે વાસનાઓનો અભાવ થાય. (૧૧)

  • अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद् धर्माणाम् (૧૨)

વસ્તુઓના "ધર્મો" ના પ્રકાર જુદાજુદા હોવાને લીધે,ભૂતકાળ અને ભવિષ્યકાળ વાસ્તવિક-રૂપ લાગે છે.(૧૨)

અહીં કહેવા એ માગે છે કે-અસ્તિત્વ-ની ઉત્પત્તિ કદી "અભાવ" માંથી થાય નહિ.
ભૂતકાળ અને ભવિષ્યકાળ -એ "વ્યક્ત-રૂપે" ના હોવા છતાં "સૂક્ષ્મ-રૂપે" હોય છે.

  • ते व्यक्तसूक्ष्मा गुणात्मानः  (૧૩)

એ વસ્તુઓના "ધર્મો" એ ત્રિગુણાત્મક (સત્વ-રજસ-તમસ) હોવાથી વ્યક્ત કે સૂક્ષ્મ-રૂપે રહે છે. (૧૩)

ગુણો (એટલે સત્વ-રજસ-તમસ) ની સ્થૂળ (વ્યક્ત) અવસ્થા એ એ આ "ઇન્દ્રિય-ગોચર- જગત" છે.
આ ગુણો ના પ્રગટ થવાના જુદાજુદા પ્રકારોમાંથી,ભૂતકાળ અને ભવિષ્ય-કાળ ની ઉત્પત્તિ થાય છે.

  • परिणामैकत्वाद् वस्तुतत्त्वम् (૧૪)

પરિણામો માં એકતા હોવા ને લીધે- વસ્તુઓ માં એકતા રહેલી છે. (૧૪)

ગુણો,જો કે ત્રણ છે પણ,તેમનાં પરિણામો પરસ્પર સંકળાયેલાં હોવાથી,સઘળા પદાર્થો માં એકતા રહેલી છે.

  • वस्तुसाम्ये चित्तभेदात् तयोर्विभक्तः पन्थाः  (૧૫)

વસ્તુ એક જ હોવા છતાં તે વસ્તુ વિશેનો "અનુભવ અને ઈચ્છાઓ " એ ભિન્ન ભિન્ન હોવાને લીધે-
તે વસ્તુ અને વસ્તુ નો અનુભવ કરનાર મન-એ બંને જુદાજુદા પ્રકારના છે. (૧૫)

કહેવા એ માગે છે કે-આપણા મનથી સ્વતંત્ર એવું એક બાહ્ય જગત છે.
એ એક વસ્તુ નો જુદાજુદા માણસો જુદીજુદી રીતે અનુભવ કરે છે,તે કારણસર-
તે વસ્તુ કોઈ એક જ વસ્તુ ની કલ્પના-માત્ર નથી.

  • न चैकचित्ततन्त्रं वस्तु तद् अप्रमाणकं तदा किं स्यात्  (૧૬)

વસ્તુ એક જ ચિત્ત પર આધાર રાખી રહેલ છે,એમ ન કહી શકાય,કારણકે અમુક અવસ્થામાં તે ચિત્ત ના અસ્તિત્વ નું પ્રમાણ ન રહેતાં તે વસ્તુ અસ્તિત્વ-રહિત બની જાય. (૧૬)


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE