Dec 13, 2014

પતંજલિના યોગસૂત્રો-61-Yogsutra of Patanjali-Gujarati

  • तदुपरागापेक्षत्वात् चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् (૧૭)

તે વસ્તુ, એ ચિત્ત પર કેવું પ્રતિબિંબ પાડે છે,તેના પર જ્ઞાન થવાનો કે ન થવાનો આધાર રહેલો છે.(૧૭)

  • सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात्  (૧૮)

ચિત્ત-વૃત્તિઓ સદા જ્ઞાત છે,કારણકે ચિત્ત નો માલિક સદા અપરિણામી છે, (૧૮)

જગત માનસિક અને ભૌતિક બંને છે,આ બંને પ્રકારનું જગત નિરંતર પરિવર્તન પામ્યા જ કરે છે.
પરિવર્તન રહિત,નિરંજન,અને શુદ્ધ -એક માત્ર પુરુષ (આત્મા) છે.
જેવી રીતે ફિલ્મ-પ્રોજેક્ટર એ સફેદ પડદાને બગડ્યા વિના તેના પર ચિત્રો પાડે છે,
તેવી રીતે,પુરુષ પર જગતના બધા અનુભવો માત્ર પ્રતિબિમ્બિત થયેલા છે.

  • न तत् स्वाभासंदृश्यत्वात्  (૧૯)

મન-એ દૃશ્ય-વસ્તુ  હોવાને લીધે -સ્વયં-પ્રકાશ નથી. (૧૯)

પ્રકૃતિ માં સર્વત્ર જબરદસ્ત "શક્તિ" વ્યક્ત થયેલી જોવામાં આવે છે.તેમ છતાં પ્રકૃતિ સ્વયં-પ્રકાશ નથી.
કેવળ પુરુષ (આત્મા) જ સ્વયં-પ્રકાશ છે.અને પોતાનો પ્રકાશ સર્વ વસ્તુઓને આપે  છે.
સમસ્ત જડ-દ્રવ્ય અને બળ (શક્તિ) માં થઈને પ્રસરી રહેલી શક્તિ-એ પુરુષ (આત્મા) ની જ છે.

  • एकसमये चोभयानवधारणम्  (૨૦)

ચિત્ત પોતાને તેમ જ બીજી વસ્તુને એક જ સમયે અનુભવી શકતું નથી. (૨૦)

જો ચિત્ત સ્વયં-પ્રકાશ હોત તો-તે પોતાને ને બીજા પદાર્થો ને એકી સાથે જ જાણી શકત,પણ તે તેમ કરી શકતું નથી.જયારે તે પદાર્થ ને જાણે છે,ત્યારે તે પોતાને જાણી શકતું નથી,તેથી પુરુષ જ સ્વયં-પ્રકાશ છે,ચિત્ત નહિ.

  • चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसंकरश्च (૨૧)

જો ચિત્ત ને બીજું એક ચિત્ત પ્રકાશિત કરે છે એમ માનવામાં આવે તો-એવી કલ્પનાઓનો ક્યાંય અંત નહિ આવે,અને પરિણામે સ્મૃતિઓની સેળભેળ થઇ જશે. (૨૧)

ધારો કે એક બીજું ચિત્ત છે,જે આ સામાન્ય ચિત્ત ને જાણે છે,તો પછી એ (પહેલા) ચિત્ત ને જાણવા ત્રીજા
કોઈ ચિત્ત ની જરૂર પડશે.અને એ રીતે તેનો કોઈ અંત નહિ આવે.અને પરિણામે સ્મૃતિમાં ગોટાળો ઉભો  થશે.

  • चितेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् (૨૨)

ચિત્ત-વસ્તુ (એટલે કે પુરુષ-આત્મા) એ અપરિવર્તનશીલ હોવા ને લીધે, જયારે.
ચિત્ત એ પુરુષ (આત્મા) નો આકાર લે છે,ત્યારે તેને (ચિત્તને) પોતાનું ભાન થાય છે, (૨૨)

પતંજલિ આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કરવા માગે છે કે-"જ્ઞાન" એ પુરુષ (આત્મા) નો ગુણ નથી.પણ,
જયારે ચિત્ત-એ પુરુષની નજીક આવે છે ત્યારે પુરુષ એ જાણે કે ચિત્ત પર પ્રતિબિમ્બિત થાય છે,
અને ચિત્ત એટલા સમય પૂરતું -જાણે કે સચેતન બને છે.અને પોતે જ પુરુષ હોય તેમ ભાસે છે.

  • द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थम् (૨૩)

દ્રષ્ટા (આત્મા) અને દૃશ્ય (બાહ્ય-જગત) થી રંગાયેલું-એ ચિત્ત સર્વ વસ્તુ ને જાણી શકે છે.(૨૩)

ચિત્ત ની એક બાજુએ દૃશ્ય (બાહ્ય-જગત) અને બીજી બાજુએ દ્રષ્ટા (આત્મા) પ્રતિબિંબિત થાય છે,
કે જેના લીધે ચિત્તમાં સઘળું જાણવાની શક્તિ આવે છે.

  • तदसंख्येयवासनाचित्रम् अपि परार्थं संहत्यकारित्वात्  (૨૪)

ચિત્ત અસંખ્ય વાસનાઓથી ચિત્ર-વિચિત્ર થયેલું હોવા છતાં-તે
વિષયો ની સાથે મળીને કાર્ય કરતું હોવાથી બીજા (પુરુષ) ને માટે છે. (૨૪)

ચિત્ત એ વિવિધ વસ્તુઓનું મિશ્રણ છે,અને તેથી તે પોતાને માટે કાર્ય કરી શકતું નથી, અને દુનિયામાં
જે જે વસ્તુ મિશ્રણ-રૂપ છે,તેમનો તે મિશ્રણ થી અલગ કોઈ હેતુ હોય છે.કે જેને માટે તે મિશ્રણ-ક્રિયા ચાલી
રહી હોય છે.અહીં,ચિત્ત-રૂપી મિશ્રણ એ પુરુષ (આત્મા) ને માટે છે.


   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE