Feb 9, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-75


રામ પૂછે છે-કે-હે,બ્રહ્મન,એવું તે શી રીતે થવાય? મને તો તે એ સ્થિતિ વિષમ અને ઘણા કષ્ટ થી પ્રાપ્ત
થાય એવી લાગે છે અને પામ્યા પછી,પણ તે સ્થિતિ રાખવી તો વધુ  કઠિન હોય -એમ  લાગે છે.

વશિષ્ઠ કહે છે કે-મેં જે આ "વિદેહ-મુક્ત ની સ્થિતિ" કહી છે તે -"મુક્તિ" જ કહી છે.
અને જે મુક્તિ છે એ જ બ્રહ્મ છે, તે જ નિર્વાણ છે,અને તે સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત થાય તે વિષે હું કહું છું.
હું,તું-વગેરે વ્યવહારો વાળું જે કંઈ આ દૃશ્ય જોવામાં આવે છે,તે વિદ્યમાન છતાં પણ-"તે ઉત્પન્ન થયું જ નથી"
એમ "સમજવામાં આવે" -તો એ નિર્વાણ (મુક્ત-કે-બ્રહ્મ) સ્થિતિ મળે છે.

રામ કહે છે-જો વિદેહ-મુક્ત થયેલા પુરુષો તમારા કહેવા પ્રમાણે ત્રૈલોક્ય-રૂપ થતા હોય -
તો તેઓ સંસાર-રૂપ જ થાય એમ હું માનું છું.

વશિષ્ઠ કહે છે કે-જો "ત્રૈલોક્ય" હોય તો તે ત્રૈલોક્ય ના સ્વ-રૂપ ને ધારણ કરે,પણ "ત્રૈલોક્ય"  શબ્દથી
કહેવાતો કોઈ પદાર્થ જ નથી,તો ત્યાં વિદેહ-મુક્ત ત્રૈલોક્ય-સ્વરૂપ થાય છે-એમ કહેવું બને જ કેમ?
માટે આ જગત -શબ્દ થી કહેવાતો કોઈ પદાર્થ પણ છે જ નહિ.

મેં ઘણો વિચાર કર્યો,તો પણ સોનાનાં કડા માં મેં નિર્મળ સોના સિવાય કશું -કડા-પણું દીઠું નહિ.
જળ ના તરંગ માં હું જળ સિવાય બીજું કંઈ જોતો નથી. વાસ્તવિક રીતે જળ માં તરંગ-પણું છે જ નહિ.
જેમ,જગતમાં અવકાશ છે તે આકાશ જ છે અને નિર્જળ ભૂમિમાં જળ દેખાય છે તે તેજ જ છે,
તેમ આ ત્રૈલોક્ય પણ બ્રહ્મ-રૂપ જ છે.

રામ કહે છે કે-હે,મુનિ,જે યુક્તિથી જગતનું મિથ્યા-પણું પ્રાપ્ત થાય તે યુક્તિ મને કહો.
દ્રષ્ટા અને દૃશ્ય -એકરૂપ થઈને પરસ્પર મળી ગયા છે અને 
તે બંને નથી-એવી મનની દૃઢ સ્થિતિ થાય ત્યારે -
"નિર્વાણ" સ્વ-રૂપ બાકી રહે છે-માટે દ્રષ્ટા અને દૃશ્ય નો બાધ થઇ જાય અને સ્વરૂપે રહેલા -એ બ્રહ્મ
સમજાય એવી યુક્તિ મને કહો.અને આવો બોધ જો સિદ્ધ થાય તો પછી,કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી.

વશિષ્ઠ કહે છે કે-ઘણા કાળથી ઘર ઘાલી રહેલી આ મિથ્યા જ્ઞાન રૂપી વિશુચિકા (કોલેરા) -એ-
"વિચાર-રૂપ મંત્ર" થી જ નિર્મૂળ થઇ ને શાંત થઇ જાય છે. જોકે આ રોગ ઘણા કાળ થી જામેલો  હોવાથી તેને તરત ઉખેડી શકાય તેમ નથી.કારણ કે લીસા પર્વત પર ચડવામાં જેટલો પરિશ્રમ થાય છે તેટલો જ -
પરિશ્રમ તે લીસો-પર્વત ઉતરવામાં પણ થાય છે.
આથી અભ્યાસ ના યોગ થી,યુક્તિથી અને ન્યાયથી જગત-રૂપી ભ્રાંતિ નો નાશ થાય તે રીત હું  કહીશ.

હે,રામ,હું તમને ઉત્પત્તિ પ્રકરણ કહું છું,તેમાં તમે, આત્મા-એ -પોતાનામાંથી ઉત્પન્ન થયેલા જગત થી મુક્ત થઈને કેવી રીતે રહે છે? એ વિષય ને સમજશો.
આ શૂન્ય-રૂપ,ભ્રાંતિ-રૂપ જગત મૂળે ઉત્પન્ન થયું જ નથી છતાં દેખાય છે-એ વિષે-હું આ પ્રકરણમાં કહું છું.

સઘળા પ્રકારો વાળું આ જે સ્થાવર-જંગમ જગત જોવામાં આવે છે તે-સઘળું,જયારે ઇન્દ્ર-વગેરે ને પણ
અંતર્ધાન કરી દેનારો મહાપ્રલય આવે છે ત્યારે ક્યાંક પણ જતું રહે છે,નાશ પામે છે,અસત્ થઇ જાય છે,
અદૃશ્ય થઇ જાય છે,અને એ પ્રમાણે જગતનો પ્રલય થાય છે,
ત્યારે માત્ર અનિર્વચનીય એવું સત્ બાકી રહે છે.
જે સત્-એ સ્થિર,ગંભીર,તપ અને તેજ થી વિચક્ષણ અને મુખ થી વર્ણન કરી શકાય નહિ 
તેવું -રૂપ વગરનું છે.

તે પૂર્ણ કરતાં પણ પૂર્ણ છે,તેને નથી સત્ કહેવાતું કે નથી અસત્. 
તે ઉત્પત્તિ વાળું નથી કે ઉત્પત્તિ રૂપ પણ નથી.
તે ચૈતન્ય-માત્ર છે,બુદ્ધિ-તત્વ થી ભિન્ન છે.અંનત છે,આદિ-અંત-અને મધ્ય થી ને કારણ રહિત છે


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE