Feb 16, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-82



(૧૨) અધ્યારોપ (આરોપણ) અને અપવાદ

વશિષ્ઠ કહે છે કે-
એ શાંત અને અત્યંત પવિત્ર "પદ" માંથી આ "જગત" જે પ્રકારે ઉત્પન્ન થયું છે-તે તમે સાંભળો.
જેમ પ્રત્યેક જીવનું -પોતાનું શાંત-સ્વ-રૂપ જ  "સ્વપ્ન"ની પેઠે વિવર્ત પામે છે.
તેમ,સઘળા જીવો નું એકઠું -શાંત-સ્વ-રૂપ (પર-બ્રહ્મ) જ "સૃષ્ટિ" ની પેઠે વિવર્ત પામે છે.
( વિવર્ત =મૂળ વસ્તુ માં ફેરફાર ન થતાં તેમાં બીજા નું ભાન થવું)

એ "સર્વ-સ્વ-રૂપ" એવા "પર-બ્રહ્મ" નો "જગત-રૂપે"  વિવર્ત થવા નો જે "ક્રમ" છે તે તમે સાંભળો.

આ સઘળું દૃશ્ય-જગત -એ-સર્વદા અને સ્વાભાવિક રીતે-
તે "અનંત-પ્રકાશ-રૂપ અને ચૈતન્યમણિ" ની સત્તા-રૂપ જ છે.
અને તે  જગત એ પોતાના "સ્વ-રૂપ" માં જ કંઈક "દૃશ્ય-પણા" ને પામે છે.

"અહંકાર ના અધ્યાસ વગરનું" અને "આકાશ કરતાં પણ સૂક્ષ્મતા વાળું "  એ "શુદ્ધ પરમ-તત્વ" (બ્રહ્મ)
એ ભવિષ્યમાં થનારાં નામ-રૂપોનાં અનુસંધાનો થી,
(૧) ---"પ્રથમ"કંઈક "કલ્પના-વાળું" થાય છે,શાસ્ત્રો એ "કલ્પના" ને "ઇક્ષણ" કહે છે.

"ઇક્ષણ-વાળી"  (કલ્પના વાળી) એ "પરમ-સત્તા"  એ પોતાની "ઇક્ષણ-રૂપ-વૃત્તિ" માં પ્રગટ થયેલ
(૨) ---"ચૈતન્ય" ને લીધે "વાણીના વ્યવહાર ની કંઈક યોગ્યતા મેળવે છે" (બોલી શકે તેવી કે નાદ??)
અને-તેથી તે-"ઈશ્વર" એવું યોગ્ય નામ ધારણ કરે છે.

પછી ઘણા કાળની (સમય ની) "ભાવના" થી "ઇક્ષણ-વૃત્તિ" દૃઢ થાય છે. એટલે-
એ જ મૂળ  "પરમ-સત્તા" (બ્રહ્મ) એ "સૂક્ષ્મ-પ્રપંચ-પણા" પકડે છે -અને-
પોતાના "પર-બ્રહ્મ-પણા" ને વિસ્મરણ થી છોડી દે છે (ભૂલી જાય છે) -અને આમ,
(૩) ---ત્યારે તે "પરમ-સત્તા" ભવિષ્યમાં "જીવ અને હિરણ્યગર્ભ" નામ વાળી થાય છે.

આ રીતે "પરમ-સત્તા" (કે બ્રહ્મ-સત્તા) જ -આ પ્રમાણે ની ભાવનાઓ ને લીધે-
"સંસાર" (જગત) ની સ્થિતિ" માં તત્પર થાય છે. આ "પરમ-સત્તા" નો સ્વભાવ જ આવો હોવાથી-
જેમ,રજ્જુમાં સર્પ-ભાવ ઉત્પન્ન થાય છે,
તેમ,તે "પરમ-સત્તા" માં "જીવ-હિરણ્યગર્ભ" નો "ભાવ"  ઉત્પન્ન થાય છે.

હવે એ "પરમ-સત્તા" માં જેવો "જીવ" ભાવ ઉત્પન્ન થાય છે-
(૪) ---એટલે તરત જ -"શૂન્ય-રૂપ" "આકાશ-પણું" ઉદય પામે છે.
એ આકાશ-એ "શબ્દ" વગેરે "તન્માત્રાઓ" ના બીજ-રૂપ છે-અને ભવિષ્યના નામોને પ્રકાશ કરનાર છે
(૫) ---તે પછી કાળ (સમય) ની સત્તા ની સાથે "અહંકાર" નો ઉદય થાય છે.
અને તે ભવિષ્યમાં થવાની "જગત ની સ્થિતિ" ના "બીજ-રૂપ" છે.

આ રીતે-"પર-બ્રહ્મ" થી જ -જરા પણ વિકાર પામ્યા વગર-આ "મિથ્યા-જગત-રૂપી જાળ" ઉદય પામે છે.
અને તે "પ્રકાશવાથી" (સ્ફૂરણથી)જાણે-કે-જુદી-જુદી સત્તા-વાળી હોય એમ દેખાય છે.
"અહંકાર" ના ઉદય ને અનુસરી ને ભાસનાર એ "બ્રહ્મ-તત્વ"  તે -

"સંકલ્પાત્મક-જગત-રૂપી વૃક્ષ" ના "બીજ-રૂપ" છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE