Feb 20, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-86



જેમ,સંકલ્પ નો (કલ્પાયેલો) ચંદ્ર સાચો હોતો નથી,
તેમ,ભાવનાથી મનાયેલું અણુ-રૂપ (કણ-રૂપ) પણ સાચું નથી.

જીવ એ "અણુ-રૂપ" ની ભાવના કરતાં કરતાં -પોતે "એક" હોવા છતાં -"બે" પણા ને પામે છે.
એટલે કે-"દ્રષ્ટા અને દૃશ્ય"- એ બંને-રૂપ થઇ જાય છે.

જેમ,અસંભવિત હોવા છતાં પણ,- સ્વપ્ન ની અંદર-મનુષ્ય પોતે જ  પોતાના મરણનો દ્રષ્ટા થાય છે,
તેમ,અસંભવિત હોવા છતાં પણ,- જીવ પોતાના જ "દૃશ્ય"-પણા નો "દ્રષ્ટા" થાય છે.
અને આમ જીવમાં "દૃશ્ય-પણા ને દ્રષ્ટા-પણા" ની ભાવના દૃઢ થાય છે,
ત્યારે તે "લિંગ-શરીર-રૂપ" થઈને પહેલાંના કરતાં વધુ "સ્થૂળ-પણું" પામે છે.

અને "હું લિંગ-સ્વ-રૂપ છું" એવી ભાવનાને લીધે તે જીવ (આત્મા) એ -
"લિંગ-દેહ-પણા" ની સાથે "સ્થૂળ દેહ-પણા" નો પણ અનુભવ કરે છે.
જેમ,ચિત્ત એ વિષયરૂપ થાય છે તેમ,"જીવ" દેહ-રૂપ થઇ જાય છે.

એટલે,જેમ,બહાર નો પર્વત એ અરીસામાં પ્રતિબિમ્બિત થઇ પ્રતીત થાય છે,અને,
જેમ,બહારનો હોકારો -દેવળ ના ગુંબજમાં પ્રતીત થાય છે,
તેમ,સઘળી "ઉપાધિઓ" થી બહાર રહેનારા છતાં,
"ઉપાધિ" ની  અંદર કલ્પેલા "આકાશ" માં તે (જીવ) પ્રતીત થાય છે.

જેમ,સ્વપ્ન અને સંકલ્પ નું જ્ઞાન,એ દેહમાં જ સ્વપ્ન ને અને સંકલ્પ ને જુએ છે, તેમ
અણુ-રૂપ માંથી "લિંગ-દેહ" ના અભિમાન ને પામેલો,જીવ,
પોતાના સ્વરૂપ માં જ વાસનામય વ્યવહાર નો અનુભવ કરે છે.
વ્યવહારિક દ્રષ્ટિએ જોતાં,વાસનામય દેહ એ બુદ્ધિના અને ચિત્ત -વગેરે ના પરિણામરૂપ છે.અને
પરમાર્થ દ્રષ્ટિએ જોતાં,એ દેહ એ જ્ઞાન-રૂપ,સત્તા-રૂપ અને આનંદ-રૂપ જ છે.

"લિંગ-દેહ"માં રહેલો જીવ -એ-"લિંગ-દેહના આકાશમાં રહેલા વ્યવહાર ને હું જોઉં છું" એવી ભાવનાથી
આકાશમાં "જોવા" માટે "ગતિ" કરવા જેવું કરે છે અને જે બે છિદ્રો થી "ભવિષ્યના બાહ્ય-નામ વાળા"
--પદાર્થોને "દેખે" (જુએ)  છે-તે બે છિદ્રો "આંખ" નામથી ઓળખાય છે.
--તે પદાર્થો ને "સ્પર્શ" કરે છે તે "ત્વચા"  (ચામડી)  નામથી ઓળખાય છે.
--જેનાથી તે "સાંભળે" છે-(શ્રવણ કરેછે) તે "કાન" નામથી ઓળખાય છે.
--જેનાથી એ "સુંઘે" છે,તેને.પોતાના માં ઘ્રાણ-રૂપે (નાક) દેખે છે,
--જેનાથી તે "સ્વાદ" લે છે તેને પાછળ થી તે રસના-રૂપે (જીભ) દેખે છે.
--જેનાથી તે "ચલન"કરે છે તેને તે "પ્રાણ-રૂપ" થયેલું દેખે છે.અને
--જેનાથી તે ચેષ્ટા કરે છે-તેને "કર્મેન્દ્રિયો" ના સમૂહ-રૂપ દેખે છે.

"આ દેખાવ પ્રત્યક્ષ થાય છે અને આ દેખાવ મનમાં થાય છે"  વગેરે જેવી ભાવના કરતો ,
એ લિંગ-દેહ નો અભિમાની "જીવ" -જેમ,મહાકાશ માં ઘટાકાશ રહે છે-તેમ "પર-બ્રહ્મ" માં રહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE