Feb 19, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-85


આ બ્રહ્માંડ-રૂપી મોટું જાળું,ચિદાકાશ રૂપી મોટા વનમાં ઉત્પન્ન થઇ ને પાછું નાશ પામે છે.

જગત-રૂપી કરજોના કુંજો નું વાવ્યા વિનાના બીજ જેવું જ જે છે-તે-"મન" છે.
તેને પૃથ્વીની,જળ ની,ગરમી વગેરેની કશાની અપેક્ષા રહેતી નથી.
જેમ સ્વપ્ન નો દ્રષ્ટા એ નગરને ઉત્પન્ન કરે છે,
તેમ,"બ્રહ્મ માં કલ્પાયેલું" એ "મન" -એ પાછળથી પૃથ્વી વગેરે ને ઉત્પન્ન કરે છે.

એ "મન" ગમે ત્યાં રહ્યું હોય તો પણ,જગત-વગેરે ના અંકુર ને ઉત્પન્ન કર્યા જ કરે છે.
જગત નું બીજ -એ "મન-રૂપી" પાંચ તન્માત્રાઓ  છે.અને એ પાંચ તન્માત્રાઓ નું બીજ "પર-બ્રહ્મ" છે.
માટે જગત-એ-બ્રહ્મમય જ છે.કારણ કે જે બીજ હોય,તે જ અંકુર-આદિ રૂપે થાય છે.

આવી રીતે સૃષ્ટિ ના આરંભમાં-
પર-બ્રહ્મ-રૂપ "આકાશ"માં -બ્રહ્મ ના તે તે પદાર્થો-રૂપે પ્રતીત થવાના સ્વ-ભાવ ને લીધે,
અધિષ્ઠાન થી અભિન્ન એવો "શબ્દ" વગેરે પાંચ વિષયો નો સમૂહ-"કલ્પના" થી જ ઉઠયો છે.
જો કે વાસ્તવિક રીતે જોવા જતાં તો તે ઉત્પન્ન થયો જ નથી.

શબ્દ-વગેરે વિષયોના સમૂહો વૃદ્ધિ પામીને જે કંઈ આ જગત બનાવે છે-તે પણ-
ચિદાકાશ માં અધ્યાસ (આરોપ) કરીને જ બનાવવામાં આવે છે,
તે "કલ્પિત" છે અને "સત્ય" નથી,માટે જગતની "સ્થિતિ" એ પોતાની સત્તા થી નહિ,
પણ "અધિષ્ઠાન (બ્રહ્મ) ની સતા થી જ છે.

જે કલ્પિત પદાર્થો થી થયું હોય તે વાસ્તવિક હોતું નથી.
જેનું સ્વરૂપ જ "કલ્પના-મય" હોય-તેને "સત્ય-પણા" ની પ્રાપ્તિ કેમ કરી ને સંભવે?
આમ,શબ્દ-વગેરે-પાંચ વિષયો- એ "બ્રહ્મ-રૂપ" જ છે,અને તેથી તેમનાં "કાર્યો" પણ બ્રહ્મ-રૂપ જ છે.
અને જેથી કરીને આખું "બ્રહ્માંડ" પણ "બ્રહ્મરૂપ" જ છે .

જેમ,સૃષ્ટિના પ્રારંભ માં શબ્દ-વગેરે પાંચ વિષયો ની ઉત્પત્તિ મિથ્યા પ્રતીત થાય છે-
તેમ,ઉત્તર-કાળ (ઉત્પત્તિ પછી ના સમયમાં) તે વિષયો થી થતાં કાર્યો ની ઉત્પત્તિ પણ મિથ્યા જ છે.
આમ,જગત કદી પણ ઉત્પન્ન થયું નથી અને અધિષ્ઠાન થી જુદું જોવામાં આવતું નથી.

જેમ સ્વપ્ન માં "સંકલ્પ" થી ઉત્પન્ન થયેલું નગર -એ "અસત્" હોવાં છતાં "સત્" લાગે છે,
તેમ,પરમ-પ્રકાશમય "બ્રહ્માકાશ" માં "જીવ-પણું" "અસત્" છતાં "સત્" જેવું પ્રતીત થાય છે.
જેમ,"મહાકાશ"માં (ઘડા ને લીધે) મર્યાદિત "ઘટાકાશ" નો ઉદ્ભવ થાય છે,
તેમ,"બ્રહ્માકાશ" માં (શરીર ને લીધે) મર્યાદિત "જીવ" (આત્મા) નો ઉદ્ભવ થાય છે.

એ "જીવ" આ સ્થૂળ દેહ ને કેવી રીતે પામે છે?-તે વિષે હવે હું કહું છું તે તમે સાંભળો.

પરમાત્મા માં "કલ્પાયેલો" -સમષ્ટિ "જીવાકાશ" એ-
"હું તણખા જેવો અત્યંત નાનો તેજ નો કણ છું" એમ ચિંતવન (વિચાર) કરે છે,અને તેથી-
પોતાને તે  "તેજ ના કણ જેવો" જ અનુભવે છે.

એ અનુભવ-રૂપ "ભાવના" ની વૃદ્ધિ થાય છે,કણ-રૂપ નો અનુભવ કરતો તે -પોતે-
"અસત્" હોવાં છતાં "સત્" જેવો "જીવ-રૂપે" પ્રતીત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE