May 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-157



આશાથી પરવશ થયલું ચિત્ત પોતાને પરમાર્થ (પરમ-અર્થ) નું  જ્ઞાન ના હોવાથી -
"હું-મારું" વગેરે અસત્ય-રૂપ ને જુએ છે.  જીવને ભ્રાંતિ ને લીધે જ જગતનું સ્ફુરણ થાય છે,
અને તે બધું,"મનો-માત્ર" છે.ને "ભ્રાંતિ"ના ઉલ્લાસથી જ જણાય છે.

હે,રામ,સમુદ્રના સૌમ્ય-જળમાં જેવી રીતે પાણી ના સ્પંદ (મોજાં) પેદા થાય છે -તેવી રીતે,બ્રહ્મ-રૂપી સમુદ્રમાં
ચૈતન્ય-રૂપી જળમાં "ચિત્ત-રૂપી મોજાં" અને "સૃષ્ટિ-રૂપી પરપોટા" ઉત્પન્ન થાય છે.
સંવિત (સત્ય કે જ્ઞાન) નો એ "આભાસ" (સૃષ્ટિ) એ-"વિષય-રૂપે" રહેલ છે.
ચિદાભાસ-રૂપે -તે-બ્રહ્મ એ જીવ કહેવાય છે,તથા સંકલ્પથી તે બ્રહ્મ -એ મન કહેવાય છે.
વળી (પછી) તેના બુધ્ધિ-ચિત્ત્-અહંકાર-તથા માયા-એવાં નામ પડે છે.(અને તેથી જગત સત્ય જણાય છે)

સ્વપ્ન માં જેમ ભ્રમ થાય છે,તેમ તે ચિત્ત ને સંસૃતિ (ભ્રાંતિ) નો અનુભવ થાય છે.
આત્મા શુદ્ધ -નિત્ય તથા શાંત છે.ને તે ચિત્ત-રૂપી સ્વપ્ન ના વિભ્રમ ને જોતો હોય એમ જણાય છે.
(૧) જાગ્રત-અવસ્થા એ જ સંસૃતિ છે,(૨) અહંકાર એ સ્વપ્ન છે, (૩) ચિત્ત સુષુપ્તિ છે અને
(૪) ચૈતન્ય એ ચોથું (તૂર્ય) સ્થાનક છે,

આમ જીવ (પ્રત્યગાત્મા) જયારે અત્યંત શુદ્ધ ચૈતન્ય માત્ર ને પામે-એટલે તે "તુર્યાતીત પદ" કહેવાય.
એ પદમાં રહેનારો ફરીથી શોકવાન થતો નથી.
જેવી રીતે પૃથ્વી પર રહેલાં ઝાડ ઊંચાં વધે છે,તેની ઉન્નતિ નું કારણ આકાશ છે (ઉન્નતિ-કર્તા નહિ)
કારણકે-આકાશ એ ઝાડ ને ઊંચું થતાં રોકતું નથી,
તેવી રીતે,આત્મા એ માયાથી થયેલા સર્ગ ને રોકતો નથી.તેથી તેને "કર્તા" નો આરોપ થાય છે.
પણ વસ્તુતઃ (સત્યમાં) આકાશ જેમ વૃક્ષ નું ઉન્નતિ -કર્તા નથી,તેમ આત્મા એ જગત-કર્તા નથી.

જેમ શુદ્ધ અરીસામાં પાસે રહેલા પદાર્થ નું પ્રતિબિંબ પડે છે,તેવી રીતે આત્મા ના સંવેદન થી,
જગત પ્રતિબિંબ-રૂપે જણાય છે.
જેમ,વૃક્ષ ના બીજમાં થી અંકુર,પાન અને ફળ થાય છે તેમ,ચૈતન્ય-રૂપી બીજમાંથી,
ચિત્ત-જીવ અને મન ની કલ્પના થી જગત ઉત્પન્ન થાય છે.
વાસનાથી વાસિત-ચિત્ત એ ચૈતન્ય ને લીધે,ચિત્ત અને સર્ગ રૂપે ઉત્પન્ન થાય છે.

બીજમાં બીજ અને વૃક્ષ બંને રહેલ છે,તેનું જ્ઞાન તેને હોય કે નહોય પણ તેમાંથી વૃક્ષ ઉત્પન્ન થાય છે.
પણ,જેવો આ વૃક્ષ અને બીજ નો ભેદ છે-તેવો (ચિત્ત-રૂપે થયેલ) જગત ને બ્રહ્મ માં ભેદ નથી.
કારણકે બીજ અને વૃક્ષ ના જ્ઞાન-માત્ર થી તેના અખંડિત-રૂપ નું ભાન થતું નથી,પણ
બ્રહ્મ ના જ્ઞાન (બોધ)  માત્રથી જ-જેમ દીવો કરવાથી,પદાર્થના રૂપ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન થાય છે,
તેમ (બ્રહ્મના જ્ઞાનથી) અખંડ સ્વરૂપનું જ્ઞાન થાય છે.

જેમ પૃથ્વીમાં  જેમ જેમ ખોદવામાં આવે તેમ તેમ તે ખોદેલા ભાગમાં આકાશ થતું (ભરાતું) જાય છે -
તેમ અવિદ્યા(અજ્ઞાન)  જેવો જેવો વિચાર કરે છે,તેવો તેવો અધિષ્ઠાન ની સત્તા થી અનુભવ થાય છે.
જેમ,શુદ્ધ સ્ફટિક માં પડેલા પ્રતિબિંબ ના કારણે જેમ અજ્ઞાનને કારણે,વન-વગેરે જોવામાં આવે છે,
તે પ્રમાણે શુદ્ધ બ્રહ્મ-માં -એ અનેક પ્રકારના જગત ના જેવું જોવામાં આવે છે.

રામ કહે છે કે-અહો,એ આશ્ચર્ય છે કે જગત અસત્ છતાં સત્ જણાય છે.
હે,પ્રભુ,બ્રહ્મ માંથી આત્મા (જીવ) કઈ રીતે પેદા થાય છે તે-ફરીથી કહો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE