Aug 20, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-256


ભૃગુ ઋષિ કાળ ને કહે છે કે-
હે,ભગવન,આ મારા પુત્રનું "એક કલ્પ સુધી મૃત્યુ થાય જ નહિ" એમ હું સમજતો હતો.
તે છતાં તેને મરેલો જોવાથી,મારા મનને સંભ્રમ ઉત્પન્ન થયો કે-
મારા પુત્રનો આયુષ્ય નો ક્ષય થયો નથી,તો પણ કાળ તેનું કેમ હરણ કરી ગયો?
એવી રીતે દૈવ ના પરવશપણાથી મારી તુચ્છ ઈચ્છાનો ઉદય થયો.
હે,પ્રભુ,અમે,સંસારની ગતિને જાણીએ છીએ,
તો પણ સંપત્તિ અને આપત્તિ ને લીધે હર્ષને ખેદ ને વશ થઈએ છીએ.
માટે જ અયોગ્ય કામ કરનાર પર ક્રોધ કરવો અને યોગ્ય કામ કરનાર પર પ્રસન્ન થવું,
એવી જ સ્થિતિ સંસારમાં રહેલી છે.
હે પ્રભુ,અમુક કાર્ય અવશ્ય કરવું જોઈએ અને અમુક કાર્ય ના કરવું જોઈએ –
તેવો-જ્યાં સુધી નિશ્ચય છે-ત્યાં સુધી જ જગતનો ભ્રમ છે.
પણ સત્યમાં તો-તે જગતના ભ્રમનો તથા ક્રોધ અને પ્રસન્નતાના નિયમ નો ત્યાગ કરવો જોઈએ.

તમે તો નિયતિ નું પાલન કરનારા છો,એ વિષે કંઈ પણ વિચાર્ય વિના મેં તમારા પર ક્રોધ કર્યો,
તેથી હું શિક્ષાને પાત્ર થયેલો છું.
તમે તો મારા પર મહેરબાની કરીને મારા પુત્રના મનની  ચેષ્ટાઓ નું સ્મરણ કરાવ્યું.
આ જગતમાં મન છે તે જ ભૌતિક શરીરની કલ્પના કરે છે.
માટે એક ભૌતિક અને બીજું મન-રૂપી –એમ બે શરીરો છે અને મન-રૂપી શરીર થી સંસાર ની ભાવના થાય છે.
કાળ કહે છે કે- હે,મુનિ,તમે સાચું કહ્યું.મન છે તે જ શરીર છે,
જેમ,કુંભાર ઘડાનું નિર્માણ કરે છે તેમ,મન સંકલ્પથી દેહને ઉત્પન્ન કરે છે.
જેમ,બાળક ભૂતની કલ્પના કરે છે તેમ,મન -એ -મોહથી સંકલ્પ કરીને-
નહિ કરેલા આકારને કરે છે.અને કરેલા આકારનો નાશ પણ કરે છે.

સંભ્રમ થવો,સ્વપ્ન થવું,મિથ્યા જ્ઞાન થવું-વગેરે,તથા અસત્ આકાર નજરે આવવા-
એ બધી શક્તિ મનમાં રહેલી છે.
હે,મુનિ,આ સ્થૂળ દ્રષ્ટિની દશાના આધારથી,મન તથા શરીર-એમ પુરુષની બે કાયા છે.એમ કહેવામાં આવે છે. મન ના મનન-માત્ર થી આ ત્રણ જગતનું નિર્માણ થયેલું છે.
અને તે સત્ પણ નથી અને અસત્ પણ નથી.તેથી તે અનિર્વચનીય છે.
વૃદ્ધિ પામેલી,ભેદની વાસનાના લીધે અને અજ્ઞાન થી થયેલા બે ચંદ્ર ના જ્ઞાન ની જેમ,
આ જગત નું અનેક-પણું ઉત્પન્ન થયેલું છે.
”ભેદ-વાસના” વડે પદાર્થ ને જોનારું મન,સર્વ પદાર્થ ને ભિન્ન-ભિન્ન જુએ છે.

“હું દુઃખી છું-હું મૂઢ છું” વગેરે,ભાવો ની ભાવના કરનારું મન,
પોતાના વિકલ્પ થી,થયેલા,સંસાર-પણાના ભાવ ને પામે છે.
જયારે- ”મન થી કલ્પિત થયેલું આ કૃત્રિમ-રૂપ એ મારું નથી” એમ વિચારી એ કૃત્રિમ રૂપનો
ત્યાગ કરવાથી,મન શાંત થઈને સનાતન-બ્રહ્મનું જ સ્વ-રૂપ થઈને રહે છે.

જેમ,સમુદ્રમાં તરંગો રહેલા નથી,તેમ જ તેમાં તરંગો નથી રહેલા તેમ પણ નથી.પણ,
માત્ર સમુદ્રમાં જે તરંગો જોવામાં આવે છે,તે "સંકલ્પથી જુદા-પણાના ભેદ માટે કલ્પેલા" છે.
વારંવાર,તરંગો નો નાશ થાય  છે અને વારંવાર તરંગો પેદા પણ થાય છે,તથા
તે એકબીજામાં સેળભેળ થાય છે,ત્યારે તેમાં ભિન્નતા જણાતી નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE