Aug 25, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-261


શુક્રાચાર્ય કહે છે કે-હે તાત,ઉભા થાઓ,ચાલો આપણે મંદર-પર્વત પર મારા સુકાઈ ગયેલા શરીર ને જોઈએ.
જો કે મારે તે શરીર થી કંઈ કર્તવ્ય નથી,તેમ કર્તવ્ય નથી તેમ પણ નથી.
માત્ર નિયતિની રચના જોવા માટે આપણે ત્યાં જઈએ.

“સત્ય એક આત્મા જ છે” એવા દૃઢ નિશ્ચય થી,જે -ચરિત્ર-શુભ ફળ આપનારું છે,
તે ચરિત્ર જેવી રીતે સ્થિર થાય તેવી રીતે હું અનુસરીશ.
માટે હવે મારી બુદ્ધિ કદીક પૂર્વ-દેહના જીવન-રૂપ થાય-તો પણ તેમાંકોઈ ક્ષતિ થવાની નથી.
તે પૂર્વ-દેહ વડે જે પ્રારબ્ધ શેષ રહ્યું છે,તેના ભોગ ને અનુકૂળ –પ્રાકૃત વ્યવહારનું
હું અનુસરણ કરીશ.અને તેમાં મૂઢ ની પેઠે અભિનિવેશ નહિ કરું.
(૧૫) શુક્રાચાર્યે કરેલો ખેદ-અને રામને ઉપદેશ.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,એ પ્રમાણે જગતની ગતિનો વિચાર કરતાં -તે ત્રણે (કાળ-ભૃગુ-શુક્ર) તત્વ-વેતાઓએ
સમંગા નદીના તટ થી પ્રયાણ કર્યું અને સિદ્ધો ના માર્ગે ક્ષણમાં મંદર-પર્વત ની ગુફા પાસે આવ્યા.
ત્યાં શુક્રાચાર્યે (સમંગા નદીના કિનારા ના બ્રાહ્મણ ના શરીરે રહેલા)
તે પર્વતની ઉપલી ભૂમિમાં લીલાં પાંદડાથી ઢંકાયેલું,તથા સુકાઈ ગયેલું,પોતાના પૂર્વ-જન્મનું શરીર જોયું.
શુક્રાચાર્ય કહે છે કે-હે,તાત,જે દેહનું તમે પૂર્વે લાલન કર્યું તે આ મારો દેહ છે.
આ શરીર પર પૂર્વે ધાત્રીએ સ્નેહનો અંગીકાર કરીને કપૂર-ચંદન નો લેપ કર્યો હતો,
આ મારા શરીરને માટે મેરુ-પર્વત ની ઉપવન ભૂમિમાં-મંદર-પુષ્પ ની શીતળ શય્યા રચી હતી.
જે મારા પૂર્વ દેહનું સ્ત્રીઓ એ લાલન કર્યું હતું ત આ મારો દેહ,
સર્પ-વીંછી-વગેરેના ડંખ-થી છિદ્ર-વાળો થઈને પૃથ્વી પર પડ્યો છે.તેને તમે જુઓ.
અરે,દેહ,જુદાજુદા વિચિત્ર વિલાસમાં ભિન્ન ભિન્ન દશામાં તથા જુદી જુદી ભાવનામાં તું ભરપૂર હતો,અને
હવે સ્થિત થઈને કેમ પડેલો છે?
અરે,દેહ, હવે તારું “શબ” એવું નામ પડ્યું છે.
તાપથી તું સુકાઈ ગયો છે,તથા હાડકાં નો માળો જ બની રહ્યો છે,તેથી તું મને ભય પમાડે છે.
જે દેહ વડે હું અનેક પ્રકારના વિલાસમાં હર્ષ પામતો હતો
તે જ દેહ જયારે અસ્થિ-પિંજર થઇ ગયો છે તો તેનાથી હું ભય પામું છું.
જે,સુવર્ણ ની કાંતિ જેવું મારું શરીર ઉત્તમ અપ્સરાઓને પણ લોભ પમાડે તેવું હતું,
તે હમણાં ભયંકર હાડ-પિંજર બન્યું છે.
આ મારું શરીર,તે “પોતાનું તુચ્છ-પણું” બતાવીને,સત્પુરુષ ના અંતઃકરણમાં
“શરીર ના મિથ્યા-પણા નો” ઉપદેશ કરતુ હોય તેમ દેખાય છે.

શબ્દ-રસ-સ્પર્શ-રૂપ-અને ગંધ ના લોભથી મુક્ત થઈને,જાણે નિર્વિકલ્પ સમાધિમાં હોય,
તે રીતે આ શરીર,સુકાઈ ગયેલું છે.અને
પોતાનામાંથી ચિત્ત-રૂપી પિશાચ નીકળી જવાથી જાણે સુખેથી રહેલું છે,
તથા, દૈવ થી પ્રાપ્ત થતી વિપત્તિ થી તે બીતું નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE