Nov 5, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-333



કોઈ સૃષ્ટિમાં (સૃષ્ટિ ના સમયમાં) પૃથ્વી --પ્રથમ ગીચ ઝાડોથી વ્યાપ્ત થઇ હતી,
કોઈ સૃષ્ટિમાં મનુષ્યો થી વ્યાપ્ત થઇ હતી,કોઈ સૃષ્ટિમાં પર્વતોથી વ્યાપ્ત થઇ હતી.
કોઈ -કોઈ સૃષ્ટિમાં તે-પૃથ્વી માટી-મય,કે પથરા-મય,કે સુવર્ણ-મય,કે તાંબા-મય થઇ હતી.

આ બ્રહ્માંડ માં અને બીજા બ્રહ્માંડોમાં પણ ઘણાઘણા વિચિત્ર પદાર્થો છે.
કેટલાંએક બ્રહ્માંડો પ્રકાશ વાળા -તો કેટલાંએક બ્રહ્માંડો પ્રકાશ વગરનાં પણ છે.
જેમ અનંત મહાસાગરમાં અનંત તરંગો પ્રગટ થાય છે અને તેમાં જ મટી જાય છે,
તેમ,આ બ્રહ્મ-તત્વ-રૂપી-મોટા આકાશ-માં અનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે અને તેમાં જ તિરોહિત (મળી) થાય છે.
બ્રહ્મ-તત્વમાં જે ચપળ આકાર-વાળા બ્રહ્માંડો ના સમુહો પ્રગટ થાય છે તેમની કોઈ કાળે ગણત્રી થઇ શકે તેમ નથી.આ સૃષ્ટિ ઓની પરંપરાઓ કયા કાળથી આરંભાયેલી છે-તે ચોક્કસ જાણવામાં આવતું નથી.
થઇ ગયેલી અસંખ્ય-સૃષ્ટિઓમાં પહેલી સૃષ્ટિ કઈ થઇ હતી? તેનો નિર્ણય થઇ શકતો નથી.

જ્યાં સુધી "સૂક્ષ્મ-બુદ્ધિ" થી "આ સઘળું કંઈ જ નથી" એવો બાધ (નિરોધ) કરવામાં ના આવે ત્યાં સુધી,
'પર-બ્રહ્મ-રૂપ-આકાશ' માં મોટા આકારો તથા વિકારો વાળાં બ્રહ્માંડો (ની કલ્પના) થયા જ કરશે.
આ સઘળી સૃષ્ટિઓ અજ્ઞાનીઓ એ કલ્પી કાઢી છે,તે આકાશ ની વેલ ની જેમ વિસ્તાર પામે છે-ઉગે છે અને
આથમે છે.તે સાચી પણ નથી અને ખોટી પણ નથી,પરંતુ અનિર્વચનીય (ના કહી શકાય તેવી) છે.

સઘળાં બ્રહ્માંડો ની સઘળી સૃષ્ટિઓ -એ આત્મ-તત્વ થી જુદી નથી-તેવો તત્વવેત્તાઓનો નિર્ણય (સિદ્ધાંત) છે.
જયારે મૂર્ખ લોકો તો-જેમ વાદળાંમાંથી વૃષ્ટિ આવે છે તેમ ઈશ્વરમાંથી સૃષ્ટિઓ આવે છે તેમ માને છે.
હે,રામ,જેમ માળાના મણકામાં દોરો એક જ હોય છે-તેમ સ્થૂળ-ભૂતો થી થયેલી દેહાદિક ની સૃષ્ટિઓમાં,
તથા સૂક્ષ્મ-ભૂતો થી થયેલી ઇન્દ્રિયાદિકની સૃષ્ટિઓમાં "મેલ-રૂપ-માયા" એક જ છે,
અને તે માયા આત્મ-તત્વ માં "કલ્પાયેલી" છે.

કોઈ સૃષ્ટિમાં પ્રથમ આકાશ,સ્થૂળ થાય,અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય -તો તે આકાશમાંથી થયેલા કહેવાય છે,
કોઈ સૃષ્ટિમાં પ્રથમ વાયુ સ્થૂળ થાય,અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય -તો તે વાયુમાંથી થયેલા કહેવાય છે,
કોઈ સૃષ્ટિમાં પ્રથમ  તેજ,સ્થૂળ થાય,અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય -તો તે તેજમાંથી થયેલા કહેવાય છે(તેજસ)
કોઈ સૃષ્ટિમાં પ્રથમ  જળ,સ્થૂળ થાય,અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય -તો તે જળમાંથી થયેલા કહેવાય છે,
કોઈ સૃષ્ટિમાં પ્રથમ પૃથ્વી,સ્થૂળ થાય,અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય -
તો તે પૃથ્વીમાંથી થયેલા કહેવાય છે(પાર્થિવ)

આકાશ -વગેરે પાંચ-ભૂતોમાં જયારે જે એક ભૂત બીજા ચારને દબાવીને અધિક વધે છે-ત્યારે બ્રહ્મા તે વધેલા ભૂતમાંથી અકસ્માત જ ઉત્પન્ન થાય છે.અને ઉત્પન્ન થઈને તે પછી જગતની રચના કરે છે.
બ્રહ્મા ઉત્પન્ન થયા પછી,કોઈ સમયે-મોઢામાંથી,-તો કોઈ સમયે જુદાજુદા અંગોમાંથી પ્રાણીઓ -વગેરે ઉત્પન્ન થાય છે.કોઈ સૃષ્ટિ માં વિષ્ણુની નાભિમાંથી કમળ ઉત્પન્ન થાય છે-અને કમળમાંથી બ્રહ્મા વૃદ્ધિ પામે છે.
તેથી બ્રહ્મા કમળમાંથી ઉત્પન્ન થયેલા કહેવાય છે.

પાણી ની ચપળ ચકરી ની જેમ શોભતી આ સૃષ્ટિ-એ "માયા" છે,
સ્વપ્ન ના જેવી ભ્રાંતિ છે.ભ્રમ થી રચાયેલી ફૂદડી જેવી છે અને મનોરાજ્ય ની જેમ કલ્પિત છે.
આવી સૃષ્ટિ માં "તે સૃષ્ટિ નું  શું તત્વ છે?અને તે (માયા) તત્વમાં કેમ થવી સંભવે?" એ કંઈ પૂછવા જેવું છે?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE