એ જ્ઞાનને સાધી આપનાર થઇ શકતું નથી.બાકી,જો તરુણપણું વિવેકવાળું હોય તો જીવતે જીવ
જીવનનું સાફલ્ય કરી આપનાર નીવડે છે.વીજળીના ઝબકારા જેવા આ ચપળ સંસારમાં આવી,
સદ-શાસ્ત્ર ને સદ-સંગતિ દ્વારા મોહ-રૂપ-કાદવમાંથી,સાર-રૂપ-એવા આત્માને ખેંચી કાઢવો જોઈએ.
અહો! ખેદની વાત એ છે કે-મનુષ્યો કેવા ક્રૂર છે કે-તેઓ મોહ-રૂપી કાદવમાં ખૂંચી ગયેલા આત્માને
તેમાંથી બહાર કાઢી નાખવાનો પોતાનો પુરુષાર્થ કરતા નથી !!