Jun 18, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1182

(૧૬૪) જીવ-જગત અને બ્રહ્મનું ઐક્ય
વસિષ્ઠ કહે છે કે-ચિદાત્મા(બ્રહ્મ)રૂપી-સૂર્યનાં કિરણના સમૂહની અંદર જગતો સ્ફૂરી રહ્યાં છે.
તે કિરણોની અંદર પ્રસિદ્ધ-રૂપે જણાતા 'જીવ-રૂપી-પરમાણુ'ઓ,એ ચિદાત્મા-રૂપી-સૂર્યના જેવા જ છે,
તેથી તેમનું નિરવયવ-પણું (તે જીવો નિરવયવ છે તેવું) સિદ્ધ થાય છે.
સર્વ (પ્રકારે) સર્વનો ભેદ કરનાર ઉપાધિ (માયા)રૂપ વસ્તુ,પણ એ પરમ-બોધની પ્રાપ્તિ થતાં પોતાના
ભ્રાંતિમય સ્વરૂપને છોડી દે છે -અથવા-તો સર્વ વાક્યોનો 'એક' બ્રહ્મમાં સમન્વય થઇ જવાથી,
બીજું કોઈ ભેદ કરનાર કંઈ રહેતું નથી અને આમ ભેદ કરનાર (માયા-વગેર) પણ કોઈ છે જ નહિ.

Jun 17, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1181

વસિષ્ઠ કહે છે કે-યોગ્ય અધિકારી પુરુષો,પોતાના હૃદયમાંથી અવિદ્યા-રૂપી કચરો નીકળી ગયા પછી,
બ્રહ્મમાં જ ચિત્ત રાખી રહે છે,બ્રહ્મમાં જ પ્રાણને ધારણ કરીને રહે છે.પરસ્પર બોધ કરે છે,ભગવદ-ગુણનું
વર્ણન કરે છે,શુભ વાર્તાલાપ કરે છે અને પ્રસન્ન થઇ આનંદ પામે છે.આવા પોતાની અવિચ્છિન્ન ભક્તિ વડે પ્રીતિપૂર્વક
ભજનારા અને નિરંતર વિચારયુક્ત વિવેકી અધિકારીઓને હું (યોગ વાસિષ્ઠના જ્ઞાન-રૂપી-બોધનો)
ઉત્તમ બુદ્ધિનો યોગ આપું છું,તેથી તેઓ તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે.

Jun 16, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1180

વસિષ્ઠ કહે છે કે-ઇન્દ્રિયો-રૂપી સેનાનો નાયક (સેનાપતિ) તે ચિત્ત (મન) જ છે,તેથી ચિત્તને જીતી લેવાથી
ઇન્દ્રિયો જીતાઈ જાય છે.ને પોતાના જીવાત્માને હ્રદયમાં બ્રહ્મની સાથે એક કરી દઈ,સ્થિર રહેનારા તત્વજ્ઞ પુરુષનું મન,
તો પોતાની મેળે જ શમી જાય છે.બ્રહ્મમાં ચિત્તને રોકી રાખવાથી,જેવું તે ચિત્ત શાંતિને પ્રાપ્ત થાય છે,
તેવું તપ,તીર્થ,વિદ્યા અને યજ્ઞ આદિ ક્રિયાઓના સમૂહ વડે શાંતિ પામતું નથી.
માટે જે જે કંઈ વિષય બળાત્કારથી સ્મરણ-પથમાં આવે તેનો અધિષ્ઠાન ચૈતન્યમાં લય કરી દેવો,
અને પોતાના દૃઢ નિશ્ચય વડે જ તે વિષયોના સંસ્કારોને જડમૂળથી ઉખેડી નાખવા.