વસિષ્ઠ કહે છે કે-ચિદાત્મા(બ્રહ્મ)રૂપી-સૂર્યનાં કિરણના સમૂહની અંદર જગતો સ્ફૂરી રહ્યાં છે.
તે કિરણોની અંદર પ્રસિદ્ધ-રૂપે જણાતા 'જીવ-રૂપી-પરમાણુ'ઓ,એ ચિદાત્મા-રૂપી-સૂર્યના જેવા જ છે,
તેથી તેમનું નિરવયવ-પણું (તે જીવો નિરવયવ છે તેવું) સિદ્ધ થાય છે.
સર્વ (પ્રકારે) સર્વનો ભેદ કરનાર ઉપાધિ (માયા)રૂપ વસ્તુ,પણ એ પરમ-બોધની પ્રાપ્તિ થતાં પોતાના
ભ્રાંતિમય સ્વરૂપને છોડી દે છે -અથવા-તો સર્વ વાક્યોનો 'એક' બ્રહ્મમાં સમન્વય થઇ જવાથી,
બીજું કોઈ ભેદ કરનાર કંઈ રહેતું નથી અને આમ ભેદ કરનાર (માયા-વગેર) પણ કોઈ છે જ નહિ.