Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૨૩

પ્રકરણ-૧૭

 

 ॥ अष्टावक्र उवाच ॥

तेन ज्ञानफलं प्राप्तं योगाभ्यासफलं तथा । तृप्तः स्वच्छेन्द्रियो नित्यमेकाकी रमते तु यः ॥ १॥

અષ્ટાવક્ર કહે છે-કે-

જે પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદમાં રહે છે,

--માત્ર તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧)

 

न कदाचिज्जगत्यस्मिन् तत्त्वज्ञो हन्त खिद्यति । यत एकेन तेनेदं पूर्णं ब्रह्माण्डमण्डलम् ॥ २॥

તત્વ (સત્ય) ને જાણનારો આ જગતમાં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે,

--તેના એકલાથી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨)

 

न जातु विषयाः केऽपि स्वारामं हर्षयन्त्यमी । सल्लकीपल्लवप्रीतमिवेभं निम्बपल्लवाः ॥ ३॥

શલ્લકીનાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈને આનંદિત થયેલા હાથીને,

--જેવી રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી,તેમ,

--“આત્મા” રામ પુરુષને  કોઈ વિષયો હર્ષ પમાડતા નથી.(૩)

 

यस्तु भोगेषु भुक्तेषु न भवत्यधिवासितः । अभुक्तेषु निराकाङ्क्षी तदृशो भवदुर्लभः ॥ ४॥

જે મનુષ્ય ભોગવાયેલા ભોગોમાં આસક્ત થતો નથી અને,

--ના ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે.(૪)

 

बुभुक्षुरिह संसारे मुमुक्षुरपि दृश्यते । भोगमोक्षनिराकाङ्क्षी विरलो हि महाशयः ॥ ५॥

અહીં સંસારમાં ભોગેચ્છુ (ભોગોની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષની ઈચ્છાવાળા) દેખાય છે,

--પરંતુ ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગરના વિરલા મહાત્મા કોઈક જ છે.(૫)

 

धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य हेयोपादेयता न हि ॥ ६॥

કોઈ ઉદાર મન (બુદ્ધિ) વાળાને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને,

--જીવન તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬)

 

वाञ्छा न विश्वविलये न द्वेषस्तस्य च स्थितौ । यथा जीविकया तस्माद् धन्य आस्ते यथा सुखम् ॥ ७॥

જગતના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી,એવો,

--ધન્ય (કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે (૭)

 

कृतार्थोऽनेन ज्ञानेनेत्येवं गलितधीः कृती । पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन्नास्ते यथा सुखम् ॥ ८॥

સત્ય જ્ઞાનને પામેલો અને જે જ્ઞાનને પામવાથી,જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે,

--તેવો કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો)

--ભોગવતો હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે.(૮)

 

शून्या दृष्टिर्वृथा चेष्टा विकलानीन्द्रियाणि च । न स्पृहा न विरक्तिर्वा क्षीणसंसारसागरे ॥ ९॥

જયારે સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે,

--સર્વ ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને

--નથી આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી (૯)

 

न जागर्ति न निद्राति नोन्मीलति न मीलति । अहो परदशा क्वापि वर्तते मुक्तचेतसः ॥ १०॥

અહો,મનથી મુક્ત થયેલાની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે,

--નથી જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો.(૧૦)

 

सर्वत्र दृश्यते स्वस्थः सर्वत्र विमलाशयः । समस्तवासना मुक्तो मुक्तः सर्वत्र राजते ॥ ११॥

બધી વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ,સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે,

--સર્વત્ર નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧)

 

पश्यन् श‍ृण्वन् स्पृशन् जिघ्रन्न् अश्नन् गृण्हन् वदन् व्रजन्।ईहितानीहितैर्मुक्तो मुक्त एव महाशयः ॥१२॥

ઇચ્છાઓ અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે,

--જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે. (૧૨)

 

न निन्दति न च स्तौति न हृष्यति न कुप्यति । न ददाति न गृण्हाति मुक्तः सर्वत्र नीरसः ॥ १३॥

તે નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો ,

--નથી ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો,

--નથી કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો,અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩)

 

सानुरागां स्त्रियं दृष्ट्वा मृत्युं वा समुपस्थितम् । अविह्वलमनाः स्वस्थो मुक्त एव महाशयः ॥ १४॥

પ્રીતિયુક્ત (સુંદર) સ્ત્રી  જેની પાસે આવે કે,મૃત્યુ પાસે આવે,પણ તેને જોઈને જે મહાત્માનું મન,

--વિહવળ થતું નથી,પણ સ્વસ્થ રહે છે,તે મુક્ત જ છે. (૧૪)

 

सुखे दुःखे नरे नार्यां सम्पत्सु च विपत्सु च । विशेषो नैव धीरस्य सर्वत्र समदर्शिनः ॥ १५॥

આવા,બધેય સમદર્શી,ધીરજવાન પુરુષને,સુખમાં કે દુઃખમાં,સ્ત્રીમાં કે પુરુષમાં,

--સંપત્તિમાં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી. (૧૫)

 

न हिंसा नैव कारुण्यं नौद्धत्यं न च दीनता । नाश्चर्यं नैव च क्षोभः क्षीणसंसरणे नरे ॥ १६॥

જેનો (જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં,

--નથી હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬)

 

न मुक्तो विषयद्वेष्टा न वा विषयलोलुपः । असंसक्तमना नित्यं प्राप्ताप्राप्तमुपाश्नुते ॥ १७॥

મુક્ત પુરુષ,નથી વિષયોમાં આસક્ત થતો કે નથી વિષયોને ધિક્કારતો, પણ

--સદા અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓનો ઉપભોગ કરે છે.(૧૭)

 

समाधानसमाधानहिताहितविकल्पनाः । शून्यचित्तो न जानाति कैवल्यमिव संस्थितः ॥ १८॥

જેનું મન નાશ પામ્યું છે,તે સમાધાન કે અસમાધાન,હિત કે અહિત,વગેરેની

--કલ્પનાને પણ જાણતો નથી,પરંતુ,તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે.(૧૮)

 

निर्ममो निरहङ्कारो न किञ्चिदिति निश्चितः । अन्तर्गलितसर्वाशः कुर्वन्नपि करोति न ॥ १९॥

મમતા વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા,

--નિશ્ચયવાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે,

--તેવો મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મથી (કર્મના બંધનથી) લેપાતો નથી.(૧૯)

 

मनःप्रकाशसंमोहस्वप्नजाड्यविवर्जितः । दशां कामपि सम्प्राप्तो भवेद् गलितमानसः ॥ २०॥

જેનું મન ક્ષીણ બન્યું છે, અને જે મનના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ)થી

--રહિત છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય  દશાને પ્રાપ્ત થાય છે.(૨૦)

 

પ્રકરણ-૧૭-સમાપ્ત 



      PREVIOUS PAGE
     NEXT PAGE