પ્રકરણ-૧૭
અષ્ટાવક્ર
કહે છે-કે-
જે
પુરુષ સંતોષી અને શુદ્ધ ઇન્દ્રીયોવાળો છે અને સદાય એકલો (અસંગ) તથા આનંદ માં રહે
છે,
--માત્ર
તેણે જ જ્ઞાનનું અને યોગાભ્યાસ નું ફળ પ્રાપ્ત કર્યું છે. (૧)
તત્વ
(સત્ય) ને જાણનારો આ જગત માં કદી ખેદ ને પામતો નથી, તે વાત સાચી છે,કેમ કે,
--તેના
એકલા થી જ સમસ્ત બ્રહ્માંડ-મંડળ વ્યાપ્ત છે.(તેના સિવાય બીજું કશું છે જ નહિ) (૨)
શલ્લકી
નાં (એક જાતની મધુર રસવાળી વનસ્પતિનાં) પાન ખાઈ ને આનંદિત થયેલા હાથી ને,
--જેવી
રીતે લીંબડાનાં કડવા પાન આનંદ (હર્ષ) પમાડતાં નથી, તેમ,
--“આત્મા”
રામ પુરુષને કોઈ વિષયો હર્ષ પમાડતા
નથી. (૩)
જે
મનુષ્ય ભોગવાયેલા ભોગો માં આસક્ત થતો નથી અને,
--ના
ભોગવાયેલા ભોગો પ્રત્યે આકાંક્ષા રાખતો નથી,તેવા મનુષ્ય સંસારમાં દુર્લભ છે. (૪)
અહીં
સંસારમાં ભોગેચ્છુ (ભોગો ની ઈચ્છા વાળા) અને મોક્ષેચ્છુ (મોક્ષ ની ઈચ્છા વાળા)
દેખાય છે,
--પરંતુ
ભોગ અને મોક્ષ –એ બંને પ્રત્યે આકાંક્ષા વગર ના વિરલા મહાત્મા કોઈક જ છે. (૫)
કોઈ
ઉદાર મન (બુદ્ધિ) વાળા ને જ પુરુષાર્થો (ધર્મ,અર્થ,કામ,મોક્ષ) પ્રત્યે અને,
--જીવન
તથા મરણ ને માટે ત્યાજ્ય (ત્યાગનો) કે ગ્રાહ્યભાવ (ગ્રહણ કરવાનો) હોતો નથી. (૬)
જગત
ના વિલયની (નાશની) જેને ઈચ્છા નથી કે તે જગત રહે તો પણ જેને દુઃખ નથી, એવો,
--ધન્ય
(કૃતાર્થ) પુરુષ,સહજ મળતી આજીવિકા વડે સુખપૂર્વક (સંતોષમાં) રહે છે. (૭)
સત્ય
જ્ઞાનને પામેલો અને જે જ્ઞાન ને પામવાથી, જેની બુદ્ધિ (જ્ઞાનમાં) લય પામી ગઈ છે,
--તેવો
કૃતાર્થ (ધન્ય) પુરુષ,ઇન્દ્રિયો ના વિષયો (જોતો,સંભાળતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો)
--ભોગવતો
હોવાં છતાં (તે વિષયો પ્રત્યે અનાસક્ત હોવાથી) સુખપૂર્વક રહે છે. (૮)
જયારે
સંસારરૂપ સાગર ક્ષીણ થાય (સંસાર જતો રહે) ત્યારે દૃષ્ટિ શૂન્ય બને છે,
--સર્વ
ક્રિયાઓ (કર્મો) નિરર્થક બને છે,ઇન્દ્રિયો ક્ષુબ્ધ બને છે, અને
--નથી
આસક્તિ રહેતી કે નથી વિરક્તિ રહેતી.
(૯)
અહો,મનથી
મુક્ત થયેલા ની કેવી ઉત્કૃષ્ટ દશા છે !! કે,જે,
--નથી
જાગતો,નથી સૂતો,નથી આંખ બંધ કરતો કે નથી આંખો ખોલતો. (૧૦)
બધી
વાસનાઓથી મુક્ત બનેલો,જ્ઞાની મુક્ત પુરુષ, સર્વ ઠેકાણે સ્વસ્થ (શાંત) દેખાય છે,
--સર્વત્ર
નિર્મળ અંતઃકરણ વાળો રહે છે અને સર્વત્ર શોભે છે. (૧૧)
ઇચ્છાઓ
અને અનિચ્છાઓ (ને રાગ-દ્વેષ) થી મુક્ત એ મહાત્મા,ભલે,
--જોતો,સ્પર્શતો,સુંઘતો,ખાતો,ગ્રહણ
કરતો,બોલતો કે ચાલતો હોય છતાં મુક્ત જ છે.
(૧૨)
તે
નથી કોઈની નિંદા કરતો, કે નથી કોઈની સ્તુતિ (વખાણ) કરતો ,
--નથી
ખુશ થતો કે નથી નાખુશ (ક્રોધિત) થતો,
--નથી
કોઈને આપતો કે નથી કોઈની પાસેથી લેતો, અને સર્વત્ર રસ વગરનો થઈને રહે છે. (૧૩)
પ્રીતિયુક્ત
(સુંદર) સ્ત્રી જેની પાસે આવે કે,મૃત્યુ
પાસે આવે, પણ તેને જોઈને જે મહાત્મા નું મન,
--વિહવળ
થતું નથી,પણ સ્વસ્થ રહે છે,તે મુક્ત જ છે.
(૧૪)
આવા,બધેય
સમદર્શી,ધીરજવાન પુરુષને, સુખમાં કે દુઃખમાં,સ્ત્રીમાં કે પુરુષમાં,
--સંપત્તિ
માં કે વિપત્તિમાં કશો જ ફરક હોતો નથી.
(૧૫)
જેનો
(જેના મનમાં) સંસાર નાશ પામ્યો છે-તેવા મનુષ્યમાં,
--નથી
હિંસા કે નથી કરુણા,નથી ઉદ્ધતાઈ કે નથી નમ્રતા,નથી આશ્ચર્ય કે નથી ક્ષોભ (૧૬)
મુક્ત
પુરુષ, નથી વિષયોમાં આસક્ત થતો કે નથી
વિષયો ને ધિક્કારતો, પણ
--સદા
અનાસક્ત થઇ પ્રાપ્ત અને અપ્રાપ્ત વસ્તુઓ નો ઉપભોગ કરે છે. (૧૭)
જેનું
મન નાશ પામ્યું છે,તે સમાધાન કે અસમાધાન, હિત કે અહિત,વગેરે ની
--કલ્પના
ને પણ જાણતો નથી,પરંતુ,તે કેવળ કૈવલ્ય (મોક્ષ)માં જ સ્થિર રહે છે. (૧૮)
મમતા
વગરનો,અહંતા (અભિમાન) વગરનો,અને જગતમાં કાંઈજ નથી (જગત મિથ્યા) એવા,
--નિશ્ચય
વાળો,અને અંદરથી જેની બધી આશાઓ લય (નાશ) પામી ગઈ છે,
--તેવો
મનુષ્ય કર્મ કરે છતાં તે કર્મ થી (કર્મ ના બંધનથી) લેપાતો નથી. (૧૯)
જેનું
મન ક્ષીણ બન્યું છે, અને જે મન ના પ્રકાશ-અંધકાર,સ્વપ્ન અને જડતા (સુષુપ્તિ) થી
--રહિત
છે (વગરનો છે), તે કોઈ અવર્ણનીય દશા ને
પ્રાપ્ત થાય છે. (૨૦)
પ્રકરણ-૧૭-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૧૮