Mar 16, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૨


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

અધ્યાય-૧ -અર્જુન વિષાદ યોગ

કૌરવો એ પાંડવોના રાજ્યભાગ ના હક્ક ની અવગણના કરી,
કૃષ્ણ શાંતિદૂત બન્યા પણ સમજાવટ અસફળ રહી ,
રાજ્યભાગ માટે યુદ્ધ નો આરંભ થયો.
યુદ્ધની વચ્ચે ઉભેલા રથમાં અર્જુન અને સારથી કૃષ્ણ છે.


અર્જુને સામે લડનારા ઓ માં પોતાના સગા -સંબંધી ઓ ને જોયા (૨૬)

અને વિચારમાં પડી ગયો કે-- સ્વજનોનો વધ કરી મળેલી રાજ્ય પ્રાપ્તિ થી કયો આનંદ મલશે?
ખેદ-શોક થયો .અને તેનું  શરીર ઢીલું પડી ગયું ,મુખ સુકાણું અને શરીર માં કંપ થયો (૨૯)
અને કૃષ્ણ ને કહે છે કે--"સામે ઉભેલા સગા-સંબધીઓ ભલે મને મારી નાખે પણ 
ત્રણે લોક ના રાજ્ય માટે પણ હું તેમણે મારવા ઇચ્છતો નથી (૩૫)
કારણકે કુળનો નાશ થતા કુલ ધર્મો નાશ પામે છે.કુળધર્મ નાશ થતાં કુળ અધર્મ માં દબાઈ જાય છે.(૪૦)
આમ શોક(વિષાદ) થી વ્યાકુળ અર્જુન ધનુષ્ય-બાણ છોડી બેસી ગયો (૪૭)
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1