સ્કંધ પહેલો-૩૦ (ચાલુ)
દ્રૌપદીએ અશ્વસ્થામા ને
બચાવ્યો.
અર્જુન ને કહ્યું-“આને
મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી ,એક પણ હવે જીવતો થવાનો નથી.
પરંતુ અશ્વસ્થામા ને મારશો
તો તેની મા ગૌતમી ને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામા ની મા વિધવા છે.
તે પતિ ના મર્યા પછી
પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”
કોઈના આશીર્વાદ ન લો તો કઈ
નહિ-પણ કોઈનો નિસાસો લેશો નહિ. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહિ.
જગતમાં બીજાને રડાવશો નહિ,
જાતે રડજો,
ભીમ કહે છે-આ બાલ-હત્યારા
ઉપર દયા હોતી હશે ?તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ ? પણ -દ્રૌપદી વારંવાર કહે છે-મારશો
નહિ.
અર્જુન વિચારમાં પડ્યા. ત્યારે-શ્રીકૃષ્ણે
આજ્ઞા કરી-દ્રૌપદી બોલે છે તે બરાબર છે.તેના દિલ માં દયા છે.
ભીમે કહ્યું-મનુસ્મૃતિ માં
કહ્યું છે-કે-આતતાયી ને મારવામાં પાપ નથી.
શ્રીકૃષ્ણ પણ મનુસ્મૃતિ ને
માન્ય રાખી જવાબ આપે છે-બ્રાહ્મણ નુ અપમાન એ મરણ બરાબર છે,માટે અશ્વસ્થામા ને
મારવાની
જરૂર નથી.તેનું અપમાન કરીને
કાઢી મુકો.
અશ્વસ્થામા નુ મસ્તક
કાપ્યું નહિ પણ તેના માથા માં જન્મ સિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. અશ્વસ્થામા તેજહીન
બન્યા.
ભીમે વિચાર્યું-હવે
મારવાનું શું બાકી રહ્યું.? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મારવા
જેવું છે.
અશ્વસ્થામા એ વિચાર કર્યો-આના
કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. પણ પાંડવોએ જે આવું મારું અપમાન કર્યું
છે-
તેનો બદલો હું લઈશ.મારું
પરાક્રમ બતાવીશ.અભિમન્યુ ની પત્ની ઉત્તરા ના પેટમાં ગર્ભ છે, તે એક માત્ર –પાંડવોનો
ઉત્તરાધિકારી
છે. તે ગર્ભ નો નાશ થાય તો –પાંડવો
ના વંશ નો નાશ થશે.
એમ વિચારી-ઉત્તરા ના ગર્ભ
પર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ઉત્તરા ના શરીર ને બાળવા લાગ્યું-તે
વ્યાકુળ થયા છે.
દોડતાં-દોડતાં શ્રીકૃષ્ણ
પાસે આવ્યા છે. શ્રીકૃષ્ણ ઉત્તરા ના ગર્ભ માં જઈ –પરીક્ષિત નુ રક્ષણ કરે છે.
સર્વનું ગર્ભ માં કોણ રક્ષણ
કરે છે? ગર્ભમાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. નાની એવી કોટડીમાં જીવ નુ પોષણ કેમ
થતું હશે ?
જીવ માત્ર નુ રક્ષણ ગર્ભ
માં પરમાત્મા કરે છે-અને જન્મ થયા પછી પણ જીવ નુ રક્ષણ પરમાત્મા જ કરે છે.
માતા પિતા –જો રક્ષણ કરતાં
હોય તો કોઈનો છોકરો મરે જ નહિ. મા-બાપ રક્ષણ કરતાં નથી-પ્રભુ રક્ષણ કરે છે.
જે પોતે કાળ નો કોળિયો
છે-તે બીજાનું રક્ષણ શું કરી શકવાનો છે ?
ગર્ભ માં તો જીવ –હાથ જોડી
પરમાત્મા ને નમન કરે છે, પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટી જતાં –તેનું નમન છૂટી જાય
છે-
અને પ્રભુ ને ભૂલી જાય છે.
જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અક્કડ થઈને ચાલે છે-કહે છે-કે હું ધર્મ માં –ઈશ્વરમાં
માનતો નથી.
પરમાત્મા ના અનંત ઉપકારો ને
જીવ ભૂલી જાય છે. અને તે ઉપકારો નું સ્મરણ માત્ર કરતો નથી.
દ્રૌપદી એ ઉત્તરા ને શિખામણ
આપેલી કે-જીવન માં દુઃખ નો પ્રસંગ આવે તો ઠાકોરજી નો આશ્રય લેવો. કનૈયો પ્રેમાળ છે.
તે તમને
જરૂર મદદ કરશે.
તમારા દુઃખ ની વાત
દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહિ.
સાસુ જો માળા-જપ –સેવા કરતાં
હશે-તો કોઈ દિવસ વહુ ને પણ જપ કરવાની ઈચ્છા થશે. પણ સાસુ જ જો ગપ્પાં મારવા જતી
હશે તો વહુ પણ એવી જ થશે.
બાપ જો ચાર વાગે ઉઠતો હોય-ભગવત-સેવા-સ્મરણ
કરતો હશે તો છોકરા ઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની અને સ્મરણ કરવાની
ઈચ્છા થશે, પણ બાપ સવારે કપદર્શનમ(ચા
નો કપ) થયા પછી ઉઠતો હોય –તો બાળક પણ એવો જ થશે.
વ્યસન (ચા-વગેરે)છોડવા
જોઈએ. ના છોડો-તો-ખ્યાલ રાખો-કે-તમે પરમાત્મા ના દાસ છો-વ્યસન ના નહિ.
વ્યસન ના ગુલામ ન થશો. તો
ધીરે ધીરે વ્યસન છૂટી જશે.
ઉત્તરા એ જોયેલું કે-સાસુ-(દ્રૌપદી)-રોજ
દ્વારકાનાથ ને રીઝાવે છે. તેથી તે રક્ષણ માટે પરમાત્મા પાસે ગયા છે. (પાંડવો પાસે
નહિ.)
શ્રીકૃષ્ણ સમજી ગયા,ઉત્તરાજીના
પેટમાં પ્રવેશ કર્યો.
ગર્ભ માં જીવ મા ના
મુત્ર-વિષ્ઠા માં આળોટે છે.ગર્ભવાસ એ જ નર્કવાસ છે.
પરીક્ષિત ભાગ્યશાળી
છે-કે-તેમણે માતા ના ગર્ભ માં જ પરમાત્મા ના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ
શ્રોતા છે.
ભગવાન કોઈ ના ગર્ભ માં જતાં
નથી. પણ પરમાત્મા ની લીલા અપ્રાકૃત છે. દેવકી ના પેટમાં ભગવાન ગયા નથી.પણ દેવકીને
ભ્રાંતિ કરાવી છે કે –મારા પેટમાં
ભગવાન છે.
પરંતુ આજે એવી જરૂર પડી
હતી-આજે ભક્ત નુ રક્ષણ કરવું હતું-એટલે ગર્ભ માં ગયા છે.
પરમ આશ્ચર્ય થયું છે.
શ્રીકૃષ્ણે –સુદર્શન ચક્ર થી –બ્રહ્માસ્ત્ર નુ નિવારણ કર્યું છે.
આમ પરીક્ષિત નુ રક્ષણ
કરી-દ્વારકા નાથ –દ્વારકા પધારવા તૈયાર થયા છે,
કુંતાજી ને ખબર પડી છે.