સ્કંધ પહેલો-૩૫ (ચાલુ)
શરીર સારું છે-ત્યાં સુધી –સાવધ
થઇ જાવ. અંત કાળ માં જીવ બહુ અકળાય છે.શરીર રોગ નું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે
વાત-પિત્ત-કફ ના પ્રકોપ થી
ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે
પ્રાર્થના કામ લાગતી નથી.
આજ થી જ નક્કી કરો કે-મારે
કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે. પ્રભુ ને રોજ પ્રાર્થના કરો.
શરીર માં શક્તિ છે ત્યારે જ
ખુબ ભક્તિ કરો અને પ્રભુ ને રીઝાવો.-તો અંત કાળે –પ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ
લેવા આવે છે.
લાલાજી ને રોજ પ્રાર્થના
કરો-તો-લાલાજી જરૂર આવશે.
ભીષ્મ પિતા શ્રીકૃષ્ણ ની
સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવાં ઉભા છો-તેવાજ ઉભા રહેજો. મારી પ્રતીક્ષા
કરતાં તમે ઉભા રહો.
શ્રી કૃષ્ણ વિચારે છે-મને
બેસવાનું પણ નહિ કહે ?
પુંડરિક ની સેવા યાદ આવે
છે. તુકારામે એક વાર-પ્રેમ માં પુંડરિક ને ઠપકો આપ્યો. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે
આવ્યા-તેની
કદર ના કરી. મારા પ્રભુને
તેં ઉભા રાખ્યા છે !!!
શ્રીકૃષ્ણ પૂછે છે કે-મારે
ક્યાં સુધી આમ ઉભા રહેવાનું ?
ભીષ્મ કહે છે-તમારાં દર્શન
કરતાં કરતાં –પ્રાણ છોડીને- તમારાં ચરણ માં ના આવું-ત્યાં સુધી ઉભા રહો.
શ્રીકૃષ્ણ કહે છે-દાદા-આ
ધર્મ રાજા ને થાય છે કે-મેં બધાને માર્યા છે.મારે લીધે સર્વનાશ થયો છે. તેમણે
શાંતિ મળે તેવો ઉપદેશ આપો.
ભીષ્મ કહે છે-કે-ઉભા
રહો-ધર્મ રાજાની શંકા નું સમાધાન હું પછી કરીશ.પણ મારી એક શંકા નું સમાધાન તમે
પહેલાં કરો.
મારા એક પ્રશ્ન નો તમે જવાબ
આપો.હું બીજા કોને પૂછવા જઈશ?
પ્રભુ એ કહ્યું-તમે
પૂછો-હું જવાબ આપીશ.
ભીષ્મ કહે છે કે-મારું જીવન
નિષ્પાપ છે,મારું તન-મન પવિત્ર છે,મારી ઇન્દ્રિયો શુદ્ધ છે.તેમ છતાં મને આવી બાણ-શૈયા
પર કેમ સૂવું
પડ્યું છે ? હું નિષ્પાપ
છું છતાં આવી સજા મને કેમ કરો છો ?
શ્રીકૃષ્ણ કહે છે-દાદાજી
આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે.તેથી તો હું તમને મળવા આવ્યો છું. પણ તમે એકવાર
આંખથી પાપ જોયું છે. અને આપે પાપ જોયું તેની આ સજા છે.
ભીષ્મ કહે છે કે-તે પાપ મને
યાદ આવતું નથી.મેં કયું પાપ જોયું છે ?
કૃષ્ણ કહે છે-દાદાજી તમે
ભૂલી ગયા હશો,પણ હું ભૂલ્યો નથી.મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો-તમે સભા માં
બેઠા હતા-
દુશાસન દ્રૌપદીને ત્યાં લઇ
આવ્યો હતો. દ્રૌપદી એ ન્યાય માગેલો-જુગારમાં પતિ પોતે પોતાને જ હારી જાય પછી એ
પત્ની ને દાવ માં કેવી રીતે
લગાડી શકે ? ત્યારે તમે કંઇ બોલ્યા નહિ.આવું ભરી સભા માં પાપ થતું તમે નિહાળો,તે
તમારા જેવા
જ્ઞાનીને શોભે નહિ. તમે તે
વખતે દ્વિધા માં પડેલા હતા. સભામાં અન્યાય થતો હતો-તે તમે જોયો છે-તેની આ સજા છે.
ભીષ્મ પિતા એ
વિચાર્યું-કૃષ્ણ સાચું કહે છે-તે દિવસે મને કેમ આ ના સમજાયું ?
તેમણે શ્રીકૃષ્ણ ને નમન
કર્યું છે. પરમાત્મા ની નજર પડી. ભીષ્મ ની વેદના શાંત થઇ છે.
ભીષ્મ પિતા એ
પછી-ધર્મરાજાને ઉપદેશ કર્યો છે.સ્ત્રીધર્મ-આપદ ધર્મ-રાજધર્મ-મોક્ષધર્મ-વગેરે
સમજાવ્યા છે. મહાભારત ના શાંતિપર્વ માં
આ બોધ આપેલો છે. તે પછી પરમ
ધર્મ બતાવ્યો.
ભીષ્મ કહે છે-સ્થાવર-જંગમ
રૂપ સંસાર ના સ્વામી-બ્રહ્માદિ દેવો ના યે દેવ-દેશ,કાળ અને વસ્તુ થી અપરિછિન્ન-ક્ષર,અક્ષરથી
શ્રેષ્ઠ-
પુરુષોત્તમના-સહસ્ત્ર નામો
નું નિરંતર-તત્પર રહી ને-ગુણ સંકીર્તન કરવાથી –પુરુષ સર્વ દુઃખો માંથી મુક્ત બને
છે.
શંકરાચાર્ય ને
વિષ્ણુ-સહસ્ત્રનામ નો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું ભાષ્ય તેમણે વિષ્ણુ-સહસ્ત્રનામ
પર લખેલું.
તેમનો છેલ્લો –ગ્રંથ છે-બ્રહ્મસુત્ર
પર નું શાંકરભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી છે.
સંત તુકારામને પણ વિષ્ણુ
સહસ્ત્રનામ બહુ પ્રિય.તેમની પુત્રી ના લગ્ન થયા. જમાઈ ને દાયજા માં શું આપ્યું
?ફક્ત પોતાના
હાથે લખેલી-વિષ્ણુસહસ્ત્રનામ
ની પ્રત આપી. અને કહ્યું-આનો નિત્ય પાઠ કરજો. આ હજાર નામ-હજાર શસ્ત્રો
જેવા છે.તે તમારું રક્ષણ
કરશે અને કલ્યાણ કરશે.
વિષ્ણુસહસ્ત્રનામ નો રોજ બે
વખત પાઠ કરો.(અર્થ સમજીને) એક વખત જમ્યા પહેલાં અને એક વખત રાતે સૂતાં પહેલાં.
કપાળે લખેલા વિધાતા ના લેખ-ભુંસવાની-કે
બદલવાની શક્તિ વિષ્ણુસહસ્ત્રનામ માં છે.
ગરીબ માણસ વિષ્ણુયાગ યજ્ઞ તો ક્યાંથી
કરી શકે ?પણ જો તે ૧૫ હજાર
પાઠ કરે તો એક વિષ્ણુયાગ નું પુણ્ય મળે છે.
અતિ દુઃખ માં પણ મનુષ્ય
ભોજન છોડતો નથી. ભોજન ની જેમ ભજન પણ
છોડ્યા વગર નિયમ રાખી ને –બાર વર્ષ સુધી –
આ સત્કર્મ કરો.પછી અનુભવ
થશે.
ઉત્તરાયણ નો સમય આવ્યો
છે.ભીષ્મ મૌન રાખી-પરમાત્માનું ધ્યાન કરે છે-પરમાત્મા માં તન્મય થયા છે-સ્તુતિ કરે
છે.
“હે,નાથ,આપણા દર્શન હું
ખાલી હાથે કેમ કરું ?હું તમને શી ભેટ અર્પણ કરું ? મારાં મન-બુદ્ધિ તમારાં ચરણે
ધરું છું.”