ડોંગરેજી મહારાજ ની કથા પર
આધારિત
સ્કંધ ત્રીજો-૧૩ (સર્ગ
લીલા)
ભાગવત માં વ્યાસજી એ લખ્યું
છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.
આમ ખરેખર બને તો વિચાર
કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં
જોઈએ.
પણ ભાગવત ની આ સમાધિ ભાષા
છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.
અહીં લોભ નું સ્વરૂપ
બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી
લોભ-વધે છે.
હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ
એટલે-આંખો. જેની આંખ માં સોનું –ભર્યું છે –જેને સોનું જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.
હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ-
લોભ છે. તેને ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ
–લોભ છે.
આ લોભ ને
જીતવો –એ-બહુ મુશ્કેલ કામ છે.
ભગવાન ને આ લોભ –(હિરણ્યાક્ષ
અને હિરણ્યકશિપુ) ને મારવા બે અવતાર લેવા પડ્યા છે.
હિરણ્યાક્ષ ને મારવા-વરાહ
અવતાર અને હિરણ્યકશિપુ ને મારવા નૃસિંહ અવતાર.
કામ (રાવણ-કુંભકર્ણ) ને
મારવા –એક જ રામજી નો અવતાર.અને
ક્રોધ (શિશુપાલ-દંતવક્ત્ર) ને મારવા –એક જ કૃષ્ણાવતાર.
લોભ –જેમ જેમ વધે તેમ તેમ –ભોગ- વધે છે. ભોગ વધે
તેમ પાપ વધે છે.
જ્યારથી લોકો એમ માનવા લાગ્યા
કે-કેવળ પૈસાથી જ સુખ મળે છે-ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે.
પૈસા થી થોડી સગવડતા મળે
છે,પણ શાંતિ મળતી નથી. શાંતિ –સંતોષ થી મળે છે.
આ પૃથ્વીની –બધી જ સંપત્તિ અને
ભોગસામગ્રી –કોઈ એક જ વ્યક્તિ ને આપવામાં આવે તો –પણ તેને શાંતિ મળશે નહિ.
કામ –વૃદ્ધાવસ્થામાં શરીર ક્ષીણ થાય - કામ જાય અને ડહાપણ આવે-–એમાં
શું ગઢ જીત્યો ?(યુવાની માં કામ જીતવાનો છે)
ક્રોધ- વૃદ્ધાવસ્થામાં –ડોસાને કોઈ ગણકારે નહિ-પછી ક્રોધ જાય
એમાં શું નવાઈ ? પણ
લોભ-તો વૃદ્ધાવસ્થામાં યે છૂટતો નથી, સંતોષ થતો નથી.
લોભ સંતોષ થી મરે છે. પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ હશે તો લોભ મરશે.
વિચારો-કે-દુનિયાના ઘણા જીવો કરતાં આપને સુખી છીએ. ઘણા જીવો ને તો
ભોજન ના પણ સાંસાં હોય છે.
ઈશ્વરે આપણી લાયકાત કરતાં વધારે
સુખ સંપત્તિ આપ્યાં છે-એમ માનશો તો સંતોષ થશે અને શાંતિ આવશે.
વરાહ ભગવાન –એ સંતોષ નો
અવતાર છે-યજ્ઞ (સત્કર્મ) નો અવતાર છે.(યજ્ઞાવતાર)
સત્કર્મ ને –યજ્ઞ- કહે છે (ગીતા).જે દિવસે તમારે હાથે સત્કર્મ થાય-શ્રેષ્ઠ કર્મ
થાય-તે દિવસ –યજ્ઞ-નો-કે- શ્રેષ્ઠ દિવસ છે.
વરાહ=વર+અહ-જ્યાં-વર=શ્રેષ્ઠ
અને અહ=દિવસ.
શ્રેષ્ઠ દિવસ એ સત્કર્મ નો(યજ્ઞ
નો) દિવસ છે. સત્કર્મ માં(યજ્ઞ માં)- વિઘ્ન –કરનારો-હિરણ્યાક્ષ-લોભ- છે.
મનુષ્ય ના હાથે સત્કર્મ
થતું નથી-કારણ તેને એમ લાગે છે-કે-પ્રભુ એ મને બહુ ઓછું આપ્યું છે.(બહુ મેળવવાનો
લોભ છે-સંતોષ નથી)
વરાહ ભગવાને-પૃથ્વી-જે
સમુદ્ર માં ડૂબેલી હતી-તેને સમુદ્ર માંથી બહાર કાઢી. પરંતુ પૃથ્વીને પોતાની પાસે
રાખી નથી.
પૃથ્વી-મનુને-એટલે –મનુષ્યોને
–સોંપી. જે પોતાની પાસે આવ્યું તે
બીજા ને આપી દીધું.
વરાહ નારાયણ –એ સંતોષ નું
સ્વરૂપ છે. (હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ છે)
વરાહ ભગવાન યજ્ઞાવતાર છે-યજ્ઞ ના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ (સત્કર્મ)
કરવાથી-લોભ વગેરેનો નાશ થઇ-મનશુદ્ધિ- ચિત્તશુદ્ધિ થાય છે.
ચિત્તશુદ્ધિ થાય એટલે
જ્ઞાન-બ્રહ્મવિદ્યા-કપિલમુનિ પ્રાપ્ત થાય. કપિલમુનિ-નો જ્ઞાનાવતાર છે.
હિરણ્યાક્ષ-એક વખત પાતાળ
માં ગયો-અને વરુણ જોડે લડવાની તૈયારી કરી.(વરુણ –જળ ના દેવ છે)
વરુણે કહ્યું-તું વરાહ નારાયણ
સાથે યુદ્ધ કર. એટલે હિરણ્યાક્ષ –વરાહ નારાયણ જોડે યુદ્ધ કરવા આવ્યો.
મુષ્ટિપ્રહાર કરી વરાહ ભગવાને
હિરણ્યાક્ષ નો વધ કર્યો. અને પૃથ્વી ની સ્થાપના જળ માં કરી. પૃથ્વીનું રાજ્ય મનુ
મહારાજ ને
આપીને કહ્યું-ધર્મ થી
પૃથ્વીનું પાલન કરો. વરાહ નારાયણ બદ્રીનારાયણ ના સ્વરૂપ માં લીન થયા છે.
સમાજ ને સુખી કરવો-એ-મનુષ્ય
માત્ર નો ધર્મ છે-આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણ થી શીખવ્યો છે.