જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત
અધ્યાય-૩-કર્મયોગ -૮
કેરોસીન ની નજીક
તણખો (અગ્નિ) લઇ જવાય નહિ, અને જો ભૂલથી કે કૌતુકતા થી પણ તેની નજીક
અગ્નિ જાય તો જે
ભડકો થાય અને જ્વાળાઓ નીકળે તે ઘણી વખત કાબુ માં લાવવી મુશ્કેલ બની જાય છે.
આજ રીતે કોઈ પણ
વિચારવાન (બુદ્ધિશાળી) મનુષ્યે, ભૂલ થી કે કૌતુકતા થી પણ –
ઇન્દ્રિયો (જીભ-વગેરે) ના લાલન પાલન (લાડ કોડ) કરવા નહિ જોઈએ.
અને જો કરે-તો-
ઇન્દ્રિયો (જીભ-વગેરે) ની વિષય લોલુપતા (સ્વાદ-વગેરેની લોલુપતા) વધે છે,
અને પછી તેનો અવરોધ (વિરોધ)
કરી શકતો નથી.
વાસ્તવિક રીતે જોતાં
આ શરીર (અને ઇન્દ્રિયો) પ્રકૃતિ ના ગુણો (સાત્વિક,રાજસિક,તામસિક) ને આધીન છે.
અને પાંચ તત્વો નું (પૃથ્વી,પાણી,આકાશ,તેજ,વાયુ)
બનેલું –શરીર-
છેવટે તો તે (મૃત્યુ પછી) પાંચ તત્વો માં જ પાછું મળી જાય
છે.
તો પછી અથાગ મહેનત
કરી માત્ર શરીર ના વિચાર માં જ –આયુષ્ય ખર્ચી નાખવાનો કોઈ અર્થ નથી.(૩૩)
વિષયો (સ્વાદ-વગેરે)
ની જોડે
રાગ (પ્રેમ) કરવો કે પછી વિષયો જોડે દ્વેષ કરવો –
તે –ઇન્દ્રિયો (જીભ-વગેરે) નો ધર્મ છે.
તેથી બુદ્ધિશાળી
મનુષ્યે આ ઇન્દ્રિયો (જીભ-વગેરે) ના જે ધર્મો-
રાગ અને દ્વેષ
છે.તેને આધીન થવું નહિ જોઈએ.
અને જો આધીન થાય તો-
નીચે બતાવેલા માછલીના
ઉદાહરણ માં બતાવ્યા મુજબ જીવ મોત ને ભેટે છે.(૩૪)
માછલી પકડવા માટે-એક
લોખંડ ના હૂક માં કીડો કે માંસ લગાડવા માં આવે છે.અને આ હૂક ને દોરી જોડે
બાંધી ને પાણી માં નાખવામાં આવે છે, માછલી આ કીડો કે
માંસ ખાવા આવે છે, અને તે હૂક –
માછલીના ગળા માં
ફસાઈ જાય છે અને પોતે પણ ફસાઈ જઈ મોત ને પામે છે.
જો પોતાના સ્વ-ધર્મ પ્રમાણે કર્મો કરવાનાં કોઈ મનુષ્યને કઠિન લાગે-અને એમ વિચારે કે-
બીજા કોઈ ના સ્વ-ધર્મો સહેલા છે-તો લાવ તેના જેવા
કર્મો કરું .
તો આ વિચાર તદ્દન ખોટો છે.
બીજાના મહેલો જોઈ ને આપણું ઘાસનું છાપરું તોડી
નાખવું –એ શું સારું છે ?
સ્વ-ધર્મ ના કર્મો નું આચરણ કરતાં-કરતાં, ભલે
મૃત્યુ આવે –પણ બીજાના ધર્મ (સ્વ-ધર્મ) ના
કર્મો ના આચરણ કરતાં ,પોતાના સ્વ-ધર્મ નું આચરણ જ
વધુ કલ્યાણકારક છે.
ઉપરનાં ઉદાહરણ માં બતાવ્યા મુજબ જો આપણું ઘાસનું
છાપરું તોડી નાખીએ તો પછી રહેવાના
ફાંફાં થઇ જાય !!
એટલે બીજાના સ્વ-ધર્મ ના કર્મો નું આચરણ ભયકારક
છે.....(૩૫)
શ્રીકૃષ્ણ,પોતાના વિચારો બની શકે એટલી સરળતાથી
સમજાવવાનો પ્રયત્ન કરે છે.
પણ સંશયો થી ભરપૂર અર્જુનના ભેજામાં વળી પાછો
પ્રશ્ન ઉભો થાય છે. અને પ્રશ્ન પૂછે છે-કે-
“આ જીવ ને (જ્ઞાની-મનુષ્યને) વિષય (સ્વાદ-વગેરે) ની ઈચ્છા ના હોવાં છતાં,પણ,
આ જીવ (જ્ઞાની-મનુષ્ય) –જાણે બળાત્કારે (પરાણે) –વિષયો
(સ્વાદ-વગેરે) તરફ ધકેલાય છે-
તો આ જીવ ને બળાત્કારે (પરાણે) વિષયો
(સ્વાદ-વગેરે) તરફ લઇ જવાની પ્રેરણા કોની છે ? “ (૩૬)
અજ્ઞાની મનુષ્ય ની ઇન્દ્રિયો તેના વિષય તરફ
ખેંચાય તે સ્વાભાવિક છે-પણ
જયારે જ્ઞાની મહાત્મા ઓની ઇન્દ્રિયો પણ વિષયો તરફ
પરાણે ખેંચાય, તેનું કારણ શું હશે ?
અંધ મનુષ્યથી ધાન્ય (અનાજ) અને તેનાં ફોતરાં છૂટાં
ના પડે શકે તે બરાબર છે,પણ
દેખતા મનુષ્ય થી આ કાર્ય શા માટે નથી થઇ શકતું
નથી ?
જ્ઞાની લોકો જે વિષયો (સ્વાદ-વગેરે) નો ડર હોય
છે,ને જેનાથી તેઓ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે,
તેમ છતાં પણ તે (વિષયોમાં) ,જાણે..... પરાણે કેમ
ફસાઈ જાય છે?
(ક્રમશઃ)