Dec 1, 2012

રામાયણ-૨૭

      PREVIOUS PAGE
     NEXT PAGE

વાલ્મીકિ રામજી ને કહે છે-કે- આ તો સત્સંગ નું ફળ છે,પહેલાં હું વાલિયો ભીલ હતો,હું કુસંગ થી બગડેલો,
લૂંટફાટ નો ધંધો કરતો.અનેક જીવો ની હિંસા કરતો,પણ નારદજી ના સત્સંગ થી મારું જીવન સુધર્યું.

એક વખત સપ્તર્ષિઓ વનમાં થી જતા હતા,મારી નજર પડી અને મેં મારા સેવકો ને આજ્ઞા કરી કે-
પકડો તેમને અને લુંટો તેમને. સપ્તર્ષિઓ એ મને કહ્યું –કે અમે બધું આપી દેવા તૈયાર છીએ.
ત્યાં નારદજી એ આવી મને પૂછ્યું-કે –તું કોના માટે આ પાપ કરે છે ?
મેં જવાબ આપ્યો-મારા કુટુંબ માટે,પાપ ન કરું તો ઘરનાં લોકો ને શું ખવડાવું ?
નારદજી એ પૂછ્યું-તારા આ પાપ માં તારા કુટુંબ ના સભ્યો ભાગીદાર થશે ?
મેં જવાબ આપ્યો –કે -કેમ નહિ ?  નારદજી કહે કે-જા.ઘેર જઈ ને પૂછી આવ.

હું ઘેર ગયો અને મારી પત્ની અને પુત્રોને પૂછ્યું-કે-હું જે પાપ કરું છું તેમાં તમે ભાગીદાર છો ને ?
એક પછી એકે જવાબ આપ્યો કે-પાપ કરે તે ભોગવે, અમે ભાગીદાર શાના ?
મને ધિક્કાર છૂટ્યો,મારો મોહ નષ્ટ થયો,હું ફરીથી નારદજી પાસે આવ્યો.
નારદજી એ મને રામનામ નો મંત્ર આપ્યો, અને મને રામનામ નો જપ કરવાનું કહ્યું.
મેં તેમને પૂછ્યું કે -જપ ક્યાં સુધી કરવાનો ? તેમને કહ્યું-કે શરીર પર રાફડા થાય ત્યાં સુધી.
આરંભ માં મારા પાપી મુખમાંથી રામ-રામ ને બદલે મરા-મરા શબ્દ નીકળવા લાગ્યો.
રામ નામ નો જપ હું બરાબર કરી શક્યો નહિ.હું ઉલટો જ જપ મરા-મરા કરતો હતો -છતાં –પ્રભુ એ મારા પર કૃપા કરી,અને મારો ઉદ્ધાર થયો.
જપ કરતાં કરતાં મારા શરીર પર રાફડા થયા.
ફરીથી સપ્તર્ષિઓ ત્યાં આવ્યા છે અને કહ્યું-કે “હવે તું શુદ્ધ થયો છે,હવે બહાર આવ”

સંસ્કૃત માં રાફડા ને “વાલ્મિક” કહે છે, વાલ્મિક ઉપરથી વાલ્મીકિ નામ પડ્યું છે.
રામજી ના ઉલ્ટા નામ “મરા-મરા” સ્મરણે પણ વાલ્મીકિ ને એક મહાન કવિ અને મહર્ષિ બનાવ્યા.

પ્રભુએ વાલ્મીકિ ને પૂછ્યું--કે અમારે વન માં નિવાસ કરવો છે,અમને કોઈ સ્થાન બતાવો.
વાલ્મીકિ કહે છે-કે આપ ક્યાં નથી ?નાથ તમે તો આ લીલા કરો છો, તેમ છતાં હું આપણે સ્થાન બતાવું છું,
આપ ચિત્રકૂટ પર્વત ઉપર બિરાજો.
ભાગવતની જેમ જ વાલ્મીકિ રામાયણ માં પણ સમાધિ ભાષા છે.

શુદ્ધ ચિત્ત એ ચિત્રકૂટ છે.

અંતઃકરણ જયારે પરમાત્મા નું સતત ધ્યાન કરે –સતત ચિંતન કરે ત્યારે તેને “ચિત્ત”  કહેવાય છે

એક જ અંતઃકરણ જયારે
(૧) ચિંતન કરે- ત્યારે –ચિંતન એ “ચિત્ત” નો ધર્મ છે.
(૨) સંકલ્પ-વિકલ્પ કરે-ત્યારે સંકલ્પ-વિકલ્પ એ “મન” નો ધર્મ છે.
(૩) નિશ્ચય કરે –ત્યારે- નિશ્ચય એ “બુદ્ધિ” નો ધર્મ છે.
(૪) અભિમાન કરે-ત્યારે-અભિમાન એ “અહંકાર” નો ધર્મ છે.

ચિત્ત,મન,બુદ્ધિ અને અહંકાર –એ-એક જ અંતઃકરણ ના – ભેદ છે.
પાપ થાય છે-અજ્ઞાન થી.
અજ્ઞાન ચિત્ત માં છે.અને ચિત્ત માં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે.
પરમાત્મા નાં દર્શન થાય ત્યારે “ચિત્ત” ચિત્રકૂટ બની જાય છે.

જયારે અંતઃકરણ - ચિત્ત બને છે-(ચિંતન કરતાં-કરતાં) –
ત્યારે તે “ચિત્ત” ચિત્રકૂટ માં –સીતારામજી (પરમાત્મા) વિરાજે છે.

લક્ષ્મણ વૈરાગ્ય છે,સીતાજી પરાભક્તિ નું સ્વરૂપ છે,રામ એ પરમાત્મા છે.
જયારે “ધારણા” કરવામાં આવે છે-ત્યારે-ચિત્ત માં પરમાત્મા બિરાજે છે.  

      PREVIOUS PAGE
     NEXT PAGE