Feb 22, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૬

ગીતામાં શ્રીકૃષ્ણ દશમા શ્લોકથી યોગશાસ્ત્ર  (યોગવિદ્યા) કહેવાની ચાલુ કરે છે.
અને ગીતાના --૧૧ થી ૧૫ શ્લોક સુધી --આસનથી સમાધિ સુધીનું વર્ણન છે.
જે ટૂંકમાં અને-સારરૂપ છે.
યોગી એ પવિત્ર સ્થળ માં પોતાનું આસન રાખવું,પ્રથમ દર્ભ,તેના પર મૃગચર્મ,તેના પર શુદ્ધ વસ્ત્ર પાથરવું અને તે આસન પર સ્થિર થઇને બેસવું.
આ આસન હદથી ઊંચું તેમ જ હદથી નીચું ના-થાય તેની સંભાળ રાખવી (૧૧)

તે આસન પર બેસી,મનને એકાગ્ર કરીને, ચિત્ત અને ઇન્દ્રિયોને જીતીને,
પોતાના અંતઃકરણની શુદ્ધિ કરવા માટે યોગનો અભ્યાસ કરવો (૧૨)
સાધકે પોતે સ્થિર થઇ,શરીર,મસ્તક અને ગરદન ને સ્થિર રાખવાં,અને પોતાની 
નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ રાખીને, આમતેમ (દિશાઓને) ના જોતાં યોગાભ્યાસ કરવો  (૧૩)

યોગીએ અંતઃકરણ શાંત રાખી,નિર્ભય થઇ,બ્રહ્મચર્યવ્રત આચરવું, અને મનનો સંયમ કરી
માત્ર ઈશ્વરનું ચિંતન કરી,ઈશ્વર પરાયણ બની ધ્યાનસ્થ રહેવું (૧૪)
આ પ્રકારે સર્વકાળે (બધા સમયે) પોતાનું  અંતઃકરણ સમાધિમાં સંલગ્ન (યુક્ત) કરી,મનોનિગ્રહ કરનાર
યોગીને આત્મજ્ઞાન-(મોક્ષ,શાંતિ,આનંદ,પરમાનંદ,આત્મા-પરમાત્મા નું મિલન) પ્રાપ્ત થાય છે..(૧૫)

(અત્યારના જમાનામાં  યોગની એક પદ્ધતિ જેને-રાજયોગ કે અષ્ટાંગયોગ (પતંજલિ) પણ કહે છે-
તેને અનુકૂળ આવે તેવો આ યોગ છે.જેનું અહીં ગીતામાં ટૂંકમાં વર્ણન કરેલ છે.
આ રાજયોગનું વર્ણન સ્વામી વિવેકાનંદે તેમના રાજયોગપુસ્તકમાં બહુ સરળતાથી કરેલું છે.

Raj-Yog PDF-Book By Swami Vivekanand)

જ્ઞાનેશ્વર નાથ-સાંપ્રદાયી" હતા.અહીં (જ્ઞાનેશ્વરીમાં) જ્ઞાનેશ્વર જે આ યોગશાસ્ત્ર વિષે કહે છે-
તે -યોગ પદ્ધતિમાં  -નાથ સંપ્રદાય ની- અને હઠયોગ (હઠયોગપ્રદીપિકા-ગોરક્ષશતક)- ની અસર  છે.
સહુ પ્રથમ તે- વજ્રાસન-મૂળબંધ,મુલાધારની  મુદ્રા વિષે કહે છે.
અને ત્યાર પછી-જાલંધરબંધ- વોઢીયાણા -ઉડીયાના બંધ વિષે કહે છે.
જેનાથી કુંડલીની નામની શક્તિ જાગ્રત થાય છે.

હઠયોગની આ પદ્ધતિ -પુસ્તક વાંચીને શીખી શકાય તેવી સરળ નથી.
કોઈ અનુભવી નું માર્ગદર્શન જરૂરી છે. એટલે તેનું વર્ણન કરવાનું અહીં ટાળ્યું છે.
(વધુમાહિતી માટે-જિજ્ઞાસુ એ -જ્ઞાનેશ્વરી ગીતા, હઠયોગપ્રદીપિકા,ગોરક્ષશતક અથવા હઠયોગનું-પુસ્તક જોવું)

કુંડલીની અને આ (જ્ઞાનેશ્વરીની) હઠયોગ-પદ્ધતિની અહીં લાંબી ચર્ચા ન કરતાં  
(ઓરીજીનલ મૂળ) ગીતા મુજબ- ટૂંકમાં જોઈએ તો-    
આત્મજ્ઞાન મેળવવા માટે કોઈક સાધન તો કરવું જ પડે છે-ક્યાંક શરૂઆત તો કરવી જ પડે છે.
અહીં ગીતાનું યોગશાસ્ત્ર એ એક સાધન છે.
અને એક વાર કોઈ સાધનની શરૂઆત કર્યા પછી આગળનું બધું આપોઆપ સરળ થઇ જાય છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  

     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE