અધ્યાય-૧૨-ભક્તિયોગ-૨
જેટલો પણ સમય મન ને પરમાત્મા ના સમાગમ-સુખ નો
અનુભવ થાય તેટલો સમય-
તે મન ને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઉભી થાય છે.
અને આવું –મન- ધીરે ધીરે પરમાત્મા માં લાગતાં તે
પરમાત્મા માં મળી જાય છે.
પરમેશ્વર નું ચિંતન,મનન,કિર્તન,શ્રવણ,પઠન –વગેરે
જો લૌકિક કામના વગર –દિવસમાં થોડો
સમય પણ કરવા માં આવે તો તેને અભ્યાસ કહે
છે. આટલો સમય મન-બુદ્ધિ પરમાત્મા ના સંગ
માં રહે છે.
---આવા અભ્યાસ ના યોગ થી (પરમાત્મ) જ્ઞાન પ્રાપ્ત
થાય છે.
---જ્ઞાન પ્રાપ્ત થતાં ધ્યાન ધરી શકાય છે.
---ત્યાર બાદ સર્વ મનોવૃત્તિઓ-એ –ધ્યાન ને આલિંગન
આપે છે –અને-
---તે વેળાએ સર્વ “કર્મો” આપોઆપ દૂર રહી જાય છે.
---જયારે કર્મો આપોઆપ દૂર રહે છે-ત્યારે “ફળ” ની
ઈચ્છા નો પણ લોપ થાય છે.
અને
ફળ ની ઈચ્છા નો લોપ (વિનાશ)-ત્યાગ- થતાં “શાંતિ”
મળે છે.
શાંતિ મેળવવાનો આ એકમાત્ર ઉપાય છે-માટે સહુ પ્રથમ
અભ્યાસ કરવો જોઈએ.
જેવી રીતે પૃથ્વી, ઉત્તમ મનુષ્ય નો ભાર સહન કરવો
અને
અપાત્ર મનુષ્ય નો ભાર સહન ના,કરવો-એવો ભેદભાવ
ધરાવતી નથી,
તેવી રીતે
--જેના મન માં જીવમાત્ર પ્રત્યે ભેદભાવ કે
દ્વેષભાવ નથી,પણ મિત્રભાવ છે.
--જે દયાળુ અને ક્ષમાવાન છે,
--જેનામાં મમતા (આસક્તિ) નથી,
--જેનામાં અહમ નથી,(જ્ઞાન-ભક્તિ નું અભિમાન નથી,”હું”
નથી)
--જેને સુખ-દુઃખ –એ સમાન છે.
--જે સર્વદા સંતોષી છે.
--જેના મન નો સંયમ થયેલો છે અને સ્થિર મન વાળો
છે,
--જેનો પરમાત્મા ને પામવાનો નિશ્ચય દૃઢ છે,
--જેને પોતાનું મન અને બુદ્ધિ –પરમાત્માને અર્પણ
કરેલા છે-
તેવો જે ભક્ત જે –હરસમયે પરમાત્મા માં તલ્લીન રહે
છે-તે જ યોગી છે-તે પરમાત્મા ને પ્રિય છે,.(૧૩-૧૪)
--જેનાથી જગત ને ઉદ્વેગ (ત્રાસ) થતો નથી-કે
--જેને જગતથી ઉદ્વેગ (ત્રાસ) થતો નથી,
--જે હર્ષ,ઈર્ષ્યા,ભય અને ઉદ્વેગ થી મુક્ત છે-તે પરમાત્મા
ને પ્રિય છે ...(૧૫)