અધ્યાય-૧૩-ક્ષેત્રક્ષેત્રજ્ઞ વિભાગ યોગ-૩
તેને જ્ઞેય કહેવાનું કારણ એટલું જ છે-કે-
તે જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) સિવાય બીજા કોઈ પણ ઉપાય
થી પ્રાપ્ત થઇ શકે તેમ નથી.
અને તે (જ્ઞેય) જાણવામાં આવી ગયા પછી મુમુક્ષુ
(મોક્ષ ઇચ્છનાર મનુષ્ય) ને –કોઈ પણ પ્રકારનું કર્તવ્ય
કરવાનું બાકી રહેતું નથી,કારણકે તેનું જ્ઞાન (બ્રહ્મજ્ઞાન) જ તેને તદ્રુપતામાં લઇ જાય છે.
અને તે પરમાનંદ માં નિમગ્ન થાય છે.
આ જ્ઞેય (પરમાત્મ વસ્તુ-બ્રહ્મ) એવું છે-કે-જેને
કોઈ આદિ (પ્રારંભ) નથી.
તે “બ્રહ્મ” ને-
“તે નથી” એમ કહી શકાતું નથી-કારણ-–તે વિશ્વરૂપે
દ્રષ્ટિગોચર થયા કરે છે.(વિશ્વરૂપે આંખથી દેખાય છે)
“તે છે” એમ પણ કહી શકાતું નથી.કારણ કે જો
વિશ્વરૂપે જે દેખાય છે-તે વિશ્વ જ પરબ્રહ્મ છે-
એમ કહેવામાં આવે તો-તે સત્ય નથી,કેમકે વિશ્વ એ તો
“માયા” છે.
તેને (બ્રહ્મને) રૂપ,વર્ણ કે આકાર નથી,
તે આંખ થી કોઈને દેખાતું નથી, તો પછી વિશ્વ-કે જે
આંખ થી દેખાય છે-તેને “તે છે” એમ કેમ કહી શકાય ?.
આમ “બ્રહ્મ” ને “તે છે” (સત્) –કે- “તે નથી” (અસત્) –એમ શબ્દો થી-કહી શકાતું નથી.
અને એ કારણ થી જ તેના વિષે -વેદો ની વાણી મૂક (મૂંગી)
થઇ છે.
હવે પછી ના શ્લોક માં કહે છે-કે-
“ આ જગતમાં તેને (બ્રહ્મ-પરમાત્મા-ને) સર્વ બાજુએ
હાથ તથા પગ છે,
સર્વ બાજુએ આંખો,મસ્તકો,મુખો અને કાનો છે. તે
સર્વત્ર વ્યાપક છે”.....(૧૪)
પરમાત્મા ના “વ્યાપક-તત્વ” ને સમજાવવા માટે જ –અહીં
તેને અવયવો વાળો (આંખ,નાક કાન વગેરે)
બતાવ્યો છે. પણ હકીકત માં બ્રહ્મ (પરમાત્મા)
નિરાકાર હોવાથી –તેને અવયવો હોવા સંભવ નથી.
આ રીતે બ્રહ્મ નો વ્યાપક-ભાવ બતાવવા –બ્રહ્મ નું
આવું અવયવ વાળું –બતાવવું શા માટે હશે?
આવો કોઈ ને પ્રશ્ન થાય તો- તેનો જવાબ –એ- છે-કે-
જે પ્રમાણે-હિસાબ (એકાઉન્ટીંગ) કરતી વખતે-શૂન્ય
બતાવવા માટે વર્તુળઆકૃતિ (૦-મીંડું)કાઢવામાં આવે છે
એટલે કે આંકડા નો કોઈ આકાર લખી ને બતાવવો પડે છે-
તે પ્રમાણે-અદ્વૈત (એક) કે જે નિરાકાર છે-તેનું
સ્પષ્ટીકરણ કરવા માટે
દ્વૈત (બે) કે જે આકારવાળું છે.તેનો સ્વીકાર કરી
ને જ –તેનું સ્પષ્ટીકરણ કરવું પડે છે.
સદગુરુઓ,શિષ્ય ને યથાર્થ બોધ આપવા માટે જ –પરમાત્મા
ના વ્યાપક સ્વરૂપ ને –દ્વૈત રૂપે-
અવયવો (આકાર) વાળું બતાવે છે.અને પછી અદ્વૈત ના
વિષે સમજાવે છે.
જ્ઞાનેશ્વર કહે છે-કે-
જો સર્વ મનુષ્યો-અદ્વૈત ને સીધું જ- સમજી જાય તો-ગુરૂ-શિષ્ય
ના સંપ્રદાયો બંધ પડી જાય.
દ્વૈત અને અદ્વૈત ના ભાષણોની સમાપ્તિ થઇ જાય.અને એટલા
માટે જ
શ્રુતિ એ પણ દ્વૈત (પરમાત્મા ના સાકાર) વિષય નું
સ્પષ્ટીકરણ કરી ને જ –
અદ્વૈત (એક- નિરાકાર -પરમાત્મા) નું પ્રતિપાદન
કરવાનો –રાજમાર્ગ શરુ કર્યો છે-અપનાવ્યો છે.