સ્કંધ-૧૦
(પૂર્વાર્ધ)-૪૮
અને
કદાચ થાય તો દોષ તેના માથે જતો નથી.
પણ
પરમાત્મા નો સાક્ષાત્કાર જેને નથી થયો,તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે.
ચોરી
કરવી જોઈએ નહિ તેવી આજ્ઞા શાસ્ત્ર આપે છે.
પરમાત્મા
જેને અપનાવે છે-પછી આખું જગત તેનું -જ – થઇ જાય છે.પછી તે ચોરી કરતો નથી.
જે
પરમાત્મા (આત્મા) ને ઓળખે છે,જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે,તે જ્ઞાની માટે
શાસ્ત્ર નથી,
તે
શાસ્ત્ર-વિધિ-નિષેધ થી પર થઇ જાય છે. શાસ્ત્ર પશુ માટે પણ નથી,શાસ્ત્ર મનુષ્ય માટે
છે.
કેટલાક
લોકો કહે છે કે-કૃષ્ણ માખણ-ચોર છે,ચોરી કરે છે.
તત્વ-દૃષ્ટિ
થી
જોવા જાઓ,તો,ઈશ્વર સર્વ ના માલિક છે,જગતમાં જે બધું છે તે ઈશ્વરનું જ છે.
શ્રીકૃષ્ણ
સર્વેશ્વર છે. જે ગોપી,તન,મન અને ધન શ્રીકૃષ્ણ ને અર્પણ કરે છે,તેના ઘરનું થોડું
માખણ
શ્રીકૃષ્ણ
ખાય તો તે શું ચોરી કહેવાય ?
લૌકિક
દૃષ્ટિ થી
જોવા જાઓ તો પણ આ ચોરી ના કહેવાય.કારણ કે જેના ઘેર ચોરી કરવા જાય છે,
તે
ઘરધણી નો છોકરો લાલા સાથે છે.
આ
ચોરી નથી,આ દિવ્ય-પ્રેમ-લીલા છે.ગોપીઓને પરમાનંદ નું દાન કરવા માટે આ લીલા છે.
ગંગાકિનારે શુકદેવજી આ ગોપીપ્રેમ ની વાત કરે છે.
લાલાએ
આજે મંડળ ની સ્થાપના કરીને પોતે અધ્યક્ષ થયો છે.મિત્રો પૂછે છે-કે અમારે શું કામ
કરવાનું ?
શ્રીકૃષ્ણ
કહે છે-કે-તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે-કઈ ગોપી ઘરમાં થી ક્યારે બહાર જાય
છે.અને ક્યારે ઘરમાં પાછી આવે છે.
આમ
તો ગોપીઓની ઈચ્છા છે-કે-કનૈયો રોજ મારા ઘરે આવે. રોજ સવારે મંગળા નાં –લાલાનાં દર્શન
કરવા માટે ગોપીઓ યશોદા ના ઘેર લાલાને ઠપકો આપવાને બહાને-કે લાલાની ફરિયાદ કરવાના
બહાને આવે છે,
અને
યશોદાજી ને લાલાની એક એક લીલા સંભળાવે છે. અને ફરિયાદ કરતાં કહે છે-કે-
મા,કનૈયો,
હવે બહુ તોફાન કરે છે,ગાય દોહવાનો સમય ના થયો હોય તો પણ વાછરડાં ને કનૈયો છોડી દે
છે, એટલે વાછરડાં બધું દૂધ પી જાય છે, દૂધ દોહવા જઈએ ત્યારે બશેર દૂધ પણ મળતું
નથી.
અમારા
ઘરનું માખણ ચોરી જાય છે,અને તેના મિત્રો ને ખવડાવી દે છે,ગમે ત્યાં છેટે કે ઉંચે
માખણ મુકીએ તો પણ તે ત્યાં પહોંચી જાય છે,
રાતનું
અંધારું પણ તેણે અસર કરતુ નથી,તે જ્યાં જાય છે ત્યાં પ્રકાશ થાય છે.
અમે
જયારે તેને માખણચોર કહીએ છીએ,ત્યારે તે અમને કહે છે-કે-તું ચોર,તારા ઘરનાં બધાં
ચોર,
હું
તો ઘરનો માલિક છું.
ગોપીઓ
ભલે અતિપ્રેમ માં લાલા ને માખણચોર કહે,બીજા કોઈ થી કહેવાય નહિ.અને જો કહે તો –
તે
કહેશે કે-“તારો બંગલો કેવી રીતે બાંધ્યો છે (ચોરી ના બે નંબર ના પૈસાથી) તે મને
ખબર છે.
હું
તો માલિક છું.” શ્રીકૃષ્ણ સર્વ ના માલિક છે.
નરસિંહ
મહેતા તેમના સુંદર ભજન માં કહે છે.કે,
જશોદા
તારા કાનુડા ને સાદ કરી ને વાર રે,આવડી ધૂમ મચાવે વ્રજમાં,નહિ કોઈ પૂછણહાર રે.
શીકું
તોડ્યું,ગોરસ ઢોળ્યું,ઉઘાડી ને બાર રે,માખણ ખાધું,ઢોળી નાખ્યું,જાન કીધું આ વાર
રે...જશોદા..