ઉદ્ધવ,શ્રીકૃષ્ણ,કોણ છે અને કેવા છે તે તું જાણતો નથી,શ્રીકૃષ્ણ ના સ્વ-રૂપ નું જેને જ્ઞાન અને અનુભવ થાય તે એક ક્ષણ પણ શ્રીકૃષ્ણ ને છોડે નહિ.
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૧૭૨
ઉદ્ધવ વિચારે છે કે-આ ગોપીઓ ને તો સર્વ માં શ્રીકૃષ્ણ ના દર્શન થાય છે,હું વ્યાપક બ્રહ્મ નું રટણ-ચિંતન કરતો હતો,પરંતુ મને વ્યાપક બ્રહ્મ નો અનુભવ થયો નથી, ગોપીઓ ને વ્યાપક-બ્રહ્મ નો અનુભવ છે.ભલે તે તત્વજ્ઞાન જાણતી ના હોય.ઉદ્ધવ ને લાગ્યું કે તેનું વેદાંત નું જ્ઞાન માત્ર ગોખેલું જ છે.શુષ્ક જ છે.
ગોપીઓ
કહે છે કે –ઉદ્ધવ તું આવ્યો તે સારું થયું,તું રાધાજી ના દર્શન કરવા ચાલ.
સખીઓ
ના મંડળ માં શ્રીરાધાજી વિરાજેલા છે,મુખ પર અતિ સાત્વિક દિવ્ય તેજ છે.સ્વ-રૂપ અતિ
દિવ્ય છે.
નવ
વર્ષ ની અવસ્થા,સાદો શૃંગાર,પ્રેમ ની મૂર્તિ,અને જગતને આનંદ આપનાર શ્રીકૃષ્ણ ને,જે
આનંદ આપે છે,તેવા, રાધાજી ને ઉદ્ધવ સાષ્ટાંગ પ્રણામ કરે છે.
એક
ગોપીએ રાધાજી ને કહ્યું-શ્રીરાધે,શ્યામસુંદર નો આ સખા આવ્યો છે,તે લાલા નો સંદેશો
લાવ્યો છે.
રાધાજી
કહે છે કે-ઉદ્ધવ તું કયા કૃષ્ણ નો સંદેશો લાવ્યો છે તે સમજ પડતી નથી,
મારા
કૃષ્ણ તો મારી પાસે જ છે,મને તેનો વિયોગ થયો નથી.
રાધાજી
શ્રીકૃષ્ણ-ચિંતન માં ફરીથી તન્મય થયાં છે.તેમના અંતરંગ માં સદાય નો શ્રીકૃષ્ણ-સંયોગ
છે.
ઉદ્ધવ
ફરીથી વંદન કરી ને કહે છે કે-હું મથુરાથી આવ્યો છું,શ્રીકૃષ્ણ આવવાના છે.
ત્યારે
રાધાજી કહે છે –કે- ઉદ્ધવ, તું મારા સ્વામી નો સંદેશ લઈને આવ્યો છે,પણ તારા આ
સંદેશ થી મને
શાંતિ
મળતી નથી,વિરહણી જ વિરહનાં દુઃખ જાણી શકે.એવું કોઈ શાસ્ત્ર કે એવો કોઈ ઉપદેશ નથી
જે મને શાંતિ આપી શકે.
જગતનો એવો કોઈ મંત્ર નથી કે જેથી તેને એક ક્ષણ પણ હું ભૂલી શકું.
જગતનો એવો કોઈ મંત્ર નથી કે જેથી તેને એક ક્ષણ પણ હું ભૂલી શકું.
હું
તો સતત શ્રીકૃષ્ણ ને ભજું છું,કૃષ્ણ ને નિહાળું છું,કૃષ્ણ નું ધ્યાન કરું છું.
આમ
બોલતાં,બોલતાં રાધાજી વિરહમ માં વ્યાકુળ થયાં છે,”હે કૃષ્ણ તમે ક્યારે આવશો?ક્યારે
આવશો?”
રાધાજી
ની આ દશા જોઈ એક એક પક્ષી,એક એક વૃક્ષ,એક એક સખીઓ રડવા માંડ્યા છે.
ઉદ્ધવ
પણ રાધાજી નો દિવ્ય પ્રેમ જોઈ ને રડી પડ્યો છે.”આમને હું શું સંદેશો આપું,શું
ઉપદેશ આપું?”
રાધાજી
ના મુખમાંથી કમળ ની સુવાસ નીકળે છે,તેથી તે સમયે એક ભ્રમર રાધાજી ના મુખ પાસે
આવ્યો,
સખી
તે ભ્રમરાને દૂર કરવાનો પ્રયત્ન કરે છે.તે જ સમયે ઉદ્ધવ ફરી થી વંદન કરે છે.
રાધાજી
તે વખતે ભ્રમર ને ઉદ્દેશી ને (જાણે ઉદ્ધવ ને જ કહેતાં હોય) તેમ ભ્રમરને કહે છે કે-
ભ્રમર,તું
કપટી છે,તું કૃષ્ણ નો મિત્ર છે,કપટી નો બંધુ છે,તું અહીં શું કરવા આવ્યો છે?મને
અડકીશ નહિ.
ઉદ્ધવ
બોલી ઉઠયા છે-ના,ના, તેમને (શ્રીકૃષ્ણ ને) તમે કપટી ના કહો,તે તો દયાના સાગર છે,
તે
તમને ભૂલ્યા નથી,તમને તે વારંવાર યાદ કરે છે.
અધ્યાય-૪૭
ના શ્લોક ૧૨ થી ૨૧ ને ભ્રમર ગીત પણ કહે છે,તે ગીતમાં ભ્રમર ને ઉદ્દેશી ને,પણ,
ગર્ભિત
રીતે ઉદ્ધવજી ને ઉદ્દેશી ને રાધાજી, શ્રીકૃષ્ણ ને મધુર ઠપકાઓ આપે છે.
રાધાજી
કહે છે કે-ઉદ્ધવ,શ્રીકૃષ્ણ,કોણ છે અને કેવા છે તે તું જાણતો નથી,શ્રીકૃષ્ણ ના
સ્વ-રૂપ નું જેને જ્ઞાન અને અનુભવ થાય તે
એક ક્ષણ પણ શ્રીકૃષ્ણ ને છોડે નહિ.
એ
લાલા એ તને મોટી મોટી જ્ઞાન ની,નિર્ગુણ-સગુણ ની વાતો સંભળાવી છેતર્યો છે.
તને
હજુ અસલી રૂપ બતાવ્યું નથી, જો તેમના અસલી રૂપનાં તને દર્શન થયાં જ હોત તો,
શ્રીકૃષ્ણ
ને છોડી ને તું અહીં આવ્યો જ ના હોત.
કૃષ્ણ
કેવા છે અને કોણ છે,તેને તું શું જાણે? તેને તો અમે જ જાણીએ.