Oct 1, 2013

Sat-Sloki-Gujarati-13

શત-શ્લોકી-13-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ, સૂર્ય એક જ છે પણ જુદા જુદા જળમાં પ્રતિબિંબ રૂપ થવાને કારણે અનેક સૂર્ય-પણા ને પામે છે,
અને તે જળ-રૂપ ઉપાધિ જેવી સ્થિતિ કે ગતિમાં હોય તેની સમાનતા ને પણ પામેલો જણાય છે.
તેમ,પરમાત્મા નાના-મોટાં અનેક પ્રાણીઓ-રૂપ ઉપાધિ માં (જીવ રૂપે),પ્રતિબિંબીત થઇ,
અનેક રૂપે ભાસે છે,વળી (અને)
તે ઉપાધિ ની સ્થિતિ પ્રમાણે,ગતિ પ્રમાણે –તેની સમાનતા ને પામેલા જણાય છે,અને
અનેક સ્વ-ભાવો થી યુક્ત થયેલા જણાય છે.

પરંતુ,ખરી રીતે,જેમ,સૂર્ય ,જળ ના કોઈ પણ ધર્મ થી યુક્ત થયા વિના,પોતાના મૂળ-રૂપે સ્પષ્ટ-પણે
પ્રકાશે છે,તેમ પરમાત્મા પણ,તે તે ઉપાધિઓ ના કોઈ પણ સ્વભાવ કે ધર્મ થી યુક્ત થયા વિના,
શુદ્ધ સ્વ-રૂપે,અને સ્પષ્ટ પ્રકાશે છે,  (૫૨)

જેમ,ચંદ્ર ની અંદર પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી રાત્રિ નું ગાઢું અંધારું નાશ પામે છે,અથવા,
જેમ,દિવસે કાંસા ના વાસણમાં પ્રતિબિંબિત થયેલાં સૂર્ય નાં જ કિરણો થી જ ઘરનું અંધારું નાશ પામે છે,
તેમ, બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી અને ઇન્દ્રિયો દ્વારા ફેલાતી,પરમાત્મા ની કાંતિ (તેજ) વડે,
ચારે બાજુ નામ-રૂપ વાળા પદાર્થો નિરંતર પ્રકાશે છે.(૫૩)

જેમ, એક જ આકાશ,ત્રણ પ્રકારનું જણાય છે,(૧) જળ યુક્ત આકાશ (૨)જળ માં પ્રતિબિંબિત આકાશ.
(૩) જળ ની અંદર અને બહાર રહેલું આકાશ.
તેમ,એક જ “આત્મ-તત્વ” (અવિદ્યા-અજ્ઞાન-માયા થી) ત્રણ પ્રકારનું દેખાય છે.
(૧) પૂર્ણાત્મા (પરમ તત્વ) (૨) અનાત્મા (જડ પદાર્થો) (૩) ચિદાભાસ (ચિત્ત નો અભાસ)

આમાંનું પહેલું સ્વ-રૂપ તે જ પરમતત્વ છે. બીજું બુદ્ધિ થી યુક્ત (જડ પદાર્થો) છે અને
ત્રીજું,તે બુદ્ધિ માં માત્ર આભાસ રૂપે જણાય છે.

આમાં પૂર્ણ સ્વરૂપ અને બુદ્ધિ થી યુક્ત,-એ બંને ની એકતા નું જયારે જ્ઞાન થાય છે,
ત્યારે અવિદ્યા (અજ્ઞાન) પોતાનાં કાર્યો (ચિદાભાસ) વગેરે ની સાથે જ નાશ પામે છે.(૫૪)


PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE