Oct 1, 2013

Sat-Sloki-Gujarati-19


શત-શ્લોકી-19-(આદિ) શંકરાચાર્ય રચિત
જેમ છીપ માં જણાતો રૂપા (ચાંદી) નો આભાસ,છીપ ના અજ્ઞાન ને કારણે ઉત્પન્ન થયો હોઈ ખોટો જ છે,
સુર્યના કિરણો થી ઝાંઝવાનું જળ,અને અંધારા ને લીધે દોરીમાં દેખાતો સર્પ,અજ્ઞાન થી ઉત્પન્ન થયો હોઈ
ખોટો જ છે, તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં જે જે પદાર્થ નજરે જોયા હોય છે,તે તે જ સ્વપ્નકાળે,
આત્મ-સ્વ-રૂપ ના અજ્ઞાન ને લીધે ઉત્પન્ન થયેલા હોઈ –મિથ્યા (ખોટા) છે.
અને જેથી તે થોડા સમય માટે જ ભય,સુખ,દુઃખ પેદા કરે છે.
આમ,સ્વપ્ન એ જોયેલા માં થી જ જન્મે છે.  (૮૧)

“માયારૂપ અધ્યાસ (આરોપિત મિથ્યા વસ્તુ) ના આશ્રય થી,આ બધું મેં વિસ્તાર્યું  છે,માટે આ સર્વ પદાર્થો મારામાં રહેલા છે,છતાં હું તેમાં રહેલો નથી. જેમ ભ્રાંતિ થી છીપ માં રૂપું દેખાય છે પણ રૂપામાં છીપ નો એક અંશ પણ હોતો નથી તેમ આ ભૂતો (સર્વ વસ્તુઓ-જીવો) પણ માયા થી ભલે દેખાય છે પણ તે ખોટાં (મિથ્યા) હોઈ  ખરી રીતે મારા માં નથી “ આવી રીતે ઈશ્વર શ્રીકૃષ્ણ (ગીતામાં ૯-૪) કહે છે.
તેથી સિદ્ધ થાય છે કે-દેખાતું આ બધું ય ઇન્દ્રજાળ જેવું મિથ્યા જ છે.  (૮૨)

“આ જગતમાં કર્મ જ સુખ દુઃખ નું કારણ છે “ એવું ના સમજતા અજ્ઞાની મનુષ્ય
“આ મિત્ર છે અને આ શત્રુ છે” એવો ખોટો વ્યવહાર કરે છે,
પૂર્વે જનકરાજ ને ઘેર યાજ્ઞવલ્કય ઋષિએ –પણ મોટે ભાગે કર્મ ને જ સુખદુખાદિ નું કારણ કહ્યું હતું અને
સાથે સાથે (સત્) કર્મ ની પ્રશંસા પણ કરી હતી.
વળી પરમાત્મા શ્રીકૃષ્ણ પણ (ગીતામાં-૩-૫) એમ જ કહે છે કે-
“આ જગત માં કોઈ પણ પ્રાણી એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી”  (૮૩)

જો કે ઝાડ ને કાપવામાં કુહાડી  સમર્થ છે પણ કોઈ પણ મનુષ્ય તેનો પ્રેરક હોય તો જ તે ઝાડ કાપે છે,
તેવી રીતે જ અનાજ (ભૂખ ની) તૃપ્તિ કરવામાં કારણ રૂપ છે,પણ તેને ખાનાર મનુષ્ય ખાવા નો પ્રયત્ન કરે તો જ તે ભૂખ ની તૃપ્તિ કરી શકે છે,
તેવી રીતે,પૂર્વ જન્મ નું કર્મ સારું-નરસું ફળ આપવામાં કારણ રૂપ છે,
(તો પણ,તે નાશવંત છે,અને તેમાં (તે કર્મો માં) જડપણું હોવાથી,તેની સ્વતંત્રતા ઘટતી નથી,
--ઉપર બતાવેલી કુહાડી કે અનાજ ની જેમ) અને એણે પ્રેરણા આપનાર તો અંતરાત્મા જ છે.  (૮૪)

આ લોક માં વર્ણ અને આશ્રમ ને લાગતું જે નિત્ય અને કામ્ય કર્મ કરવામાં આવે છે,તે સર્વ
બ્રહ્માર્પણ જ હોવું જોઈએ,એમ ધર્મશાસ્ત્ર અને વેદવાણી કહે છે તે અતિ સુંદર જ છે.કારણકે,
ઇન્દ્રિયો (નાક,આંખ –વગેરે) ને તૃપ્ત કરવા થી સાક્ષાત જીવાત્મા જ તૃપ્ત થાય છે,
જેવી રીતે ઝાડ ના મૂળ ને પાણી પાવા થી આખું ઝાડ જ તૃપ્ત થાય છે તેમ. (૮૫)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE