Oct 1, 2013

Sat-Sloki-Gujarati-18


શત-શ્લોકી-18-(આદિ) શંકરાચાર્ય રચિત
જાગ્રત અવસ્થામાં બહારના વ્યવહારો થી થાકેલું આ મન,
તે સર્વ વ્યવહારો સમેટી લઇ સુષુપ્તિ અવસ્થામાં (નિંદ્રામાં)
આત્મ-સ્વરૂપ ની અંદર રમણ કરવા તૈયાર થાય જ છે,
પણ વચ્ચે, સ્વપ્નાવસ્થામાં
તે જાગ્રત અવસ્થા ના સંસ્કારો થી યુક્ત થઇ,વિષયો (સંસાર નું કારણ)
તરફ પાછું ફરવા ઈચ્છે છે.(પાછું સંસારિક વિષયો નો અનુભવ કરવા તૈયાર થાય છે)

અને પછી ફરી પાછું તે વિષયો ને ત્યજી ને સુષુપ્તિ માં આત્મ-સ્વરૂપ માં લીન થવા
તત્પર બની, એ સુષુપ્તિ (નિંદ્રા) અવસ્થામાં પુષ્કળ વિશ્રાંતિ પામે છે. (૭૫)

(અહીં એક શંકા થાય છે કે) સ્વપ્નમાં સુખ-દુઃખ વગેરે ભોગો કયાં સાધન થી થાય છે ?
કારણ કે ભોગ ભોગવવાનું સાધન,શરીર તો તે વખતે બેભાન સ્થિતિ માં પડ્યું હોય છે.
આના સમાધાન માટે જો, એમ કહીએ કે-
“સ્વપ્ન માં બીજું શરીર ઉત્પન્ન થાય છે અને સ્વપ્નાવસ્થા ના વ્યવહાર કરે છે”
તો તે બરોબર નથી,કારણકે,સ્થૂળ શરીર,પુરુષ અને સ્ત્રીના સંયોગ વગર પેદા થઇ શકતું નથી.

વળી જો એમ કહીએ કે-એ શરીર સંકલ્પો થી જ ઉત્પન્ન થયું હોય છે,તો,
સ્વપ્ન માં સ્વપ્ન ની સ્ત્રી જોડે ના સમાગમ પછી,સ્વપ્ન-દોષ પ્રત્યક્ષ કેમ દેખાય છે?
કારણકે,સંકલ્પો થી બનેલું શરીર,જો સંકલ્પો થી જ સમાગમ કરે તો તેનું પરિણામ પણ
સંકલ્પ-રૂપી જ હોવું જોઈએ.હકીકત માં નહિ. (૭૬)

આ ઉપરાંત પણ સ્વપ્નાવસ્થા માં આ સ્થૂળ શરીર બકે છે,હસે છે,રડે છે-વગેરે ક્રિયાઓ પણ
હકીકત માં બને જ છે.એટલે, આ બધા નું ખરું કારણ એ છે કે-
જીવનું સ્થૂળ શરીર સ્વપ્નાવસ્થામાં બેભાન થયું હોય છે,
તો પણ તે શરીર જાગ્રત અવસ્થા ના સંસ્કારો એકદમ છોડી શકતું નથી.
એટલે કે-જાગ્રત અવસ્થામાં જે જે વસ્તુ (સ્ત્રી,વાઘ,દેશ-વગેર-સંસ્કારો) તેણે (સ્થૂળ શરીરે)
અનુભવ્યા હોય,તેને જ ફરીથી સ્વપ્નાવસ્થામાં
“સૂક્ષ્મ-સંસ્કાર-શરીર” નો આશ્રય કરી “સંસ્કાર સ્વ-રૂપે” ઉત્પન્ન કરે છે. (૭૭)

સ્વપ્નાવસ્થા,તે જાગ્રત અને સુષુપ્તિના સંધિકાળ માં, જાગ્રત અવસ્થા ના અનુભવો થી જ જણાય છે.
તેમાં (સ્વપ્નાવસ્થામાં) જીવ સર્વ ઇન્દ્રિયો ને સમેટી લઇ “આત્મ-જ્યોતિ રૂપે “ જ રહેલો હોય છે.
સ્થૂળ શરીર ને પથારી માં સુવાડી,એનો અંતરાત્મા,પોતાના પ્રકાશ દ્વારા,નવાનવા સંસ્કાર-રૂપ વિષયો,
જોતો જોતો કોઈ પણ સ્થળે જતો રહે છે.તેમ છતાં પથારીમાં પડેલું શરીર મડદું ન બને એ માટે માત્ર
શ્વાસ-રૂપે બાકી રહેલા પ્રાણ દ્વારા તેની રક્ષા તો કરે જ છે.
વળી એ સ્વપ્નાવસ્થામાં તે પોતાના જાગ્રત સમય ના સંસ્કારો થી જ,
સ્ત્રીઓ,પુત્રો,મિત્રો અને ઘોડા,રથ,તળાવ,પર્વત વગેરે ના આકારો ઉત્પન્ન કરે છે,
કોઈ વેળા હાથી,વાઘ,ચોર શત્રુ,સર્પ વગેરે આકારો  ને ઉત્પન્ન કરે છે,
કોઈ વાર તે પ્રેમાળ સ્ત્રીઓ સાથે રમે છે,હસે છે,વિહાર કરે છે,
કોઈ વાર મિષ્ટાન્ન જમે છે,કોઈ વાર વાઘ વગેરે ના ભય થી નાસભાગ કરે છે.

તો કોઈ વાર વાઘ પોતાને ખાઈ રહ્યો છે એમ સમજી રડે છે.  (૭૮-૭૯-૮૦)

PREVIOUS PAGE             INDEX  PAGE              NEXT  PAGE